TMCના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-06 13:41:42

મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અંદાજીત 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ ટ્વિટ કર્યું હતું. અનેક ડોક્યુમેન્ટ તેમજ લખાણ પણ વાયરલ થયા હતા. વડાપ્રધાન મોદીએ પણ મોરબીની મુલાકાત લીધી હતી. જેને લઈ ટીએમસી પ્રવક્તાએ એક દાવો કર્યો હતો કે વડાપ્રધાનની થોડા કલાકોની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. આવી પોસ્ટ કરવામાં આવતા અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે રાજસ્તાન એરપોર્ટથી ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ કરી છે.

  

મોરબી દુર્ઘટના અંગે ટીએમસી પ્રવક્તાએ કરી હતી ટ્વિટ

દિવાળીના દિવસો દરમિયાન મચ્છુ નદી પર બનેલા ઝુલતો બ્રિજ તૂટી ગયો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈ અનેક પોસ્ટ કરવામાં આવી રહી હતી. ત્યારે ટીએમસી પ્રવક્તાએ એક દાવો કર્યો હતો કે વડાપ્રધાનની થોડા કલાકોની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. રિપોર્ટનો હવાલો બતાવી તેમણે દાવો કર્યો હતો કે પીએમ મોદીના સ્વાગત, ફોટોગ્રાફી તેમજ કાર્યક્રમનું આયોજનકરવા પાછળ 5.5 કરોડનો ખર્ચ થયો છે. કટાક્ષ કરતા તેમણે લખ્યું હતું કે ઈવેન્ટ મેનેજમેન્ટ અને પીઆર પાછળ વપરાતા રૂપિયા 135 મૃતકોને મળતી કુલ રકમ સહાય કરતા વધારે છે.

pm modi morbi hospital morbi bridge collapse gujarat news updates bjp  congress aap

ટ્વિટ કરી આપી જાણકારી

આવી પોસ્ટ મૂકાતા અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી. અને ગુજરાત સાયબર ક્રાઈમની ટીમે પોસ્ટ મૂકનાર ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની રાજસ્તાનથી ધરપકડ કરી હતી. ઓ બ્રાયને ટ્વિટ કરી માહિતી આપી હતી કે ટીએમસીના રાષ્ટ્રીય અધ્યક્ષ સાકેત ગોખલેની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે