TMCના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-06 13:41:42

મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અંદાજીત 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ ટ્વિટ કર્યું હતું. અનેક ડોક્યુમેન્ટ તેમજ લખાણ પણ વાયરલ થયા હતા. વડાપ્રધાન મોદીએ પણ મોરબીની મુલાકાત લીધી હતી. જેને લઈ ટીએમસી પ્રવક્તાએ એક દાવો કર્યો હતો કે વડાપ્રધાનની થોડા કલાકોની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. આવી પોસ્ટ કરવામાં આવતા અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે રાજસ્તાન એરપોર્ટથી ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ કરી છે.

  

મોરબી દુર્ઘટના અંગે ટીએમસી પ્રવક્તાએ કરી હતી ટ્વિટ

દિવાળીના દિવસો દરમિયાન મચ્છુ નદી પર બનેલા ઝુલતો બ્રિજ તૂટી ગયો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈ અનેક પોસ્ટ કરવામાં આવી રહી હતી. ત્યારે ટીએમસી પ્રવક્તાએ એક દાવો કર્યો હતો કે વડાપ્રધાનની થોડા કલાકોની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. રિપોર્ટનો હવાલો બતાવી તેમણે દાવો કર્યો હતો કે પીએમ મોદીના સ્વાગત, ફોટોગ્રાફી તેમજ કાર્યક્રમનું આયોજનકરવા પાછળ 5.5 કરોડનો ખર્ચ થયો છે. કટાક્ષ કરતા તેમણે લખ્યું હતું કે ઈવેન્ટ મેનેજમેન્ટ અને પીઆર પાછળ વપરાતા રૂપિયા 135 મૃતકોને મળતી કુલ રકમ સહાય કરતા વધારે છે.

pm modi morbi hospital morbi bridge collapse gujarat news updates bjp  congress aap

ટ્વિટ કરી આપી જાણકારી

આવી પોસ્ટ મૂકાતા અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી. અને ગુજરાત સાયબર ક્રાઈમની ટીમે પોસ્ટ મૂકનાર ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની રાજસ્તાનથી ધરપકડ કરી હતી. ઓ બ્રાયને ટ્વિટ કરી માહિતી આપી હતી કે ટીએમસીના રાષ્ટ્રીય અધ્યક્ષ સાકેત ગોખલેની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.