TMCના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-06 13:41:42

મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અંદાજીત 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ ટ્વિટ કર્યું હતું. અનેક ડોક્યુમેન્ટ તેમજ લખાણ પણ વાયરલ થયા હતા. વડાપ્રધાન મોદીએ પણ મોરબીની મુલાકાત લીધી હતી. જેને લઈ ટીએમસી પ્રવક્તાએ એક દાવો કર્યો હતો કે વડાપ્રધાનની થોડા કલાકોની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. આવી પોસ્ટ કરવામાં આવતા અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે રાજસ્તાન એરપોર્ટથી ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ કરી છે.

  

મોરબી દુર્ઘટના અંગે ટીએમસી પ્રવક્તાએ કરી હતી ટ્વિટ

દિવાળીના દિવસો દરમિયાન મચ્છુ નદી પર બનેલા ઝુલતો બ્રિજ તૂટી ગયો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈ અનેક પોસ્ટ કરવામાં આવી રહી હતી. ત્યારે ટીએમસી પ્રવક્તાએ એક દાવો કર્યો હતો કે વડાપ્રધાનની થોડા કલાકોની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. રિપોર્ટનો હવાલો બતાવી તેમણે દાવો કર્યો હતો કે પીએમ મોદીના સ્વાગત, ફોટોગ્રાફી તેમજ કાર્યક્રમનું આયોજનકરવા પાછળ 5.5 કરોડનો ખર્ચ થયો છે. કટાક્ષ કરતા તેમણે લખ્યું હતું કે ઈવેન્ટ મેનેજમેન્ટ અને પીઆર પાછળ વપરાતા રૂપિયા 135 મૃતકોને મળતી કુલ રકમ સહાય કરતા વધારે છે.

pm modi morbi hospital morbi bridge collapse gujarat news updates bjp  congress aap

ટ્વિટ કરી આપી જાણકારી

આવી પોસ્ટ મૂકાતા અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી. અને ગુજરાત સાયબર ક્રાઈમની ટીમે પોસ્ટ મૂકનાર ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની રાજસ્તાનથી ધરપકડ કરી હતી. ઓ બ્રાયને ટ્વિટ કરી માહિતી આપી હતી કે ટીએમસીના રાષ્ટ્રીય અધ્યક્ષ સાકેત ગોખલેની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.