TMCના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-06 13:41:42

મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અંદાજીત 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ ટ્વિટ કર્યું હતું. અનેક ડોક્યુમેન્ટ તેમજ લખાણ પણ વાયરલ થયા હતા. વડાપ્રધાન મોદીએ પણ મોરબીની મુલાકાત લીધી હતી. જેને લઈ ટીએમસી પ્રવક્તાએ એક દાવો કર્યો હતો કે વડાપ્રધાનની થોડા કલાકોની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. આવી પોસ્ટ કરવામાં આવતા અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે રાજસ્તાન એરપોર્ટથી ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ કરી છે.

  

મોરબી દુર્ઘટના અંગે ટીએમસી પ્રવક્તાએ કરી હતી ટ્વિટ

દિવાળીના દિવસો દરમિયાન મચ્છુ નદી પર બનેલા ઝુલતો બ્રિજ તૂટી ગયો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈ અનેક પોસ્ટ કરવામાં આવી રહી હતી. ત્યારે ટીએમસી પ્રવક્તાએ એક દાવો કર્યો હતો કે વડાપ્રધાનની થોડા કલાકોની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. રિપોર્ટનો હવાલો બતાવી તેમણે દાવો કર્યો હતો કે પીએમ મોદીના સ્વાગત, ફોટોગ્રાફી તેમજ કાર્યક્રમનું આયોજનકરવા પાછળ 5.5 કરોડનો ખર્ચ થયો છે. કટાક્ષ કરતા તેમણે લખ્યું હતું કે ઈવેન્ટ મેનેજમેન્ટ અને પીઆર પાછળ વપરાતા રૂપિયા 135 મૃતકોને મળતી કુલ રકમ સહાય કરતા વધારે છે.

pm modi morbi hospital morbi bridge collapse gujarat news updates bjp  congress aap

ટ્વિટ કરી આપી જાણકારી

આવી પોસ્ટ મૂકાતા અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી. અને ગુજરાત સાયબર ક્રાઈમની ટીમે પોસ્ટ મૂકનાર ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની રાજસ્તાનથી ધરપકડ કરી હતી. ઓ બ્રાયને ટ્વિટ કરી માહિતી આપી હતી કે ટીએમસીના રાષ્ટ્રીય અધ્યક્ષ સાકેત ગોખલેની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.