છોટા ઉદેપુરમાં દારૂબંધીને સાર્થક કરવા મહિલાઓએ કરી દારૂના અડ્ડા પર રેડ, મહિલાઓએ ઠાલવ્યો રોષ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-17 15:47:03

ગુજરાતને આમ તો ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. ડ્રાય સ્ટેટ એટલે જ્યાં દારુબંધી હોય. કહેવા માટે તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ વાસ્તવિક્તા શું છે તેની જાણ આપણને સૌને છે. આપણી સામે અવાર નવાર એવા કિસ્સાઓ આવતા હોય છે જેમાં દારૂપીને શિક્ષકો છોકરાઓને ભણાવવા શાળામાં પહોંચતા હોય છે, તો કોઈ કિસ્સામાં પોલીસ કર્મી ખુદ નશાની હાલતમાં દેખાતા હોય છે. દારૂને કારણે અનેક પરિવારો તૂટી પડ્યા છે ત્યારે છોટા ઉદેપુરની નારીઓ રણચંડી બની જ્યાં દેશી દારૂનો વેચાતો હતો ત્યાં પહોંચી અને દારૂના અડ્ડાને બંધ કરાવ્યો હતો. 

ગુજરાતમાં દારૂબંધી માત્ર પેપર પર જ છે!

દારૂને કારણે અનેક પરિવારો વિખેરાયા છે. લોકોને ખબર હોય છે કે નશો કરવો જીવલેણ હોય છે. પરંતુ દારૂની લત નથી છૂટતી. ભલે ઘરમાં આપવા પૈસા ન હોય પરંતુ નશા માટે પૈસાની વ્યવસ્થા કરી લેતા હોય છે. ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવે છે પરંતુ તે માત્ર પેપર પર જ છે. દારૂબંધીની અમલી કડક રીતે કરવામાં આવે તેવી માગ અનેક વખત ઉઠી છે, પરંતુ તંત્ર પણ જાણે આંખ આડા કાન કરતી હોય તેવું લાગી રહ્યું છે. અનેક વખત પોલીસને પણ ખબર હોય છે કે ક્યાં દારૂ વેચાય છે પરંતુ ત્યાં દરોડા પાડવામાં નથી આવતા. તેમને છાવરવામાં આવે છે. ત્યારે છોટા ઉદેપુરમાં મહિલાઓએ દેશી દારૂના અડ્ડા પર રેડ કરી હતી. મહિલાઓએ હલ્લાબોલ કરી અડ્ડાને બંધ કરાવ્યો હતો.     



જે કામ પોલીસે કરવું જોઈએ તે કામ મહિલાઓએ કર્યું

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રણભુનઘાટી ગામે દેશી દારૂના અડ્ડા ચાલતા હોવાનો આક્ષેપ ગામની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે. મહિલાઓનું કહેવું છે કે દારૂને કારણે ગામના યુવાનો દારૂના રવાડે ચઢી ગયા છે. જેને કારણે ઘણી બધી મહિલાઓ વિધવા બની ગઈ છે. વધુમાં તેમણે કહ્યું કે વર્ષોથી આ સમસ્યા છે, ગામમાં અડ્ડાઓ ચાલતા હોવાને કારણે પતિ દારૂના રવાડે ચઢે છે. સરકાર ભલે આ મામલે કોઈ કાર્યવાહી ન કરે પરંતુ મહિલાઓએ જાતે આ કદમ ઉઠાવ્યું છે. 

દારૂના અડ્ડા પર મહિલાઓએ કર્યો હલ્લાબોલ 

છોટાઉદેપુરની મહિલાઓ રણચંડી બનીને દેશી દારૂના અડ્ડાઓ ઉપર હલ્લાબોલ કરી દારૂના અડ્ડા બંધ કરાવ્યા હતા, આ હલ્લાબોલ પહેલા પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસે ધ્યાન ન આપતા મહિલાઓ રોષે ભરાઈ હતી. એક મહિલાએ કહ્યું કે અમે દારૂ બંધ કરાવવાની કોશિશ કરીએ છે, અમે કેટલી વખત કીધું, આજે મોટા પીવે છે, કાલે નાના છોકરા પણ પીશે  જેના ઘરવાળા દારૂ પીવે છે તેમને કપડાં નથી મળતા, ખાવા નથી મળતું, આખો દિવસ દારૂ પીએ અને ઘરે આવીને બૈરાઓને મારે છે. બૈરું ક્યાં જાય? ના હાથમાં પૈસો હોય, ના ભાડું મળે, કંઈ જાય? ત્રાસથી  કેટલા બૈરા છોકરા મૂકીને જતાં રહ્યાં છે, 20 થી 25 બૈરાના નાના છોકરા છે તેમના ઘરવાળા નથી, એ બાપ વગરના થઈ ગયા છે. બધે દારૂના અડ્ડા બંધ થઈ ગયા છે પણ રણભુનઘાટીમાં બંધ નથી થતા. 



તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાંય નથી થતી કાર્યવાહી 

હવે તો હદ થઈ ગઈ છે કે મહિલાઓએ કંટાળીને દારૂના અડ્ડાએ જવું પડે છે. દારૂ બંધીના કાયદાના લોકોએ ભેગા મળીને ધજીયા ઉડાવી દીધા છે ને માત્ર લોકો જ કેમ તંત્રએ પણ કારણ કે અનેક વાર રજુઆત કરવા છતાં વિરોધ કરવા છતાં પણ કોઈ કડક પગલાં લેવાતા નથી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.