રાધનપુરમાં શિયાળું પાકને બચાવવા ખેડૂતો મેદાને, નર્મદા વિભાગની ઓફીસ સામે અર્ધનગ્ન થઈ કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-10-30 18:55:45

રાજ્યમાં મોટા પ્રમાણમાં શિયાળું પાકનું વાવેતર કરવામાં આવ્યું છે પણ ખેડૂતોની કઠણાઈ એ છે કે તેમને સમયસર નર્મદા કેનાલનું પાણી મળતું નથી. ખેડૂતો અવારનવાર રજૂઆતો કરે છે પણ તંત્ર વાત કાને ધરતું નથી. રાધનપુર તાલુકામાં પણ આ જ સમસ્યા છે ખેડૂતોએ તેમના શિયાળું પાકને બચાવવા માટે નર્મદાની મોટીપીંપળી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી છોડવાની માંગ નર્મદા વિભાગની ઓફીસે લેખિતમાં રજૂઆત કરી હતી. જો કે તેમની માગ તંત્રએ ગણકારી નહોંતી અંતે ખેડૂતોએ નર્મદા વિભાગની ઓફીસે જઈ અર્ધનગ્ન હાલતમાં ધરણા કરવા પડ્યા હતા. ખેડૂતોએ તેમના ખેતરમાં વાવેતર કરેલ એરંડા, રાયડાનો પાક પાણી ન મળતા સૂકાતો હોવાથી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.


જગતનો તાત બન્યો અર્ધનગ્ન


રાધનપુર પંથકનાં ખેડૂતો દ્વારા બજારમાંથી મોંઘા બિયારણ લાવી ખેતરમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું છે. પાકને સમયસર પાણી મળી રહે તે માટે અનેકવાર કેનાલમાં પાણી છોડવાની રજૂઆત કરી હતી. જે બાદ પણ કેનાલમાં પાણી ન છોડવામાં આવતા આજે ભીલોટ, નાયતવાડા, કલ્યાણપુરા તેમજ મોટીપીંપળી ગામનાં ખેડૂતોએ નર્મદા વિભાગની ઓફીસે જઈ અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતો દ્વારા અનેકવાર નર્મદાની મોટીપીંપળી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી છોડવા માંગ કરી હોવા છતા પાણી ન છોડાતા આજે ખેડૂતો દ્વારા ઉગ્ર દેખાવ કરી નર્મદા વિભાગની ઓફીસે લેખિતમાં રજૂઆત કરી હતી. ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવતા 4 દિવસમાં કેનાલમાં પાણી છોડવાની હૈયાધારણા આપી હતી. જો કે તેમ છતાં ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી હતી કે જો આગામી ચાર દિવસમાં કેનાલમાં પાણી શરૂ નહી થાય તો છઠ્ઠા દિવસે અન્ય ગામનાં ખેડૂતો સાથે લાવીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી