ગુજરાતીઓ હવે જ્યાં-ત્યાં પિચકારી નહીં મારે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 10:23:18



ગુજરાત સરકારે ફાકી/માવા જેવી કેફી વસ્તુ પર 1 વર્ષનો પ્રતિબંધ લાદવાનો મહત્વપૂર્વ નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે ગુટકા તમાકુ જેવી નિકોટિનવાળી(તમાકુ અંદરનું ઉત્સેચક દ્રવ્ય) વસ્તુઓ પર 1 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધ સહિત તમામ વસ્તુઓના વેચાણ અને સંગ્રહ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. 


સાચવજો હો! પાન મસાલાનો સંગ્રહ કરશો તો...

ભારત સહિત ગુજરાતમાં અને સ્પેસિફિક વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં માવાનું ચલણ વધારે જોવા મળે છે. ગુજરાત સરકારે પાન-મસાલા જેવી કેફી વસ્તુઓ પર 1 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે ત્યારે બંધાણીઓ સંગ્રહખોરી કરશે. પણ જે લોકો સંગ્રહખોરી કરશે અને પકડાશે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી થશે. 


ગુજરાતમાં શું બદલાવ આવશે?

ગુજરાતમાં સ્વાસ્થ્ય સંબંધી કેન્સર જેવી બીમારીઓથી લોકોને બચાવી શકાશે. ગુજરાતમાં અનેક લોકો કેન્સરથી પીડાય છે અને મોડું થતાં આકરા પરિણામ આવે છે. આ નિર્ણયથી રસ્તાઓ પર પાનની પિચકારી જોવા નહીં મળે. ગુજરાતની તમામ સીડીના ખુણાઓ અને એલિવેટરના ખુણાઓ ચોખ્ખા જોવા મળશે. 





અનેક ઉદાહરણો આપણે જોયા હશે જેમાં માણસો આપણી સામે કંઈ અલગ હોય છે અને બીજાની સામે કંઈ અલગ હોય છે.. પારકી પંચાતમાં અનેક લોકો પોતાની જીંદગીને વેડફી નાખે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામસાહેબની રચના

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.

રાજકોટમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું છે. શેરીમાં બાળક ક્રિકેટ રમી રહ્યો હતો, અચાનક તે ઢળી પડ્યો અને મોત થઈ ગયું છે. મોત કયા કારણોસર થયું તેની ખર પોસ્ટ મોર્ટમ બાદ થશે. પરંતુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો ભાજપ પણ પોતાની વાત મક્કમ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ આવ્યા હતા.. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિયાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા જે સ્વીકાર્ય ના હોય.!