ગુજરાતીઓ હવે જ્યાં-ત્યાં પિચકારી નહીં મારે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 10:23:18



ગુજરાત સરકારે ફાકી/માવા જેવી કેફી વસ્તુ પર 1 વર્ષનો પ્રતિબંધ લાદવાનો મહત્વપૂર્વ નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે ગુટકા તમાકુ જેવી નિકોટિનવાળી(તમાકુ અંદરનું ઉત્સેચક દ્રવ્ય) વસ્તુઓ પર 1 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધ સહિત તમામ વસ્તુઓના વેચાણ અને સંગ્રહ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. 


સાચવજો હો! પાન મસાલાનો સંગ્રહ કરશો તો...

ભારત સહિત ગુજરાતમાં અને સ્પેસિફિક વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં માવાનું ચલણ વધારે જોવા મળે છે. ગુજરાત સરકારે પાન-મસાલા જેવી કેફી વસ્તુઓ પર 1 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે ત્યારે બંધાણીઓ સંગ્રહખોરી કરશે. પણ જે લોકો સંગ્રહખોરી કરશે અને પકડાશે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી થશે. 


ગુજરાતમાં શું બદલાવ આવશે?

ગુજરાતમાં સ્વાસ્થ્ય સંબંધી કેન્સર જેવી બીમારીઓથી લોકોને બચાવી શકાશે. ગુજરાતમાં અનેક લોકો કેન્સરથી પીડાય છે અને મોડું થતાં આકરા પરિણામ આવે છે. આ નિર્ણયથી રસ્તાઓ પર પાનની પિચકારી જોવા નહીં મળે. ગુજરાતની તમામ સીડીના ખુણાઓ અને એલિવેટરના ખુણાઓ ચોખ્ખા જોવા મળશે. 





થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .