ગુજરાતીઓ હવે જ્યાં-ત્યાં પિચકારી નહીં મારે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 10:23:18



ગુજરાત સરકારે ફાકી/માવા જેવી કેફી વસ્તુ પર 1 વર્ષનો પ્રતિબંધ લાદવાનો મહત્વપૂર્વ નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે ગુટકા તમાકુ જેવી નિકોટિનવાળી(તમાકુ અંદરનું ઉત્સેચક દ્રવ્ય) વસ્તુઓ પર 1 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધ સહિત તમામ વસ્તુઓના વેચાણ અને સંગ્રહ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. 


સાચવજો હો! પાન મસાલાનો સંગ્રહ કરશો તો...

ભારત સહિત ગુજરાતમાં અને સ્પેસિફિક વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં માવાનું ચલણ વધારે જોવા મળે છે. ગુજરાત સરકારે પાન-મસાલા જેવી કેફી વસ્તુઓ પર 1 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે ત્યારે બંધાણીઓ સંગ્રહખોરી કરશે. પણ જે લોકો સંગ્રહખોરી કરશે અને પકડાશે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી થશે. 


ગુજરાતમાં શું બદલાવ આવશે?

ગુજરાતમાં સ્વાસ્થ્ય સંબંધી કેન્સર જેવી બીમારીઓથી લોકોને બચાવી શકાશે. ગુજરાતમાં અનેક લોકો કેન્સરથી પીડાય છે અને મોડું થતાં આકરા પરિણામ આવે છે. આ નિર્ણયથી રસ્તાઓ પર પાનની પિચકારી જોવા નહીં મળે. ગુજરાતની તમામ સીડીના ખુણાઓ અને એલિવેટરના ખુણાઓ ચોખ્ખા જોવા મળશે. 





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.