આજે IPS અધિકારીઓ બાદ 11 મામલતદારોની બદલીના આદેશ અપાયા


  • Published By :
  • Published Date : 2022-11-02 19:57:25

આજે ગુજરાત સરકારે 12 IPS અધિકારીઓની બદલી બાદ 11 મામલતદારોની બદલીના આદેશ આપી દીધા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી આજકાલમાં જાહેર થવાની વાતો ચાલી રહી છે અને 11 મામલતદારોની બદલીના આદેશ અપાયા છે. તમામ મામલતદારોને પોતાના ઉપરના અધિકારીને જાણ કરીને પોતાની પોસ્ટ છોડવાની રહેશે અને જેટલું જલદી થાય તેમ નવી પોસ્ટ પર હાજર થવાનું રહેશે. 


1. આર. એન. પરમારની ગાંધીનગર ડિઝાસ્ટર કલેક્ટોરેટમાં મામલતદારની જગ્યાએ બદલી  

2. એમ. એફ. વાહોણિયા અમદાવાદ કલેક્ટોરેટમાં એક્સ્ટ્રા ચિટનિશની જગ્યા પર બદલી

3. કે. એમ. મહેતાની અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ-1ના એક્ઝીક્યૂટિવ મેજિસ્ટ્રેટ ખાતે બદલી 

4. બી. એસ. ખાસોરની અમદાવાદ AUDAના મામલતદાર પદે બદલી 

5. એ. એમ. શુક્લની iORA અમદાવાદ ખાતે મામલતદાર પદે બદલી  

6. કે. પી. ગોહિલની અમદાવાદ ડિઝાસ્ટર કલેક્ટોરેટ ખાતે મામલતદાર પદે બદલી 

7. એમ. ટી. રાજપૂતની મહેસાણા કલેક્ટોરેટ ખાતે પીઆર ઓફિસર તરીકે બદલી  

8. સી. વી. ચૌધરીની બોડેલીમાં મામલતદાર પદે બદલી  

9. એચ. એ. શૈખની મહુવાના મામલતદાર તરીકે બદલી 

10. જે. એન. દરબારની શિહોરના મામલતદાર પદે બદલી 

11. ડી. કે. ધ્રુવની ગાંધીનગર કલેક્ટોરેટ ખાતે ચિટનિશ તરીકે બદલી 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે