આજે IPS અધિકારીઓ બાદ 11 મામલતદારોની બદલીના આદેશ અપાયા


  • Published By :
  • Published Date : 2022-11-02 19:57:25

આજે ગુજરાત સરકારે 12 IPS અધિકારીઓની બદલી બાદ 11 મામલતદારોની બદલીના આદેશ આપી દીધા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી આજકાલમાં જાહેર થવાની વાતો ચાલી રહી છે અને 11 મામલતદારોની બદલીના આદેશ અપાયા છે. તમામ મામલતદારોને પોતાના ઉપરના અધિકારીને જાણ કરીને પોતાની પોસ્ટ છોડવાની રહેશે અને જેટલું જલદી થાય તેમ નવી પોસ્ટ પર હાજર થવાનું રહેશે. 


1. આર. એન. પરમારની ગાંધીનગર ડિઝાસ્ટર કલેક્ટોરેટમાં મામલતદારની જગ્યાએ બદલી  

2. એમ. એફ. વાહોણિયા અમદાવાદ કલેક્ટોરેટમાં એક્સ્ટ્રા ચિટનિશની જગ્યા પર બદલી

3. કે. એમ. મહેતાની અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ-1ના એક્ઝીક્યૂટિવ મેજિસ્ટ્રેટ ખાતે બદલી 

4. બી. એસ. ખાસોરની અમદાવાદ AUDAના મામલતદાર પદે બદલી 

5. એ. એમ. શુક્લની iORA અમદાવાદ ખાતે મામલતદાર પદે બદલી  

6. કે. પી. ગોહિલની અમદાવાદ ડિઝાસ્ટર કલેક્ટોરેટ ખાતે મામલતદાર પદે બદલી 

7. એમ. ટી. રાજપૂતની મહેસાણા કલેક્ટોરેટ ખાતે પીઆર ઓફિસર તરીકે બદલી  

8. સી. વી. ચૌધરીની બોડેલીમાં મામલતદાર પદે બદલી  

9. એચ. એ. શૈખની મહુવાના મામલતદાર તરીકે બદલી 

10. જે. એન. દરબારની શિહોરના મામલતદાર પદે બદલી 

11. ડી. કે. ધ્રુવની ગાંધીનગર કલેક્ટોરેટ ખાતે ચિટનિશ તરીકે બદલી 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.