આજે IPS અધિકારીઓ બાદ 11 મામલતદારોની બદલીના આદેશ અપાયા


  • Published By :
  • Published Date : 2022-11-02 19:57:25

આજે ગુજરાત સરકારે 12 IPS અધિકારીઓની બદલી બાદ 11 મામલતદારોની બદલીના આદેશ આપી દીધા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી આજકાલમાં જાહેર થવાની વાતો ચાલી રહી છે અને 11 મામલતદારોની બદલીના આદેશ અપાયા છે. તમામ મામલતદારોને પોતાના ઉપરના અધિકારીને જાણ કરીને પોતાની પોસ્ટ છોડવાની રહેશે અને જેટલું જલદી થાય તેમ નવી પોસ્ટ પર હાજર થવાનું રહેશે. 


1. આર. એન. પરમારની ગાંધીનગર ડિઝાસ્ટર કલેક્ટોરેટમાં મામલતદારની જગ્યાએ બદલી  

2. એમ. એફ. વાહોણિયા અમદાવાદ કલેક્ટોરેટમાં એક્સ્ટ્રા ચિટનિશની જગ્યા પર બદલી

3. કે. એમ. મહેતાની અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ-1ના એક્ઝીક્યૂટિવ મેજિસ્ટ્રેટ ખાતે બદલી 

4. બી. એસ. ખાસોરની અમદાવાદ AUDAના મામલતદાર પદે બદલી 

5. એ. એમ. શુક્લની iORA અમદાવાદ ખાતે મામલતદાર પદે બદલી  

6. કે. પી. ગોહિલની અમદાવાદ ડિઝાસ્ટર કલેક્ટોરેટ ખાતે મામલતદાર પદે બદલી 

7. એમ. ટી. રાજપૂતની મહેસાણા કલેક્ટોરેટ ખાતે પીઆર ઓફિસર તરીકે બદલી  

8. સી. વી. ચૌધરીની બોડેલીમાં મામલતદાર પદે બદલી  

9. એચ. એ. શૈખની મહુવાના મામલતદાર તરીકે બદલી 

10. જે. એન. દરબારની શિહોરના મામલતદાર પદે બદલી 

11. ડી. કે. ધ્રુવની ગાંધીનગર કલેક્ટોરેટ ખાતે ચિટનિશ તરીકે બદલી 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.