રાહુલ ગાંધી માટે આજે મહત્વનો દિવસ! મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર ગુજરાત હાઈકોર્ટમાં થશે સુનાવણી!


  • Published By :
  • Published Date : 2023-04-29 10:59:47

મોદી સરનેમને લઈ કર્ણાટકમાં રાહુલ ગાંધીએ એક નિવદેન આપ્યું હતું. વિવાદાસ્પદ નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે બધા ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? આ નિવેદનને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા પણ રદ કરવામાં આવી હતી. ત્યારે આ ચૂકાદાને સુરતની સેશન્સ કોર્ટમાં નિર્ણય પર સ્ટે લાવવાની અરજી કરવામાં આવી હતી પરંતુ તે અરજીને ફગાવી દેવામાં  આવી હતી. જેને લઈ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેની સુનાવણી આજે થવાની છે. 


હાઈકોર્ટમાં હાથ ધરાશે આ મામલે સુનાવણી!

ગત બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના વકીલ દ્વારા અરજન્ટ સર્ક્યુલેશન માટે માગ કરવામાં  આવી હતી. જો આવી અપીલ કરવામાં આવે છે તેનો મતલબ થાય છે કે મામલે તાત્કાલિક સુનાવણી કરવામાં આવે. પરંતુ જસ્ટિસએ નોટ બિફોર મી અટલે કે પોતે આ અરજી સાંભળવાનો ઈન્કાર કર્યો હતો. 


શું રાહુલ ગાંધીને મળશે રાહત? 

મહત્વનું છે કે જસ્ટિસ ગીતા ગોપીએ 'નોટ બિફોર મી' કહ્યું હતું. દેશની કોર્ટમાં સુનાવણી જલદી થાય તે માટે કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા જુદા જુદા કેસની સુનાવણી જુદા જુદા જજો કરતા હોય છે. જેમાં કેટલીક વાર જજ દ્વારા 'નોટ બિફોર મી' કહેવામાં આવતું હોય છે. જેનો મતલબ થાય છે કે આ કેસની સુનાવણી તેઓ નહીં કરે. ત્યારે આ મામલે જસ્ટિસ ગીતા ગોપીએ પણ નોટ બિફોર મી કહી દીધું છે જેને લઈ હવે રાહુલ ગાંધી તરફથી સ્ટે માંગતી અરજીની સુનાવણી જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં થશે. જોવાનું એ રહ્યું કે શું રાહુલ ગાંધીને રાહત મળે છે કે પછી સજા યથાવત રહેશે?  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે