રાહુલ ગાંધી માટે આજે મહત્વનો દિવસ! મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર ગુજરાત હાઈકોર્ટમાં થશે સુનાવણી!


  • Published By :
  • Published Date : 2023-04-29 10:59:47

મોદી સરનેમને લઈ કર્ણાટકમાં રાહુલ ગાંધીએ એક નિવદેન આપ્યું હતું. વિવાદાસ્પદ નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે બધા ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? આ નિવેદનને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા પણ રદ કરવામાં આવી હતી. ત્યારે આ ચૂકાદાને સુરતની સેશન્સ કોર્ટમાં નિર્ણય પર સ્ટે લાવવાની અરજી કરવામાં આવી હતી પરંતુ તે અરજીને ફગાવી દેવામાં  આવી હતી. જેને લઈ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેની સુનાવણી આજે થવાની છે. 


હાઈકોર્ટમાં હાથ ધરાશે આ મામલે સુનાવણી!

ગત બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના વકીલ દ્વારા અરજન્ટ સર્ક્યુલેશન માટે માગ કરવામાં  આવી હતી. જો આવી અપીલ કરવામાં આવે છે તેનો મતલબ થાય છે કે મામલે તાત્કાલિક સુનાવણી કરવામાં આવે. પરંતુ જસ્ટિસએ નોટ બિફોર મી અટલે કે પોતે આ અરજી સાંભળવાનો ઈન્કાર કર્યો હતો. 


શું રાહુલ ગાંધીને મળશે રાહત? 

મહત્વનું છે કે જસ્ટિસ ગીતા ગોપીએ 'નોટ બિફોર મી' કહ્યું હતું. દેશની કોર્ટમાં સુનાવણી જલદી થાય તે માટે કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા જુદા જુદા કેસની સુનાવણી જુદા જુદા જજો કરતા હોય છે. જેમાં કેટલીક વાર જજ દ્વારા 'નોટ બિફોર મી' કહેવામાં આવતું હોય છે. જેનો મતલબ થાય છે કે આ કેસની સુનાવણી તેઓ નહીં કરે. ત્યારે આ મામલે જસ્ટિસ ગીતા ગોપીએ પણ નોટ બિફોર મી કહી દીધું છે જેને લઈ હવે રાહુલ ગાંધી તરફથી સ્ટે માંગતી અરજીની સુનાવણી જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં થશે. જોવાનું એ રહ્યું કે શું રાહુલ ગાંધીને રાહત મળે છે કે પછી સજા યથાવત રહેશે?  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.