ભાવનગર તોડકાંડ મામલે આજનો દિવસ મહત્વનો! ત્રણ આરોપીઓના જામીન અરજી પર થશે સુનાવણી! જાણો કોને મળી શકે છે રાહત?


  • Published By :
  • Published Date : 2023-06-09 17:15:06

થોડા સમય પહેલા જે વાતની હેડલાઈન્સ બની હતી તે તોડકાંડને લઈ આજે મહત્વનો દિવસ છે. યુવરાજસિંહના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલ, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવાની જામીન અરજી પર આજે ભાવનગર કોર્ટમાં સુનાવણી થવાની છે. પહેલા આ કેસ ડમીકાંડનો હતો પરંતુ ધીમે ધીમે ડમીકાંડ તોડકાંડમાં બદલાઈ ગયો. યુવરાજસિંહને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા તે બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તે બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ મામલે ધીમે ધીમે અનેક આરોપીઓની  ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે ત્રણ આરોપીઓના જામીન અરજી પણ સુનાવણી થવાની છે. ત્યારે તોડકાંડમાં ઝડપાયેલા આરોપીઓ કાનભા ગોહિલ, બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાઘવાની જામીન મામલે ભાવનગર કોર્ટે 13 જૂનની મુદત આપી છે. આ મામલે હવે સુનાવણી 13 જૂન હાથ ધરાશે. 


યુવરાજસિંહની કરવામાં આવી હતી ધરપકડ!

સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડાતા હોવાનો ઘટસ્ફોટ યુવરાજસિંહે ઘણા સમય પહેલા કર્યો હતો. આ મામલે પોલીસે અનેક લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. અને અનેક લોકોની ધરપકડ પણ કરી હતી. તે બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો. તોડકાંડનો એન્ગલ આવી ગયો હતો. જેને કારણે ડમીકાંડ ઉપરથી ફોકસ તોડકાંડ પર આવી ગયો હતો. યુવરાજસિંહને પોલીસે તપાસ કરવા બોલાવ્યા હતા. તે બાદ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો અને તેમની ધરપકડ કરી લીધી હતી. 


ત્રણ આરોપીઓની જામીન અરજી પર થશે સુનાવણી!

યુવરાજસિંહની ધરપકડ બાદ આ મામલે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમાં તેમના સાળાનો સમાવેશ થાય છે. એક કરોડની ખંડણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે યુવરાજસિંહના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલ, બિપિન ત્રિવેદી તેમજ ઘનશ્યામ લાધવાની જામીન અરજી પર સુનાવણી થવાની છે. 21 એપ્રિલના રોજ એસઓજીએ તોડકાંડ મામલે ગુન્હો દાખલ કર્યો હતો. ત્યારે આજે આ મામલે જામીન અરજી પર સુનાવણી થવાની છે.       



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?