ભાવનગર તોડકાંડ મામલે આજનો દિવસ મહત્વનો! ત્રણ આરોપીઓના જામીન અરજી પર થશે સુનાવણી! જાણો કોને મળી શકે છે રાહત?


  • Published By :
  • Published Date : 2023-06-09 17:15:06

થોડા સમય પહેલા જે વાતની હેડલાઈન્સ બની હતી તે તોડકાંડને લઈ આજે મહત્વનો દિવસ છે. યુવરાજસિંહના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલ, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવાની જામીન અરજી પર આજે ભાવનગર કોર્ટમાં સુનાવણી થવાની છે. પહેલા આ કેસ ડમીકાંડનો હતો પરંતુ ધીમે ધીમે ડમીકાંડ તોડકાંડમાં બદલાઈ ગયો. યુવરાજસિંહને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા તે બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તે બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ મામલે ધીમે ધીમે અનેક આરોપીઓની  ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે ત્રણ આરોપીઓના જામીન અરજી પણ સુનાવણી થવાની છે. ત્યારે તોડકાંડમાં ઝડપાયેલા આરોપીઓ કાનભા ગોહિલ, બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાઘવાની જામીન મામલે ભાવનગર કોર્ટે 13 જૂનની મુદત આપી છે. આ મામલે હવે સુનાવણી 13 જૂન હાથ ધરાશે. 


યુવરાજસિંહની કરવામાં આવી હતી ધરપકડ!

સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડાતા હોવાનો ઘટસ્ફોટ યુવરાજસિંહે ઘણા સમય પહેલા કર્યો હતો. આ મામલે પોલીસે અનેક લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. અને અનેક લોકોની ધરપકડ પણ કરી હતી. તે બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો. તોડકાંડનો એન્ગલ આવી ગયો હતો. જેને કારણે ડમીકાંડ ઉપરથી ફોકસ તોડકાંડ પર આવી ગયો હતો. યુવરાજસિંહને પોલીસે તપાસ કરવા બોલાવ્યા હતા. તે બાદ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો અને તેમની ધરપકડ કરી લીધી હતી. 


ત્રણ આરોપીઓની જામીન અરજી પર થશે સુનાવણી!

યુવરાજસિંહની ધરપકડ બાદ આ મામલે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમાં તેમના સાળાનો સમાવેશ થાય છે. એક કરોડની ખંડણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે યુવરાજસિંહના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલ, બિપિન ત્રિવેદી તેમજ ઘનશ્યામ લાધવાની જામીન અરજી પર સુનાવણી થવાની છે. 21 એપ્રિલના રોજ એસઓજીએ તોડકાંડ મામલે ગુન્હો દાખલ કર્યો હતો. ત્યારે આજે આ મામલે જામીન અરજી પર સુનાવણી થવાની છે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.