ભાવનગર તોડકાંડ મામલે આજનો દિવસ મહત્વનો! ત્રણ આરોપીઓના જામીન અરજી પર થશે સુનાવણી! જાણો કોને મળી શકે છે રાહત?


  • Published By :
  • Published Date : 2023-06-09 17:15:06

થોડા સમય પહેલા જે વાતની હેડલાઈન્સ બની હતી તે તોડકાંડને લઈ આજે મહત્વનો દિવસ છે. યુવરાજસિંહના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલ, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવાની જામીન અરજી પર આજે ભાવનગર કોર્ટમાં સુનાવણી થવાની છે. પહેલા આ કેસ ડમીકાંડનો હતો પરંતુ ધીમે ધીમે ડમીકાંડ તોડકાંડમાં બદલાઈ ગયો. યુવરાજસિંહને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા તે બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તે બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ મામલે ધીમે ધીમે અનેક આરોપીઓની  ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે ત્રણ આરોપીઓના જામીન અરજી પણ સુનાવણી થવાની છે. ત્યારે તોડકાંડમાં ઝડપાયેલા આરોપીઓ કાનભા ગોહિલ, બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાઘવાની જામીન મામલે ભાવનગર કોર્ટે 13 જૂનની મુદત આપી છે. આ મામલે હવે સુનાવણી 13 જૂન હાથ ધરાશે. 


યુવરાજસિંહની કરવામાં આવી હતી ધરપકડ!

સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડાતા હોવાનો ઘટસ્ફોટ યુવરાજસિંહે ઘણા સમય પહેલા કર્યો હતો. આ મામલે પોલીસે અનેક લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. અને અનેક લોકોની ધરપકડ પણ કરી હતી. તે બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો. તોડકાંડનો એન્ગલ આવી ગયો હતો. જેને કારણે ડમીકાંડ ઉપરથી ફોકસ તોડકાંડ પર આવી ગયો હતો. યુવરાજસિંહને પોલીસે તપાસ કરવા બોલાવ્યા હતા. તે બાદ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો અને તેમની ધરપકડ કરી લીધી હતી. 


ત્રણ આરોપીઓની જામીન અરજી પર થશે સુનાવણી!

યુવરાજસિંહની ધરપકડ બાદ આ મામલે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમાં તેમના સાળાનો સમાવેશ થાય છે. એક કરોડની ખંડણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે યુવરાજસિંહના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલ, બિપિન ત્રિવેદી તેમજ ઘનશ્યામ લાધવાની જામીન અરજી પર સુનાવણી થવાની છે. 21 એપ્રિલના રોજ એસઓજીએ તોડકાંડ મામલે ગુન્હો દાખલ કર્યો હતો. ત્યારે આજે આ મામલે જામીન અરજી પર સુનાવણી થવાની છે.       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.