આજે છે GPSC વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા, 102 બેઠકો માટે 1.6 લાખ ઉમેદવારો મેદાનમાં


  • Published By :
  • Published Date : 2023-01-08 14:00:04

ગુજરાતના 21 જિલ્લાઓમાં આજે GPSC વર્ગ 1 અને  2ની પરીક્ષા યોજાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી આ પરીક્ષાઓનું આયોજન થઈ શક્યું ન હતું પરંતુ આજે આ પરીક્ષાઓ યોજાઈ રહી છે. 1.61 લાખ જેટલા ઉમેદવારો આ પરિક્ષા આપવાના છે અને જે માટે 633 સેન્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે. 

1 lakh 60 thousand students are giving GPSC exam today GPSC Exam: વર્ગ-1 અને 2ની પરીક્ષા, કુલ 102 જગ્યા માટે 1 લાખ ,61 હજાર ઉમેદવારો આપી રહ્યાં છે કસોટી


1.6 લાખ ઉમેદવારો આપી રહ્યા છે પરીક્ષા 

સેન્ટરોની વાત કરીએ તો રાજ્યના કુલ 21 જિલ્લાઓમાં આ પરિક્ષા લેવામાં આવશે. અને 633 સેન્ટરો પર 1.61 લાખ ઉમેદવારો પરિક્ષા આપવાના છે. GPSCના વર્ગ 1ની પરિક્ષા માટે 32 જગ્યાઓ માટે જિયારે વર્ગ 2ની પરીક્ષા માટે કુલ 70 જગ્યાઓની પરીક્ષા યોજાવા જઈ રહી છે. કુલ 102 બેઠકો માટે પરીક્ષા લેવાઈ રહી છે. પ્રથમ પેપરની શરૂઆત થઈ ગઈ છે જ્યારે બીજી પરીક્ષા બપોરના સમયે લેવાવાની છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.