આજે છે GPSC વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા, 102 બેઠકો માટે 1.6 લાખ ઉમેદવારો મેદાનમાં


  • Published By :
  • Published Date : 2023-01-08 14:00:04

ગુજરાતના 21 જિલ્લાઓમાં આજે GPSC વર્ગ 1 અને  2ની પરીક્ષા યોજાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી આ પરીક્ષાઓનું આયોજન થઈ શક્યું ન હતું પરંતુ આજે આ પરીક્ષાઓ યોજાઈ રહી છે. 1.61 લાખ જેટલા ઉમેદવારો આ પરિક્ષા આપવાના છે અને જે માટે 633 સેન્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે. 

1 lakh 60 thousand students are giving GPSC exam today GPSC Exam: વર્ગ-1 અને 2ની પરીક્ષા, કુલ 102 જગ્યા માટે 1 લાખ ,61 હજાર ઉમેદવારો આપી રહ્યાં છે કસોટી


1.6 લાખ ઉમેદવારો આપી રહ્યા છે પરીક્ષા 

સેન્ટરોની વાત કરીએ તો રાજ્યના કુલ 21 જિલ્લાઓમાં આ પરિક્ષા લેવામાં આવશે. અને 633 સેન્ટરો પર 1.61 લાખ ઉમેદવારો પરિક્ષા આપવાના છે. GPSCના વર્ગ 1ની પરિક્ષા માટે 32 જગ્યાઓ માટે જિયારે વર્ગ 2ની પરીક્ષા માટે કુલ 70 જગ્યાઓની પરીક્ષા યોજાવા જઈ રહી છે. કુલ 102 બેઠકો માટે પરીક્ષા લેવાઈ રહી છે. પ્રથમ પેપરની શરૂઆત થઈ ગઈ છે જ્યારે બીજી પરીક્ષા બપોરના સમયે લેવાવાની છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.