આજે છે GPSC વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા, 102 બેઠકો માટે 1.6 લાખ ઉમેદવારો મેદાનમાં


  • Published By :
  • Published Date : 2023-01-08 14:00:04

ગુજરાતના 21 જિલ્લાઓમાં આજે GPSC વર્ગ 1 અને  2ની પરીક્ષા યોજાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી આ પરીક્ષાઓનું આયોજન થઈ શક્યું ન હતું પરંતુ આજે આ પરીક્ષાઓ યોજાઈ રહી છે. 1.61 લાખ જેટલા ઉમેદવારો આ પરિક્ષા આપવાના છે અને જે માટે 633 સેન્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે. 

1 lakh 60 thousand students are giving GPSC exam today GPSC Exam: વર્ગ-1 અને 2ની પરીક્ષા, કુલ 102 જગ્યા માટે 1 લાખ ,61 હજાર ઉમેદવારો આપી રહ્યાં છે કસોટી


1.6 લાખ ઉમેદવારો આપી રહ્યા છે પરીક્ષા 

સેન્ટરોની વાત કરીએ તો રાજ્યના કુલ 21 જિલ્લાઓમાં આ પરિક્ષા લેવામાં આવશે. અને 633 સેન્ટરો પર 1.61 લાખ ઉમેદવારો પરિક્ષા આપવાના છે. GPSCના વર્ગ 1ની પરિક્ષા માટે 32 જગ્યાઓ માટે જિયારે વર્ગ 2ની પરીક્ષા માટે કુલ 70 જગ્યાઓની પરીક્ષા યોજાવા જઈ રહી છે. કુલ 102 બેઠકો માટે પરીક્ષા લેવાઈ રહી છે. પ્રથમ પેપરની શરૂઆત થઈ ગઈ છે જ્યારે બીજી પરીક્ષા બપોરના સમયે લેવાવાની છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.