આજે છે વિશ્વ અંગદાન દિવસ, જાણો ગુજરાતને અંગદાન માટે કેટલા એવોર્ડ મળ્યા છે, શું છે અંગદાનનું મહત્વ?


  • Published By :
  • Published Date : 2023-08-13 13:20:53

13 ઓગસ્ટ એટલે વિશ્વ અંગદાન દિવસ. લોકોમાં અંગદાનને લઈ જાગૃત્તા આવે તે માટે દર વર્ષે 13 ઓગસ્ટના આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણે ત્યાં કહેવાય છે કે અંગદાન એ મહાદાન. એટલે કે અંગદાનને મહાદાન ગણવામાં આવે છે. પહેલા કરતા લોકોમાં અંગદાનને લઈ જાગૃતિ વધી છે. અંગદાન કરવા તરફ લોકો આગળ વધી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ પણ હવે પોતાના મૃત સ્વજનનું અંગદાન કરી બીજા વ્યક્તિને જીવનદાન આપે છે. બીજા પરિવારના સભ્યને અંગદાન કરી જીવતા રાખે છે. રાષ્ટ્રીય સ્તરે ગુજરાતને અંગદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડસ મળ્યા છે.    

Ahmedabad News : અંગદાન અને પ્રત્યારોપણ માટે ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ, બીજા કયા એવોર્ડ મળ્યાં જાણો

અંગદાનમાં ગુજરાતને મળ્યા છે પાંચ એવોર્ડ! 

જો ગુજરાતમાં થયેલા અંગદાન અંગેની વાત કરવામાં આવે તો સોટ્ટોના માર્ગદર્શન હેઠળ પાંચ વર્ષમાં 1207 અંગદાન તેમજ 3673 ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ માહિતી રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન દ્વારા તાજેતરમાં આપવામાં આવી હતી. 3 ઓગસ્ટના રોજ 13મા રાષ્ટ્રીય અંગદાન દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે NOTTO (National Organ And Tissue Transplant Organisation) દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતને વિવિધ કેટેગરીની અંદર અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. ગુજરાતને વિવિધ કેટેગરીમાં પાંચ એવોર્ડ એનાયત કરાયા છે. 


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયા આટલા લોકોના અંગદાન  

જે પાંચ એવોર્ડ મળ્યા છે તેમાંથી ત્રણ અમદાવાદ સિવિલને શ્રેષ્ઠ કામગીરી બદલ એનાયત કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ રિટ્રાઈવલ સેન્ટર, બેસ્ટ બ્રેઈનડેડ કમિટી અને ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટરની શ્રેણીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે અમદાવાદ સિવિલમાં 123 જેટલા બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા હતા. અંગદાન થવાથી અનેક લોકોને નવજીવન મળતું હોય છે. મહત્વનું છે કે એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે 5 લાખ લોકો સમયસર અંગ ન મળવાથી પોતાનો જીવ ગુમાવે છે. મુખ્યત્વે 2 લાખ લોકો લીવરની ઉપલબ્ધતા ના અભાવે પોતાનું જીવન ગુમાવે છે. એક વ્યક્તિ અંગ દાન કરી 8 લોકોના જીવને બચાવી શકે છે. અંગદાન કરવાની ઈચ્છતા ધરાવતા લોકો અંગદાન માટે કામ કરતી સંસ્થાનો સંપર્ક કરી શકે છે. www.rnos.org, www.notto.nic.in અથવા bhanfoundation.org નો સંપર્ક કરી શકે છે. તે ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800114770 પર પણ સંપર્ક કરી શકાય છે. અંગદાન અનેક પ્રકારના હોય છે. 


અંગદાન મેળવનાર મહિલાએ અંગદાન કરનાર મહિલાની પુત્રીનું કર્યું હતું કન્યાદાન 

થોડા સમય પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક ઈમોશનલ કરી દે તેવો કિસ્સો સામે આવ્યો હતો. સુરતના એક પરિવારે પોતાના સ્વજનનું અંગદાન કર્યું હતું. 54 વર્ષીય એક સ્વર્ગીય મહિલાનું અંગદાન ચાર વર્ષ પહેલા કર્યું હતું. પરંતુ જ્યારે તે સ્વર્ગવાસી મહિલાની દીકરીના લગ્ન હતા ત્યારે તે મહિલાએ દીકરીનું કન્યાદાન પોતાના હસ્તે કર્યું હતું. લગ્ન કરી રહેલી દીકરીને એવો અહેસાસ થાય કે તેની માતા તેની પાસે છે. મહત્વનું છે કે અનેક પરિવારો માને છે કે ભલે તેમના સ્વજનનો જીવ ન બચી શક્યો પરંતુ અંગદાન કરવાથી બીજા પરિવારના સભ્યનો જીવ તો બચી જાય.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.