મહીસાગરમાં વર કન્યાએ મૂશળધાર વરસાદમાં લીધા સાત ફેરા, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-18 19:46:00

વિનાશક વાવાઝોડા બિપોરજોય બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જો કે આ સ્થિતીમાં પણ કેટલાક લગ્નોત્સુક યુગલોના ઉત્સાહ અડીખમ રહ્યો છે. જેમ કે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોરના પોડા ગામના વરરાજા વરસતા વરસાદ વચ્ચે  કન્યા સાથે પોતાના લગ્નની વિધિ માટે લગ્નના ફેરા ફરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


વરસાદનું વિઘ્ન પણ ડગાવી શક્યું નહીં


હાલ લગ્નસરાની સિઝન પૂર્ણતાને આરે છે ત્યારે લગ્નની તારીખ નક્કી થઈ ગયા પછી ખાનપુર તાલુકાના બકોરના પોડા ગામનો વરરાજા જાન લઈને પરણવા કન્યાના ઘરે પહોંચ્યો હતો. હવે લગ્નના શરૂ થાય તે પહેલા જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. જો કે વર અને કન્યાએ મક્કમ મનોબળ સાથે મુશળધાર વરસાદ વચ્ચે પણ લગ્નના સાત ફેરા પુરા કર્યા હતા. ભારે પવન સાથે વરસતા વરસાદમાં મંડપ ઉડી ના જાય તે માટે અન્ય મહેમાનોએ મંડપને પકડી પણ રાખ્યો હતો જે આ વાયરલ વીડિયોમાં જોવા મળે છે.  લગ્નના માંડવામાં વરસતા વરસાદ વચ્ચે બન્ને ઉત્સાહભેર સાત ફેરા પુરા કરી પોતાના લગ્નની વિધિ પૂર્ણ કરે છે નવયુગલનો આ વાયરલ વીડિયો જોઈને  મ્હોમાં આંગળાં નાંખી જાય છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.