પશ્ચિમ બંગાળમાં સર્જાઈ દુર્ઘટના! લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જતા મચી અફરા તફરી!


  • Published By :
  • Published Date : 2023-05-11 09:44:59

પશ્ચિમ બંગાળમાં એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. બુધવાર રાત્રે પશ્ચિમ બંગાળની લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટના રાત્રે 9.20ની આસપાસ બની હતી. અને આ ઘટના શક્તિગઢ રેલ્વે સ્ટેશન નજીક બની હતી. બર્ધમાન-બંડેલ લોકલ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના બાદ અફરા તફરી મચી હતી.


પાટા પરથી ઉતરી ગઈ ટ્રેન!

અનેક વખત ટ્રેન પાટા પરથી ઉતરી જતા દુર્ઘટના સર્જાતી હોય છે. દુર્ઘટનાને પગલે અનેક વખત લોકોના મોત પણ થઈ જતા હોય છે. ત્યારે આવી એક દુર્ઘટના પશ્ચિમ બંગાળમાં બની છે. બર્ધમાન-બંડેલ લોકલ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા અફરા તફરી સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં સંબંધિત અધિકારી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. મુસાફરોને એક એક કરીને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોય તેવી માહિતી સામે આવી નથી. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.