પશ્ચિમ બંગાળમાં સર્જાઈ દુર્ઘટના! લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જતા મચી અફરા તફરી!


  • Published By :
  • Published Date : 2023-05-11 09:44:59

પશ્ચિમ બંગાળમાં એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. બુધવાર રાત્રે પશ્ચિમ બંગાળની લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટના રાત્રે 9.20ની આસપાસ બની હતી. અને આ ઘટના શક્તિગઢ રેલ્વે સ્ટેશન નજીક બની હતી. બર્ધમાન-બંડેલ લોકલ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના બાદ અફરા તફરી મચી હતી.


પાટા પરથી ઉતરી ગઈ ટ્રેન!

અનેક વખત ટ્રેન પાટા પરથી ઉતરી જતા દુર્ઘટના સર્જાતી હોય છે. દુર્ઘટનાને પગલે અનેક વખત લોકોના મોત પણ થઈ જતા હોય છે. ત્યારે આવી એક દુર્ઘટના પશ્ચિમ બંગાળમાં બની છે. બર્ધમાન-બંડેલ લોકલ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા અફરા તફરી સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં સંબંધિત અધિકારી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. મુસાફરોને એક એક કરીને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોય તેવી માહિતી સામે આવી નથી. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.