પશ્ચિમ બંગાળમાં સર્જાઈ દુર્ઘટના! લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જતા મચી અફરા તફરી!


  • Published By :
  • Published Date : 2023-05-11 09:44:59

પશ્ચિમ બંગાળમાં એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. બુધવાર રાત્રે પશ્ચિમ બંગાળની લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટના રાત્રે 9.20ની આસપાસ બની હતી. અને આ ઘટના શક્તિગઢ રેલ્વે સ્ટેશન નજીક બની હતી. બર્ધમાન-બંડેલ લોકલ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના બાદ અફરા તફરી મચી હતી.


પાટા પરથી ઉતરી ગઈ ટ્રેન!

અનેક વખત ટ્રેન પાટા પરથી ઉતરી જતા દુર્ઘટના સર્જાતી હોય છે. દુર્ઘટનાને પગલે અનેક વખત લોકોના મોત પણ થઈ જતા હોય છે. ત્યારે આવી એક દુર્ઘટના પશ્ચિમ બંગાળમાં બની છે. બર્ધમાન-બંડેલ લોકલ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા અફરા તફરી સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં સંબંધિત અધિકારી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. મુસાફરોને એક એક કરીને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોય તેવી માહિતી સામે આવી નથી. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.