પશ્ચિમ બંગાળમાં સર્જાઈ દુર્ઘટના! લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જતા મચી અફરા તફરી!


  • Published By :
  • Published Date : 2023-05-11 09:44:59

પશ્ચિમ બંગાળમાં એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. બુધવાર રાત્રે પશ્ચિમ બંગાળની લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટના રાત્રે 9.20ની આસપાસ બની હતી. અને આ ઘટના શક્તિગઢ રેલ્વે સ્ટેશન નજીક બની હતી. બર્ધમાન-બંડેલ લોકલ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના બાદ અફરા તફરી મચી હતી.


પાટા પરથી ઉતરી ગઈ ટ્રેન!

અનેક વખત ટ્રેન પાટા પરથી ઉતરી જતા દુર્ઘટના સર્જાતી હોય છે. દુર્ઘટનાને પગલે અનેક વખત લોકોના મોત પણ થઈ જતા હોય છે. ત્યારે આવી એક દુર્ઘટના પશ્ચિમ બંગાળમાં બની છે. બર્ધમાન-બંડેલ લોકલ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા અફરા તફરી સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં સંબંધિત અધિકારી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. મુસાફરોને એક એક કરીને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોય તેવી માહિતી સામે આવી નથી. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.