પાવાગઢમાં ફરી એક વખત સર્જાઈ દુર્ઘટના! માચી ખાતે સ્થિત આશ્રય કુટિરનો ઢાંચો તૂટી પડતાં કામદારો દટાયા, સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ!


  • Published By :
  • Published Date : 2023-05-12 10:03:25

થોડા દિવસો પહેલા યાત્રાધામ પાવાગઢમાં દુર્ઘટના સર્જાઈ હતી. માચી ખાતે આવેલા રેન બસેરા આશ્રય કુટિરની છત થોડા દિવસો પહેલા ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં નવ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે એક મહિલાનું મોત થયું હતું. ત્યારે ફરી એક વખત પાવાગઢ ખાતે દુર્ઘટના સર્જાઈ છે. રેન બસેરાનો અન્ય એક ભાગ ટૂટી પડ્યો છે. ચાર જેટલા કામદારો પથ્થર નીચે દબાયા છે. એક કામદારને સામાન્ય ઈજા પહોંચી છે જ્યારે ત્રણ જેટલા કામદારોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર મોડી સાંજે મઢૂલીને નીચે ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી અને તે સમય દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાને પગલે પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. 


થોડા દિવસો પહેલા પણ સર્જાઈ હતી દુર્ઘટના! 

પાવાગઢની મુલાકાતે આવતા યાત્રાળુઓ માટે માચી ખાતે રેનબસેરાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. યાત્રાળુઓને આશ્રય મળી રહે તે હેતુથી આ રેન બસેરા બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે થોડા દિવસો પહેલા પાવાગઢમાં દુર્ઘટના સર્જાઈ હતી. વરસાદી માહોલ હોવાને કારણે કુટિરમાં દસ જેટલા યાત્રાળુઓ વિશ્રામ કરી રહ્યા હતા. અને તે દરમિયાન કુટિરની છત અચાનક તૂટી પડી હતી. 


વિશ્રામ કુટિરનો વધુ એક ભાગ ધરાશાયી થતાં મચી ભાગદોડ!

કુટિરના ઢાંચામાંથી અચાનક વજનદાર પથ્થરો પડવા લાગ્યા. જેને કારણે આશ્રય લઈ રહેલા યાત્રાળુઓ પથ્થર નીચે દબાઈ ગયા. અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં નવ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે એક મહિલાનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે ગુરૂવારે ફરી એક વખત દુર્ઘટના સર્જાઈ છે. કુટિરના ભાગને ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ચાર જેટલા કામદારો દટાયા હતા. પથ્થર નીચે દબાયા હોવાને કારણે કામદારોને ઈજા પહોંચી છે અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં કલેક્ટર, ટ્રસ્ટી અને કોન્ટ્રાક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ચાચર ચોકમાં ભાગદોડ મચી હતી.    


કાટમાળ તૂટી પડતાં કામદારો પથ્થર નીચે દટાયા!

મહત્વનું છે કે છત તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી જેને પગલે વિશ્રામ કુટિરમાં કોઈ યાત્રાળુઓને બેસવાની પરવાનગી આપવામાં આવી નથી રહી. યાત્રિકો કુટિરનો ઉપયોગ ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. યાત્રિકો ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. યાત્રિકો ઈજાગ્રસ્ત નથી થયા પરંતુ કાટમાળ નીચે પડતાં ચાર જેટલા કામદારો દટાયા હતા. એક કામદારને સામાન્ય ઈજા પહોંચી છે જ્યારે ત્રણ કામદારોને ગંભીર ઈજા પહોંચી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ વખતે મોટી જાનહાની ટળી છે. પરંતુ ફરી એક વખત આવી દુર્ઘટના સર્જાતા વિશ્રામ ગૃહના નિર્માણમાં વપરાયેલા સામાનની ગુણવત્તા પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.     


હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવ્યો હતો!

ગઈ વખતે જ્યારે દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે વરસાદ હતો. પરંતુ ગઈ કાલે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે ના તો કોઈ વરસાદ છે કે ન વાવાઝોડું તેમ છતાં પણ હલકી ગુણવત્તા ધરાવતી કામગીરીને પગલે બે રેન બસેરા તૂટી પડવાની ઘટનાને લઈને અનેક સવાલો પેદા થવા પામ્યા છે, અને આ બે ભાગ કામગીરી દરમ્યાન તૂટ્યા હોવાનું જાહેર કરી ઇજારદારે પોતાની હલકી કક્ષાની કામગીરી ઉપર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કરતા રાત્રે ઉભેલા એક ભાગને ઉતરવાની કામગીરી શરૂ કરવામાં આવતા જ એ ભાગ પણ તૂટી પડ્યો અને ચાર કામદારો ઇજાગ્રસ્ત થયા છે, 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.