અમદાવાદ જેવી દુર્ઘટના સુરતમાં પણ .....


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 14:45:23

અમદાવાદ બાદ સુરતમાં મોટી દુર્ઘટના 

અમદાવાદ બાદ હવે સુરતમાં પણ લિફ્ટ તુટીયાની ઘટના બની છે. જેમાં 2 લોકોના મોત નિપજ્યાં હોવાનું સામે અવિયું છે. સુરત શહેર ના પાંડેસરા વિસ્તારના વડોદ ગામ નજીક પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં કોમર્શિયલ લિફ્ટ તૂટતા 2 લોકોના મોત થયા છે . ઘટનાની જાણ થતાં તુરંત પોલીસ ઘટના ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસ દ્વારા હાલ ઘટનાને લઈને વધુ તપાસ હાથધરવામ આવી છે. 

બે દિવસ પહેલા અમદાવાદમાં બની હતી ઘટના 

અમદાવાદમાં પણ બુધવારે આ જ પ્રકારની ઘટના ઘટી હતી. જેમાં લિફ્ટ તૂટતાં7 શ્રમિકોના મોત નિપજ્યાં હતા. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક એડોર એસ્પાયર-2 બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મૃત્યુ થયા હતા. જે મામલે બિલ્ડરને સાઇટ ક્લોઝર નોટિસ પણ ફટકારાઇ હતી. આ ઘટનામાં પોલીસે 3 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી હતી. પોલીસે 3 કોન્ટ્રાકટરો વિરુદ્ધ સદોષ મનુષ્ય વધનો ગુનો નોંધીને તેઓની ધરપકડ કરી હતી. તદુપરાંત મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા વળતર પણ ચૂકવાશે કે જેની વસૂલાત બિલ્ડર પાસેથી જ કરાશે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .