Breaking News : Bhavnagarમાં બની પોઈચા જેવી દુર્ઘટના! બોરતળાવમાં ડૂબી પાંચ બાળાઓ, માત્ર એકનો જ જીવ બચાવી શકાયો..!


  • Published By :
  • Published Date : 2024-05-21 16:29:54

જ્યારે કોઈ દુર્ઘટના બને છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે આપણે ઈતિહાસમાં બનેલી ઘટનાઓમાંથી કઈ નથી શિખતા.. ઈતિહાસમાંથી બોધપાઠ નથી લેતા. વાત મહદ અંશે સાચી પણ છે..થોડા દિવસ પહેલા પોઈચાની નર્મદા નદીમાં સાત જેટલા લોકો ડૂબી ગયા હતા.. અનેક દિવસો સુધી ત્યાં રેસ્ક્યુની કામગીરી ચાલી હતી, અને મૃતકોને શોધવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે વધુ એક દુર્ઘટના ભાવનગરથી સામે આવી છે જ્યાં બોરતળાવમાં પાંચ લોકો ડૂબી ગયા છે. મળતી માહિતી અનુસાર ચાર બાળાઓના મોત થઈ ગયા છે.. બાળકીઓને ડૂબતા બચાવાના પ્રયત્ન સ્થાનિક તરવૈયાઓ દ્વારા કરવામાં આવ્યા પરંતુ માત્ર એક બાળકીનો જીવ બચાવવામાં સફળતા મળી તેવી વાત સામે આવી છે.. કપડા ધોવા માટે બાળાઓ ભેગી થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે..     


બોરતળાવમાં ડૂબી જવાને કારણે સર્જાઈ દુર્ઘટના  

ભાવનગરથી એક મોટી દુખદ ઘટના સામે આવી છે. ગરમીથી રક્ષણ મેળવવા માટે અનેક લોકો સ્વીમિંગ પૂલમાં, નદીમાં ન્હાવા જતા હોય છે.. પરંતુ અનેક વખત દુર્ઘટના પણ સર્જાઈ જતી હોય છે.. થોડા સમય પહેલા પોઈચા પાસે આવેલી નર્મદા નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. તે બાદ મોરબીથી પણ ડૂબી જવાનો કિસ્સો સામે આવ્યો.. ત્યારે ફરી એક વખત ડૂબી જવાને કારણે ચાર બાળાઓના મોત થઈ ગયા છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.. ભાવનગરના બોરતળાવમાં ડૂબી જવાને કારણે ચાર લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.. 


સ્થાનિક લોકોને મળી એક બાળકીને બચાવવામાં સફળતા

મળતી માહિતી અનુસાર બોરતળાવની આસપાસ રહેતી બાળાઓ કપડા ધોવા માટે ભેગા થઈ હતી.. તેમાની એક બાળા અચાનક ડૂબવા લાગી, તેને બચાવવા માટે બાકીની બાળાઓએ પાણીમાં છલાંગ લગાવી.. તમામ બાળકીઓ ડૂબવા લાગી.. ડૂબતી બાળકીઓને જોતા સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા અને બચાવવા માટે પ્રયત્નો કર્યા. એક બાળકીને બચાવી લેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. હાલ બાળકીની સારવાર ચાલી રહી છે.. 


ઈતિહાસની ઘટનાઓમાંથી આપણે ક્યારે શીખીશું? 

મહત્વનું છે કે પાણીમાં ડૂબી જવાથી અનેક વખત મોટી દુર્ઘટના સર્જાતી હોય છે.. ઉનાળાના સમયમાં લોકો પાણીમાં ન્હાવું વધારે પસંદ કરે છે, કોઈ જગ્યા પર ફરવા જાય તો ત્યાં પણ પાણીમાં ન્હાતા લોકો દેખાય છે. આપણા વડીલો અનેક વખત આપણને કહેતા હોય છે કે અજાણ્યા પાણી સાથે મસ્તી ના કરવી જોઈએ.. આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે સવાલ થાય કે આપણે ઈતિહાસમાંથી ક્યારે શીખીશું?   



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.