ગુજરાતના અનેક શહેરોમાં સર્જાઈ દુર્ઘટના, અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-23 10:59:30

ગુજરાતમાં અનેક લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે ચીખલી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર આલીપોર બ્રિજ ઉપર ઈનોવા કાર અને કન્ટેનર વચ્ચે ટક્કર થઈ હતી જેમાં ચાર લોકોના મોત ઘટના સ્થળ પર થયા હતા. ઘટના સ્થળે 4 લોકોના મોત થયા હતા જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે.





ગાંધીનગરમાં પણ બન્યો ગંભીર અકસ્માત 

બીજો એક અકસ્માત ગાંધીનગરના રાયસણના આંતરિક રોડ પર સર્જાયો છે. વીજ થાંભલા સાથે ગાડી ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો.  થાંભલા સાથે ગાડી અથડાતા થાંબલો ગાડી પર આવી ગયો હતો જેને કારણે ગાડી ગૂલાંટ ખાઈ ગઈ હતી. અકસ્માતને કારણે કારચાલક અને આગળ બેઠેલ અન્ય યુવાનના મોત નિપજ્યા હતા. કારમાં બેઠેલો ત્રીજો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્પીડમાં ગાડી ચલાવવાની મજા સજામાં બદલાઈ છે. તે સિવાય અમદાવાદમાં ગાડીને કારણે એક વૃદ્ધાનું મોત થયું હતું. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.