ગુજરાતના અનેક શહેરોમાં સર્જાઈ દુર્ઘટના, અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-23 10:59:30

ગુજરાતમાં અનેક લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે ચીખલી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર આલીપોર બ્રિજ ઉપર ઈનોવા કાર અને કન્ટેનર વચ્ચે ટક્કર થઈ હતી જેમાં ચાર લોકોના મોત ઘટના સ્થળ પર થયા હતા. ઘટના સ્થળે 4 લોકોના મોત થયા હતા જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે.





ગાંધીનગરમાં પણ બન્યો ગંભીર અકસ્માત 

બીજો એક અકસ્માત ગાંધીનગરના રાયસણના આંતરિક રોડ પર સર્જાયો છે. વીજ થાંભલા સાથે ગાડી ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો.  થાંભલા સાથે ગાડી અથડાતા થાંબલો ગાડી પર આવી ગયો હતો જેને કારણે ગાડી ગૂલાંટ ખાઈ ગઈ હતી. અકસ્માતને કારણે કારચાલક અને આગળ બેઠેલ અન્ય યુવાનના મોત નિપજ્યા હતા. કારમાં બેઠેલો ત્રીજો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્પીડમાં ગાડી ચલાવવાની મજા સજામાં બદલાઈ છે. તે સિવાય અમદાવાદમાં ગાડીને કારણે એક વૃદ્ધાનું મોત થયું હતું. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.