ગુજરાતના અનેક શહેરોમાં સર્જાઈ દુર્ઘટના, અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-23 10:59:30

ગુજરાતમાં અનેક લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે ચીખલી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર આલીપોર બ્રિજ ઉપર ઈનોવા કાર અને કન્ટેનર વચ્ચે ટક્કર થઈ હતી જેમાં ચાર લોકોના મોત ઘટના સ્થળ પર થયા હતા. ઘટના સ્થળે 4 લોકોના મોત થયા હતા જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે.





ગાંધીનગરમાં પણ બન્યો ગંભીર અકસ્માત 

બીજો એક અકસ્માત ગાંધીનગરના રાયસણના આંતરિક રોડ પર સર્જાયો છે. વીજ થાંભલા સાથે ગાડી ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો.  થાંભલા સાથે ગાડી અથડાતા થાંબલો ગાડી પર આવી ગયો હતો જેને કારણે ગાડી ગૂલાંટ ખાઈ ગઈ હતી. અકસ્માતને કારણે કારચાલક અને આગળ બેઠેલ અન્ય યુવાનના મોત નિપજ્યા હતા. કારમાં બેઠેલો ત્રીજો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્પીડમાં ગાડી ચલાવવાની મજા સજામાં બદલાઈ છે. તે સિવાય અમદાવાદમાં ગાડીને કારણે એક વૃદ્ધાનું મોત થયું હતું. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.