મોડાસામાં સર્જાઈ દુર્ઘટના, નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતા શ્રમિકો ઉપરથી નીચે પટકાયા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-27 12:38:49

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. આ સમય દરમિયાન અનેક એવા સમાચારો સામે આવતા હોય છે જેમાં સ્લેબ અથવા તો બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાતી હોય છે. કોઈ વખત નિર્માણ પામી રહેલી બિલ્ડીંગો પણ ધરાશાયી થતાં અકસ્માત સર્જાતો હોય છે. ત્યારે આવી જ એક દુર્ઘટના મોડાસામાં સર્જાઈ છે. મોડાસામાં નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતા શ્રમિકો ચોથા માળેથી નીચે પટકાયા હતા અનેક શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક શ્રમિકનું મોત થયું છે. આ ઘટના માલપુર રોડ પર બની આવેલા ફોરસ્ક્વેરની નવીન બિલ્ડીંગની કામગીરી દરમિયાન બની છે. 

 મોડાસાના માલપુર રોડ પર નિર્માધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટ્યો. ફોરસ્ક્વેરની નવીન બિલ્ડીંગની કામગીરી દરમિયાન સર્જાઈ દુર્ઘટના.

ચોથા માળેથી નીચે પટકાયા શ્રમિકો

મોડાસામાં નિર્માણ પામી રહેલા બિલ્ડીંગનો એક સ્લેબ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ છે. માલપુર રોડ પર ફોર સ્કવેર બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતાં અકસ્માત સર્જાયો છે. સ્લેબનો ભાગ તૂટી પડતાં અનેક શ્રમિકો નીચે દટાઈ ગયા હતા. જ્યારે અનેક શ્રમિકો ઈજાગસ્ત થયા છે. નવીન બિલ્ડીંગની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાતા અફરા તફરી સર્જાઈ હતી. જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે શ્રમિકો ચોથા માળે કામ કરી રહ્યા હતા. સેફ્ટી વગર શ્રમિકો દ્વારા કામ કરવામાં આવતા આ દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. 


ઘટના અંગે પોલીસે શરૂ કરી તપાસ 

દુર્ઘટના સર્જાતા ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સેફ્ટીના અભાવે આ દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં એક શ્રમિકનું મોત થયું છે જ્યારે અનેક શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.