મોડાસામાં સર્જાઈ દુર્ઘટના, નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતા શ્રમિકો ઉપરથી નીચે પટકાયા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-27 12:38:49

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. આ સમય દરમિયાન અનેક એવા સમાચારો સામે આવતા હોય છે જેમાં સ્લેબ અથવા તો બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાતી હોય છે. કોઈ વખત નિર્માણ પામી રહેલી બિલ્ડીંગો પણ ધરાશાયી થતાં અકસ્માત સર્જાતો હોય છે. ત્યારે આવી જ એક દુર્ઘટના મોડાસામાં સર્જાઈ છે. મોડાસામાં નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતા શ્રમિકો ચોથા માળેથી નીચે પટકાયા હતા અનેક શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક શ્રમિકનું મોત થયું છે. આ ઘટના માલપુર રોડ પર બની આવેલા ફોરસ્ક્વેરની નવીન બિલ્ડીંગની કામગીરી દરમિયાન બની છે. 

 મોડાસાના માલપુર રોડ પર નિર્માધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટ્યો. ફોરસ્ક્વેરની નવીન બિલ્ડીંગની કામગીરી દરમિયાન સર્જાઈ દુર્ઘટના.

ચોથા માળેથી નીચે પટકાયા શ્રમિકો

મોડાસામાં નિર્માણ પામી રહેલા બિલ્ડીંગનો એક સ્લેબ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ છે. માલપુર રોડ પર ફોર સ્કવેર બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતાં અકસ્માત સર્જાયો છે. સ્લેબનો ભાગ તૂટી પડતાં અનેક શ્રમિકો નીચે દટાઈ ગયા હતા. જ્યારે અનેક શ્રમિકો ઈજાગસ્ત થયા છે. નવીન બિલ્ડીંગની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાતા અફરા તફરી સર્જાઈ હતી. જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે શ્રમિકો ચોથા માળે કામ કરી રહ્યા હતા. સેફ્ટી વગર શ્રમિકો દ્વારા કામ કરવામાં આવતા આ દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. 


ઘટના અંગે પોલીસે શરૂ કરી તપાસ 

દુર્ઘટના સર્જાતા ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સેફ્ટીના અભાવે આ દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં એક શ્રમિકનું મોત થયું છે જ્યારે અનેક શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.