મોડાસામાં સર્જાઈ દુર્ઘટના, નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતા શ્રમિકો ઉપરથી નીચે પટકાયા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-27 12:38:49

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. આ સમય દરમિયાન અનેક એવા સમાચારો સામે આવતા હોય છે જેમાં સ્લેબ અથવા તો બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાતી હોય છે. કોઈ વખત નિર્માણ પામી રહેલી બિલ્ડીંગો પણ ધરાશાયી થતાં અકસ્માત સર્જાતો હોય છે. ત્યારે આવી જ એક દુર્ઘટના મોડાસામાં સર્જાઈ છે. મોડાસામાં નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતા શ્રમિકો ચોથા માળેથી નીચે પટકાયા હતા અનેક શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક શ્રમિકનું મોત થયું છે. આ ઘટના માલપુર રોડ પર બની આવેલા ફોરસ્ક્વેરની નવીન બિલ્ડીંગની કામગીરી દરમિયાન બની છે. 

 મોડાસાના માલપુર રોડ પર નિર્માધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટ્યો. ફોરસ્ક્વેરની નવીન બિલ્ડીંગની કામગીરી દરમિયાન સર્જાઈ દુર્ઘટના.

ચોથા માળેથી નીચે પટકાયા શ્રમિકો

મોડાસામાં નિર્માણ પામી રહેલા બિલ્ડીંગનો એક સ્લેબ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ છે. માલપુર રોડ પર ફોર સ્કવેર બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતાં અકસ્માત સર્જાયો છે. સ્લેબનો ભાગ તૂટી પડતાં અનેક શ્રમિકો નીચે દટાઈ ગયા હતા. જ્યારે અનેક શ્રમિકો ઈજાગસ્ત થયા છે. નવીન બિલ્ડીંગની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાતા અફરા તફરી સર્જાઈ હતી. જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે શ્રમિકો ચોથા માળે કામ કરી રહ્યા હતા. સેફ્ટી વગર શ્રમિકો દ્વારા કામ કરવામાં આવતા આ દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. 


ઘટના અંગે પોલીસે શરૂ કરી તપાસ 

દુર્ઘટના સર્જાતા ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સેફ્ટીના અભાવે આ દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં એક શ્રમિકનું મોત થયું છે જ્યારે અનેક શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.