સુરતમાં બાળકીને હવામાં ઉછાળતી વખતે સર્જાઈ દુર્ઘટના! પિતાએ બાળકીને હવામાં ઉછાળતા માથુ પંખામાં અથડતા થયું મોત! વાંચો લાલબત્તિ સમાન કિસ્સો


  • Published By :
  • Published Date : 2023-05-15 11:05:31

નાના બાળકોને અનેક વખત હવામાં ઉછાળવામાં આવતા હોય છે. બાળકોને ઉછાળીને રમાડવામાં આવતા હોય છે પરંતુ સુરતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાળકોને જ્યારે હવામાં ઉછાળીએ તો તેમના ચહેરા પર ખુશી જોવા મળતી હોય છે પરંતુ અનેક વખત આવી રીતે કરવામાં આવ્યો વ્હાલ જીવલેણ સાબિત થઈ શકે છે. તેનું ઉદાહરણ સુરતથી સામે આવ્યું છે. હવામાં એક પિતા પોતાની બાળકીને ઉછાળતા હતા પરંતુ બાળકીનું માથું પંખાની પાંખમાં આવી જતા નાની બાળકીનું મોત નિપજ્યું છે.


પંખાની પાંખમાં માથું આવી જતાં સર્જાઈ દુર્ઘટના!

બાળકોને ખુશ કરવા અલગ અલગ રીતે તેમને લોકો રમાડતા હોય છે. અલગ અલગ પ્રકારની મસ્તી કરવામાં આવતી હોય છે અનેક વખત હવામાં પણ બાળકને આનંદ થાય તે માટે ઉછાળવામાં આવતા હોય છે. પરંતુ સુરતમાં હવામાં ઉછાળાતા બાળકીનો જીવ જતો રહ્યો છે. રમાડવા માટે એક પિતાએ બાળકીને હવામાં ઉછાળી અને ઉપર પંખો હોવાને કારણે બાળકીનું માથું પંખાની પાંખમાં આવી જતા નાની માસુમ બાળકીનું મોત થયું છે.


માસુમ બાળકીનું થયું મોત!

મળતી માહિતી અનુસાર આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારની છે. લિંબાયતના ખાનપુરા વિસ્તારમાં મસરૂદ્દીન શાહનો પરિવાર રહે છે. પરિવારમાં ત્રણ પુત્રી છે અને એક પુત્ર છે. પિતા પોતાની બાળકીને રમાડી રહ્યા હતા અને રમાડવા માટે હવામાં ઉછાળી. આ ઘટનાને જોતા લાગી રહ્યું છે કે પિતાને ખબર નહીં હોય. પરંતુ ઉછાળતી વખતે પિતાને ધ્યાન ન રહ્યું કે ઉપર પંખો છે. અને જેવી બાળકીને ઉપર ઉછાડી તો તેનું માથું પંખામાં આવી ગયું. લોહીલુહાણ હાલતમાં બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું અને પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.                 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.