સુરતમાં બાળકીને હવામાં ઉછાળતી વખતે સર્જાઈ દુર્ઘટના! પિતાએ બાળકીને હવામાં ઉછાળતા માથુ પંખામાં અથડતા થયું મોત! વાંચો લાલબત્તિ સમાન કિસ્સો


  • Published By :
  • Published Date : 2023-05-15 11:05:31

નાના બાળકોને અનેક વખત હવામાં ઉછાળવામાં આવતા હોય છે. બાળકોને ઉછાળીને રમાડવામાં આવતા હોય છે પરંતુ સુરતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાળકોને જ્યારે હવામાં ઉછાળીએ તો તેમના ચહેરા પર ખુશી જોવા મળતી હોય છે પરંતુ અનેક વખત આવી રીતે કરવામાં આવ્યો વ્હાલ જીવલેણ સાબિત થઈ શકે છે. તેનું ઉદાહરણ સુરતથી સામે આવ્યું છે. હવામાં એક પિતા પોતાની બાળકીને ઉછાળતા હતા પરંતુ બાળકીનું માથું પંખાની પાંખમાં આવી જતા નાની બાળકીનું મોત નિપજ્યું છે.


પંખાની પાંખમાં માથું આવી જતાં સર્જાઈ દુર્ઘટના!

બાળકોને ખુશ કરવા અલગ અલગ રીતે તેમને લોકો રમાડતા હોય છે. અલગ અલગ પ્રકારની મસ્તી કરવામાં આવતી હોય છે અનેક વખત હવામાં પણ બાળકને આનંદ થાય તે માટે ઉછાળવામાં આવતા હોય છે. પરંતુ સુરતમાં હવામાં ઉછાળાતા બાળકીનો જીવ જતો રહ્યો છે. રમાડવા માટે એક પિતાએ બાળકીને હવામાં ઉછાળી અને ઉપર પંખો હોવાને કારણે બાળકીનું માથું પંખાની પાંખમાં આવી જતા નાની માસુમ બાળકીનું મોત થયું છે.


માસુમ બાળકીનું થયું મોત!

મળતી માહિતી અનુસાર આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારની છે. લિંબાયતના ખાનપુરા વિસ્તારમાં મસરૂદ્દીન શાહનો પરિવાર રહે છે. પરિવારમાં ત્રણ પુત્રી છે અને એક પુત્ર છે. પિતા પોતાની બાળકીને રમાડી રહ્યા હતા અને રમાડવા માટે હવામાં ઉછાળી. આ ઘટનાને જોતા લાગી રહ્યું છે કે પિતાને ખબર નહીં હોય. પરંતુ ઉછાળતી વખતે પિતાને ધ્યાન ન રહ્યું કે ઉપર પંખો છે. અને જેવી બાળકીને ઉપર ઉછાડી તો તેનું માથું પંખામાં આવી ગયું. લોહીલુહાણ હાલતમાં બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું અને પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.                 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.