સુરતમાં બાળકીને હવામાં ઉછાળતી વખતે સર્જાઈ દુર્ઘટના! પિતાએ બાળકીને હવામાં ઉછાળતા માથુ પંખામાં અથડતા થયું મોત! વાંચો લાલબત્તિ સમાન કિસ્સો


  • Published By :
  • Published Date : 2023-05-15 11:05:31

નાના બાળકોને અનેક વખત હવામાં ઉછાળવામાં આવતા હોય છે. બાળકોને ઉછાળીને રમાડવામાં આવતા હોય છે પરંતુ સુરતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાળકોને જ્યારે હવામાં ઉછાળીએ તો તેમના ચહેરા પર ખુશી જોવા મળતી હોય છે પરંતુ અનેક વખત આવી રીતે કરવામાં આવ્યો વ્હાલ જીવલેણ સાબિત થઈ શકે છે. તેનું ઉદાહરણ સુરતથી સામે આવ્યું છે. હવામાં એક પિતા પોતાની બાળકીને ઉછાળતા હતા પરંતુ બાળકીનું માથું પંખાની પાંખમાં આવી જતા નાની બાળકીનું મોત નિપજ્યું છે.


પંખાની પાંખમાં માથું આવી જતાં સર્જાઈ દુર્ઘટના!

બાળકોને ખુશ કરવા અલગ અલગ રીતે તેમને લોકો રમાડતા હોય છે. અલગ અલગ પ્રકારની મસ્તી કરવામાં આવતી હોય છે અનેક વખત હવામાં પણ બાળકને આનંદ થાય તે માટે ઉછાળવામાં આવતા હોય છે. પરંતુ સુરતમાં હવામાં ઉછાળાતા બાળકીનો જીવ જતો રહ્યો છે. રમાડવા માટે એક પિતાએ બાળકીને હવામાં ઉછાળી અને ઉપર પંખો હોવાને કારણે બાળકીનું માથું પંખાની પાંખમાં આવી જતા નાની માસુમ બાળકીનું મોત થયું છે.


માસુમ બાળકીનું થયું મોત!

મળતી માહિતી અનુસાર આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારની છે. લિંબાયતના ખાનપુરા વિસ્તારમાં મસરૂદ્દીન શાહનો પરિવાર રહે છે. પરિવારમાં ત્રણ પુત્રી છે અને એક પુત્ર છે. પિતા પોતાની બાળકીને રમાડી રહ્યા હતા અને રમાડવા માટે હવામાં ઉછાળી. આ ઘટનાને જોતા લાગી રહ્યું છે કે પિતાને ખબર નહીં હોય. પરંતુ ઉછાળતી વખતે પિતાને ધ્યાન ન રહ્યું કે ઉપર પંખો છે. અને જેવી બાળકીને ઉપર ઉછાડી તો તેનું માથું પંખામાં આવી ગયું. લોહીલુહાણ હાલતમાં બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું અને પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.                 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે