સુરતમાં બાળકીને હવામાં ઉછાળતી વખતે સર્જાઈ દુર્ઘટના! પિતાએ બાળકીને હવામાં ઉછાળતા માથુ પંખામાં અથડતા થયું મોત! વાંચો લાલબત્તિ સમાન કિસ્સો


  • Published By :
  • Published Date : 2023-05-15 11:05:31

નાના બાળકોને અનેક વખત હવામાં ઉછાળવામાં આવતા હોય છે. બાળકોને ઉછાળીને રમાડવામાં આવતા હોય છે પરંતુ સુરતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાળકોને જ્યારે હવામાં ઉછાળીએ તો તેમના ચહેરા પર ખુશી જોવા મળતી હોય છે પરંતુ અનેક વખત આવી રીતે કરવામાં આવ્યો વ્હાલ જીવલેણ સાબિત થઈ શકે છે. તેનું ઉદાહરણ સુરતથી સામે આવ્યું છે. હવામાં એક પિતા પોતાની બાળકીને ઉછાળતા હતા પરંતુ બાળકીનું માથું પંખાની પાંખમાં આવી જતા નાની બાળકીનું મોત નિપજ્યું છે.


પંખાની પાંખમાં માથું આવી જતાં સર્જાઈ દુર્ઘટના!

બાળકોને ખુશ કરવા અલગ અલગ રીતે તેમને લોકો રમાડતા હોય છે. અલગ અલગ પ્રકારની મસ્તી કરવામાં આવતી હોય છે અનેક વખત હવામાં પણ બાળકને આનંદ થાય તે માટે ઉછાળવામાં આવતા હોય છે. પરંતુ સુરતમાં હવામાં ઉછાળાતા બાળકીનો જીવ જતો રહ્યો છે. રમાડવા માટે એક પિતાએ બાળકીને હવામાં ઉછાળી અને ઉપર પંખો હોવાને કારણે બાળકીનું માથું પંખાની પાંખમાં આવી જતા નાની માસુમ બાળકીનું મોત થયું છે.


માસુમ બાળકીનું થયું મોત!

મળતી માહિતી અનુસાર આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારની છે. લિંબાયતના ખાનપુરા વિસ્તારમાં મસરૂદ્દીન શાહનો પરિવાર રહે છે. પરિવારમાં ત્રણ પુત્રી છે અને એક પુત્ર છે. પિતા પોતાની બાળકીને રમાડી રહ્યા હતા અને રમાડવા માટે હવામાં ઉછાળી. આ ઘટનાને જોતા લાગી રહ્યું છે કે પિતાને ખબર નહીં હોય. પરંતુ ઉછાળતી વખતે પિતાને ધ્યાન ન રહ્યું કે ઉપર પંખો છે. અને જેવી બાળકીને ઉપર ઉછાડી તો તેનું માથું પંખામાં આવી ગયું. લોહીલુહાણ હાલતમાં બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું અને પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.                 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.