સુરતમાં બની કરૂણ ઘટના, બીઆરટીએસ રૂટ ક્રોસ કરતી વખતે એમ્બ્યુલન્સની અડફેટે આવતા વિદ્યાર્થીનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-03-10 16:47:16

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થઈ રહ્યા છે. ત્યારે સુરતમાં એક વિદ્યાર્થીનું મોત એમ્બ્યુલન્સની અડફેટે આવતા થયું છે. ધૂળેટીના દિવસે ફોઈના ઘરેથી પરત કાકાના ઘરે જઈ રહેલા વિદ્યાર્થી અકસ્માતનો શિકાર બન્યો છે. બીઆરટીએસ રોડ ઉપર રઘુકુળ ચોક પાસે એક એમ્બ્યુલન્સની અડફેટે આવી જતા યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. 


વિદ્યાર્થી બન્યો કાળનો કોળિયો 

રાજ્યમાં દિવસ દરમિયાન અનેક અકસ્માત સર્જાતા હોય છે. અકસ્માતને કારણે અનેક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે સુરતથી છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વધુ એક યુવાને એક્સિડન્ટમાં પોતોનો જીવ ગુમાવ્યો છે. હોળી પર્વ દરમિયાન ફોઈને ઘરેથી સરથાણા પરત આવી રહેલા યુવકને અકસ્માત નડ્યો છે. સીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને સીમાડાનાકા બીઆરટીએસ રોડ ઉપર રઘુકુળ ચોક પાસે એક એમ્બ્યુલન્સની અડફેટમાં આવી ગયો હતો. અમદાવાદમાં રહેતો યુવક પરીક્ષા કેન્દ્ર સુરતમાં હોવાને કારણે પોતાના કાકાના ઘરે રહેતો હતો. રોડ ક્રોસ કરતી વખતે બીઆરટીએસ રૂટમાં ચાલતી એમ્બ્યુલેન્સની સાથે તેની ટક્કર થઈ અને ગંભીર ઈજાઓ પહોંચતા તે મોતને ભેટ્યો.


સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય કે અથવા તો કોઈ ઈમરજન્સી હોય ત્યારે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી હોસ્પિટલ પહોંચવામાં આવે છે. એવા અનેક કિસ્સાઓ હશે જેમાં એમ્બ્યુલન્સને કારણે લોકોનો જીવ બચ્યો હશે ત્યારે આ વખતની દુર્ઘટનામાં એમ્બ્યુલન્સ જ વિદ્યાર્થી માટે યમદૂત બની ગઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થી રોડ ક્રોસ કરવા જઈ રહ્યો હતો અને આ દરમિયાન પૂર ઝડપે એક એમ્બ્ચુલન્સ ત્યાંથી પસાર થઈ હતી. એમ્બ્યુલન્સની ટક્કર વાગવાથી યુવક ફંગોળાઈ ગયો. માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મોત થઈ ગયું હતું. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.      




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.