Bhavnagarમાં સર્જાયા કરૂણ દ્રશ્યો જ્યારે એક સાથે ઉઠી 10 લોકોની અર્થી, મૃતકોને અંતિમ વિદાય આપવા ઉમટી જનમેદની


  • Published By :
  • Published Date : 2023-09-14 17:22:07

ગઈકાલે રાજસ્થાનમાં એક ભીષણ રોડ અકસ્માત થયો હતો. મથુરા જવા માટે ચાર દિવસ પહેલા યાત્રાળુઓએ યાત્રા શરૂ કરી હતી. યાત્રાધામ માટે નીકળેલા યાત્રાળુઓને ક્યાં ખબર હતી કે આ યાત્રા તેમની અંતિમ યાત્રા બની જશે. ગઈકાલે થયેલા ભીષણ રોડ અકસ્માતમાં ભાવનગરના તળાજાના શિહોર ગામમાં રહેતા 12 લોકોના મોત થઈ ગયા હતા. એ ભીષણ રોડ અકસ્માતમાં 12 લોકોનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 

 આપને જણાવીએ કે, રાજસ્થાનના જયપુર નેશનલ હાઇવે પર ભાવનગરથી મથુરા જતી ખાનગી બસને પાછળથી ટક્કર વાગી હતી. જેમાં 12 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં બચેલા મુસાફરોને બુધવારે દિહોર પાછા મોકલવામાં આવ્યા હતા.

એક સાથે નીકળી 10 લોકોની અંતિમ યાત્રા 

ઘટનાની જાણ થતાં ગામમાં માતમ છવાઈ ગયો હતો. એક સાથે 10 લોકોના મોતના સમાચાર સાંભળવા કોઈના માટે પણ સહેલા નથી હોતા. લોકો પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. ત્યારે એમ્બ્યુલન્સના માધ્યમથી તમામ લોકોના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે ગુજરાત તેમના વતન લાવવામાં આવ્યા હતા. જ્યારે મૃતદેહનો ગામમાં લવાઈ રહ્યા હતા ત્યારે જે દ્રશ્યો સર્જાયા તે આપણાં રૂંવાડા ઉભા કરી દે તેવા છે. એક સાથે જ્યારે 10 અર્થી ઉઠે ત્યારે જે દિલમાં લાગણી ઉઠે તે કદાચ શબ્દોમાં વર્ણવી શકાય તેવી હોતી નથી. 



કોણ કોના આંસુ લૂછે.....

મૃતકોને જ્યારે અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે તેમની અંતિમ યાત્રામાં અંદાજીત 10 હજાર જેટલા લોકો જોડાયા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. અનેક બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. કોણ કોના આંસુ લૂછે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ અકસ્માતમાં દિહોર ગામના 10 લોકોના મોત થઈ ગયા હતા. માદરે વતન મૃતદેહોને લવાયા હતા અને ત્યાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. 

 આ ગોઝારો અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હંત્રા ગામ પાસે થયો છે. ઈજાગ્રસ્તોને હાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ બસમાં તમામ મુસાફરો ભાવનગરના હતા. આ લોકો મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન જયપુર નેશનલ હાઇવે પર બસની ડિઝલ પાઇપ ફાટી ગઇ હતી. જેના કારણે બસ ખરાબ થઇ ગઇ હતી અને રસ્તામાં જ રોકીને રિપેર કરાવવામાં આવી હતી.

કેવી રીતે સર્જાઈ હતી દુર્ઘટના?

આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની વાત કરીએ તો ગઈકાલે સવારે રાજસ્થાનના ભરતપુર-આગ્રા હાઈવે પર ભીષણ રોડ અકસ્માત સર્જાયો હતો. જે બસમાં યાત્રીકો યાત્રા માટે નીકળ્યા હતા તે બસની ડીઝલની પાઈપ અચાનક ફાટી ગઈ હતી. બસને રિપેર કરવા માટે સાઈડમાં ઉભી રાખવામાં આવી હતી. યાત્રીકો બસ રિપેરિંગ થાય તેની રાહ રસ્તા પર સાઈડમાં ઉભા થઈને જોઈ રહ્યા હતા તે સમયે ટ્રક ત્યાં આવી અને તેમને અડફેટે લઈ લીધા હતા. આખા રસ્તા પર લાશોના ઢગલા જોવા મળ્યા હતા.રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે આજે મૃતદેહોને માદરે વતન લવાયા હતા ત્યારે ગમગીન કરી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રીએ આ ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો હતો.  

 આ બસના અનેક મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ લોકો બસ રિપેર થતી હતી તેની સામેની બાજુ બેઠા હતા અને બસ બરાબર થઇ જાય તેની રાહ જોતા હતા. હાલ આ ગોઝારો અકસ્માત સર્જનાર ટ્રેલરનો ડ્રાઇવર ફરાર છે. પોલીસ આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.