ઓડિશામાં ફરી ટ્રેન પાટા પરથી ઉતરી! બરગઢમાં માલગાડીના પાંચ ડબ્બા ઉતરી જતા સર્જાઈ દુર્ઘટના!


  • Published By :
  • Published Date : 2023-06-05 12:59:35

શુક્રવાર સાંજે ઓડિશામાં ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થઈ ગયા હતા. આ દુર્ઘટનાથી હજી લોકો બહાર નથી આવી શક્યા તો ફરી એક ટ્રેન દુર્ઘટના ઓડિશામાં ફરી સર્જાઈ છે. પથ્થરને લઈ જઈ રહેલી માલગાડીના અનેક ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર નથી મળી રહ્યા. બારગઢ જિલ્લાના મેંધાપાલી પાસે આ ઘટના સર્જાઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે.

   

પાંચ ડબ્બા રેલવે ટ્રેક પરથી ઉતરી ગયા!    

ઓડિશામાં આજે ફરી એક રેલ દુર્ઘટના સર્જાઈ છે. આજે જે રેલ દુર્ઘટના સર્જાઈ છે તેમાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર મળ્યા નથી. ઓડિશાના બારગઢમાં માલગાડીના પાંચ ડબ્બા રેલવે ટ્રેક પરથી ઉતરી ગયા હતા. જે માલગાડી સાથે દુર્ઘટના સર્જાઈ છે તે બરગઢ જિલ્લામાં સર્જાઈ છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 


ફેક્ટરી પરિસરમાં સર્જાઈ દુર્ઘટના!

આ મામલે ઈસ્ટ રેલ્વે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેમાં કહેવાયું છે કે ઓડિશાના બરગઢ જિલ્લાના મેંધાપાલી નજીક ફેક્ટરી પરિસરમાં ખાનગી સિમેન્ટ ફેક્ટરી દ્વારા સંચાલિત માલસામાન ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ મામલે રેલવેની કોઈ ભૂમિકા નથી. આ સંપૂર્ણપણે ખાનગી સિમેન્ટ કંપનીનું નેરેગેજ સાઈડિંગ છે. તમામ માળખાકીય સુવિધાઓ કંપની દ્વારા જાળવવામાં આવી રહી છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.