ઓડિશામાં ફરી ટ્રેન પાટા પરથી ઉતરી! બરગઢમાં માલગાડીના પાંચ ડબ્બા ઉતરી જતા સર્જાઈ દુર્ઘટના!


  • Published By :
  • Published Date : 2023-06-05 12:59:35

શુક્રવાર સાંજે ઓડિશામાં ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થઈ ગયા હતા. આ દુર્ઘટનાથી હજી લોકો બહાર નથી આવી શક્યા તો ફરી એક ટ્રેન દુર્ઘટના ઓડિશામાં ફરી સર્જાઈ છે. પથ્થરને લઈ જઈ રહેલી માલગાડીના અનેક ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર નથી મળી રહ્યા. બારગઢ જિલ્લાના મેંધાપાલી પાસે આ ઘટના સર્જાઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે.

   

પાંચ ડબ્બા રેલવે ટ્રેક પરથી ઉતરી ગયા!    

ઓડિશામાં આજે ફરી એક રેલ દુર્ઘટના સર્જાઈ છે. આજે જે રેલ દુર્ઘટના સર્જાઈ છે તેમાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર મળ્યા નથી. ઓડિશાના બારગઢમાં માલગાડીના પાંચ ડબ્બા રેલવે ટ્રેક પરથી ઉતરી ગયા હતા. જે માલગાડી સાથે દુર્ઘટના સર્જાઈ છે તે બરગઢ જિલ્લામાં સર્જાઈ છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 


ફેક્ટરી પરિસરમાં સર્જાઈ દુર્ઘટના!

આ મામલે ઈસ્ટ રેલ્વે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેમાં કહેવાયું છે કે ઓડિશાના બરગઢ જિલ્લાના મેંધાપાલી નજીક ફેક્ટરી પરિસરમાં ખાનગી સિમેન્ટ ફેક્ટરી દ્વારા સંચાલિત માલસામાન ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ મામલે રેલવેની કોઈ ભૂમિકા નથી. આ સંપૂર્ણપણે ખાનગી સિમેન્ટ કંપનીનું નેરેગેજ સાઈડિંગ છે. તમામ માળખાકીય સુવિધાઓ કંપની દ્વારા જાળવવામાં આવી રહી છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.