ઓડિશામાં ફરી ટ્રેન પાટા પરથી ઉતરી! બરગઢમાં માલગાડીના પાંચ ડબ્બા ઉતરી જતા સર્જાઈ દુર્ઘટના!


  • Published By :
  • Published Date : 2023-06-05 12:59:35

શુક્રવાર સાંજે ઓડિશામાં ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થઈ ગયા હતા. આ દુર્ઘટનાથી હજી લોકો બહાર નથી આવી શક્યા તો ફરી એક ટ્રેન દુર્ઘટના ઓડિશામાં ફરી સર્જાઈ છે. પથ્થરને લઈ જઈ રહેલી માલગાડીના અનેક ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર નથી મળી રહ્યા. બારગઢ જિલ્લાના મેંધાપાલી પાસે આ ઘટના સર્જાઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે.

   

પાંચ ડબ્બા રેલવે ટ્રેક પરથી ઉતરી ગયા!    

ઓડિશામાં આજે ફરી એક રેલ દુર્ઘટના સર્જાઈ છે. આજે જે રેલ દુર્ઘટના સર્જાઈ છે તેમાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર મળ્યા નથી. ઓડિશાના બારગઢમાં માલગાડીના પાંચ ડબ્બા રેલવે ટ્રેક પરથી ઉતરી ગયા હતા. જે માલગાડી સાથે દુર્ઘટના સર્જાઈ છે તે બરગઢ જિલ્લામાં સર્જાઈ છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 


ફેક્ટરી પરિસરમાં સર્જાઈ દુર્ઘટના!

આ મામલે ઈસ્ટ રેલ્વે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેમાં કહેવાયું છે કે ઓડિશાના બરગઢ જિલ્લાના મેંધાપાલી નજીક ફેક્ટરી પરિસરમાં ખાનગી સિમેન્ટ ફેક્ટરી દ્વારા સંચાલિત માલસામાન ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ મામલે રેલવેની કોઈ ભૂમિકા નથી. આ સંપૂર્ણપણે ખાનગી સિમેન્ટ કંપનીનું નેરેગેજ સાઈડિંગ છે. તમામ માળખાકીય સુવિધાઓ કંપની દ્વારા જાળવવામાં આવી રહી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.