9 દિવસમાં જ બ્રિજશ મેરજાના પિતરાઈ IAS ભાઈની બદલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 20:02:56

ગુજરાત સરકારે હમણાં નવ દિવસ પહેલાં જ 23 IAS કક્ષાના અધિકારીઓની બદલી કરી હતી. જેમાં બ્રિજેશ મેરજાના પિતરાઈ ભાઈ રમેશ મેરજાને ભાવનગરના કલેક્ટર બનાવાયા હતા. આજે તેમની બદલીના સમાચાર સામે આવ્યા છે. 


રમેશ મેરજાની 9 દિવસમાં બદલી 

ભાવનગરના કલેક્ટર રમેશ મેરજાની માત્ર 9 દિવસની અંદર જ બદલી કરવામાં આવી છે. ચૂંટણી પહેલા 12 ઓક્ટોબરે 23 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં IAS રમેશ મેરજાની પણ બદલી કરવામાં આવી હતી. જ્યારે આજે સમાચાર સામે આવ્યા છે કે તેમને ફરીથી અમદાવાદના ડેપ્યુટી કમિશનર તરીકે નિમવામાં આવ્યા છે. 


IAS ડીકે પારેખ ભાવનગરના નવા કલેક્ટર

રમેશ રાજાની જગ્યા ખાલી થતાં જ IAS ડીકે પરીખને ભાવનગરના નવા કલેક્ટર તરીકે નિમણૂક આપી દેવામાં આવી છે. IAS ડીકે પરીખ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીના એમડી પદે સેવા આપી, હવે તેઓ ભાવનગરના કલેક્ટર તરીકે સેવા આપશે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી