9 દિવસમાં જ બ્રિજશ મેરજાના પિતરાઈ IAS ભાઈની બદલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 20:02:56

ગુજરાત સરકારે હમણાં નવ દિવસ પહેલાં જ 23 IAS કક્ષાના અધિકારીઓની બદલી કરી હતી. જેમાં બ્રિજેશ મેરજાના પિતરાઈ ભાઈ રમેશ મેરજાને ભાવનગરના કલેક્ટર બનાવાયા હતા. આજે તેમની બદલીના સમાચાર સામે આવ્યા છે. 


રમેશ મેરજાની 9 દિવસમાં બદલી 

ભાવનગરના કલેક્ટર રમેશ મેરજાની માત્ર 9 દિવસની અંદર જ બદલી કરવામાં આવી છે. ચૂંટણી પહેલા 12 ઓક્ટોબરે 23 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં IAS રમેશ મેરજાની પણ બદલી કરવામાં આવી હતી. જ્યારે આજે સમાચાર સામે આવ્યા છે કે તેમને ફરીથી અમદાવાદના ડેપ્યુટી કમિશનર તરીકે નિમવામાં આવ્યા છે. 


IAS ડીકે પારેખ ભાવનગરના નવા કલેક્ટર

રમેશ રાજાની જગ્યા ખાલી થતાં જ IAS ડીકે પરીખને ભાવનગરના નવા કલેક્ટર તરીકે નિમણૂક આપી દેવામાં આવી છે. IAS ડીકે પરીખ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીના એમડી પદે સેવા આપી, હવે તેઓ ભાવનગરના કલેક્ટર તરીકે સેવા આપશે.  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"