9 દિવસમાં જ બ્રિજશ મેરજાના પિતરાઈ IAS ભાઈની બદલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 20:02:56

ગુજરાત સરકારે હમણાં નવ દિવસ પહેલાં જ 23 IAS કક્ષાના અધિકારીઓની બદલી કરી હતી. જેમાં બ્રિજેશ મેરજાના પિતરાઈ ભાઈ રમેશ મેરજાને ભાવનગરના કલેક્ટર બનાવાયા હતા. આજે તેમની બદલીના સમાચાર સામે આવ્યા છે. 


રમેશ મેરજાની 9 દિવસમાં બદલી 

ભાવનગરના કલેક્ટર રમેશ મેરજાની માત્ર 9 દિવસની અંદર જ બદલી કરવામાં આવી છે. ચૂંટણી પહેલા 12 ઓક્ટોબરે 23 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં IAS રમેશ મેરજાની પણ બદલી કરવામાં આવી હતી. જ્યારે આજે સમાચાર સામે આવ્યા છે કે તેમને ફરીથી અમદાવાદના ડેપ્યુટી કમિશનર તરીકે નિમવામાં આવ્યા છે. 


IAS ડીકે પારેખ ભાવનગરના નવા કલેક્ટર

રમેશ રાજાની જગ્યા ખાલી થતાં જ IAS ડીકે પરીખને ભાવનગરના નવા કલેક્ટર તરીકે નિમણૂક આપી દેવામાં આવી છે. IAS ડીકે પરીખ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીના એમડી પદે સેવા આપી, હવે તેઓ ભાવનગરના કલેક્ટર તરીકે સેવા આપશે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.