રાજ્યમાં ઠેર-ઠેર TRB જવાનો કરી રહ્યા છે વિરોધ, Ahmedabadમાં મોટી સંખ્યામાં એકત્ર થયા જવાન


  • Published By :
  • Published Date : 2023-11-22 16:59:26

એક તરફ લોકો રોજગાર માટે તરસી રહ્યા છે તો બીજી તરફ  હજારો ટીઆરબી જવાનોની હકાલપટ્ટી કરવામાં આવી છે. રાજ્યમાં બેરોજગારીની સમસ્યા વિકરાળ બની છે, રાજ્યના ભણેલા-ગણેલા યુવાનોને પણ નોકરી મેળવવી લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ બન્યું છે. હવે આવી વિકટ પરિસ્થિતીમાં TRB જવાનોને લઈ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 9 હજારમાંથી 6300 જેટલા TRB જવાનોને ક્રમશઃ ફરજમુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણયનો વિરોધ ટીઆરબી જવાનો કરી રહ્યા છે. અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં ટીઆરબી જવાનો ભેગા થયા હતા અને તેમણે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે,માગ કરી છે કે સરકાર બહાર પાડવામાં આવેલા પરિપત્રને પાછો ખેંચવામાં આવે. તે ઉપરાંત સુરતમાં પણ ટીઆરબી જવાનોને વિરોધ કર્યો હતો. 

અમદાવાદ ખાતે ટીઆરબી જવાનોએ કર્યો વિરોધ પ્રદર્શન 

થોડા સમય પહેલા રાજ્ય પોલીસ વડાના એક આદેશથી પોલીસ જગતમાં ચકચાર મચી ગયો હતો. રાજ્યના 9000 પૈકી 6400 ટીઆરબી જવાનોને છુટ્ટા કરવાનો આદેશ આપવામાં આવતા ટીઆરબી જવાનો રોષે ભરાયા હતા. વર્ષોથી એક જ જગ્યામાં ફરજ બજાવવી વહીવટી અનુકૂળતા માટે યોગ્ય ન હોવાના કારણે નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી હતી. આ નિર્ણયને કારણે અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા હતા. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો પરિપત્ર પરત ખેંચવામાં આવે તેવી જવાનોની માગ હતી. આ માગ સાથે અમદાવાદ ખાતે ટીઆરબી જવાનો એકત્ર થયા હતા અને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. 


આ સમાચાર સામે આવતા ટીઆરબી જવાનોમાં હતો ભારે રોષ  

રોજીરોટી છીનવાઈ જશે તેનો ડર ટીઆરબી જવાનોને લાગી રહ્યો છે. આ નિર્ણયને કારણે ટીઆરબી જવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વધુ આંદોલન શરૂ થઈ શકે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજે આવેદનપત્ર પાઠવી ટીઆરબી જવાનોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.