રાજ્યમાં ઠેર-ઠેર TRB જવાનો કરી રહ્યા છે વિરોધ, Ahmedabadમાં મોટી સંખ્યામાં એકત્ર થયા જવાન


  • Published By :
  • Published Date : 2023-11-22 16:59:26

એક તરફ લોકો રોજગાર માટે તરસી રહ્યા છે તો બીજી તરફ  હજારો ટીઆરબી જવાનોની હકાલપટ્ટી કરવામાં આવી છે. રાજ્યમાં બેરોજગારીની સમસ્યા વિકરાળ બની છે, રાજ્યના ભણેલા-ગણેલા યુવાનોને પણ નોકરી મેળવવી લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ બન્યું છે. હવે આવી વિકટ પરિસ્થિતીમાં TRB જવાનોને લઈ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 9 હજારમાંથી 6300 જેટલા TRB જવાનોને ક્રમશઃ ફરજમુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણયનો વિરોધ ટીઆરબી જવાનો કરી રહ્યા છે. અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં ટીઆરબી જવાનો ભેગા થયા હતા અને તેમણે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે,માગ કરી છે કે સરકાર બહાર પાડવામાં આવેલા પરિપત્રને પાછો ખેંચવામાં આવે. તે ઉપરાંત સુરતમાં પણ ટીઆરબી જવાનોને વિરોધ કર્યો હતો. 

અમદાવાદ ખાતે ટીઆરબી જવાનોએ કર્યો વિરોધ પ્રદર્શન 

થોડા સમય પહેલા રાજ્ય પોલીસ વડાના એક આદેશથી પોલીસ જગતમાં ચકચાર મચી ગયો હતો. રાજ્યના 9000 પૈકી 6400 ટીઆરબી જવાનોને છુટ્ટા કરવાનો આદેશ આપવામાં આવતા ટીઆરબી જવાનો રોષે ભરાયા હતા. વર્ષોથી એક જ જગ્યામાં ફરજ બજાવવી વહીવટી અનુકૂળતા માટે યોગ્ય ન હોવાના કારણે નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી હતી. આ નિર્ણયને કારણે અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા હતા. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો પરિપત્ર પરત ખેંચવામાં આવે તેવી જવાનોની માગ હતી. આ માગ સાથે અમદાવાદ ખાતે ટીઆરબી જવાનો એકત્ર થયા હતા અને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. 


આ સમાચાર સામે આવતા ટીઆરબી જવાનોમાં હતો ભારે રોષ  

રોજીરોટી છીનવાઈ જશે તેનો ડર ટીઆરબી જવાનોને લાગી રહ્યો છે. આ નિર્ણયને કારણે ટીઆરબી જવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વધુ આંદોલન શરૂ થઈ શકે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજે આવેદનપત્ર પાઠવી ટીઆરબી જવાનોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી