રાજ્યમાં ઠેર-ઠેર TRB જવાનો કરી રહ્યા છે વિરોધ, Ahmedabadમાં મોટી સંખ્યામાં એકત્ર થયા જવાન


  • Published By :
  • Published Date : 2023-11-22 16:59:26

એક તરફ લોકો રોજગાર માટે તરસી રહ્યા છે તો બીજી તરફ  હજારો ટીઆરબી જવાનોની હકાલપટ્ટી કરવામાં આવી છે. રાજ્યમાં બેરોજગારીની સમસ્યા વિકરાળ બની છે, રાજ્યના ભણેલા-ગણેલા યુવાનોને પણ નોકરી મેળવવી લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ બન્યું છે. હવે આવી વિકટ પરિસ્થિતીમાં TRB જવાનોને લઈ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 9 હજારમાંથી 6300 જેટલા TRB જવાનોને ક્રમશઃ ફરજમુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણયનો વિરોધ ટીઆરબી જવાનો કરી રહ્યા છે. અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં ટીઆરબી જવાનો ભેગા થયા હતા અને તેમણે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે,માગ કરી છે કે સરકાર બહાર પાડવામાં આવેલા પરિપત્રને પાછો ખેંચવામાં આવે. તે ઉપરાંત સુરતમાં પણ ટીઆરબી જવાનોને વિરોધ કર્યો હતો. 

અમદાવાદ ખાતે ટીઆરબી જવાનોએ કર્યો વિરોધ પ્રદર્શન 

થોડા સમય પહેલા રાજ્ય પોલીસ વડાના એક આદેશથી પોલીસ જગતમાં ચકચાર મચી ગયો હતો. રાજ્યના 9000 પૈકી 6400 ટીઆરબી જવાનોને છુટ્ટા કરવાનો આદેશ આપવામાં આવતા ટીઆરબી જવાનો રોષે ભરાયા હતા. વર્ષોથી એક જ જગ્યામાં ફરજ બજાવવી વહીવટી અનુકૂળતા માટે યોગ્ય ન હોવાના કારણે નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી હતી. આ નિર્ણયને કારણે અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા હતા. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો પરિપત્ર પરત ખેંચવામાં આવે તેવી જવાનોની માગ હતી. આ માગ સાથે અમદાવાદ ખાતે ટીઆરબી જવાનો એકત્ર થયા હતા અને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. 


આ સમાચાર સામે આવતા ટીઆરબી જવાનોમાં હતો ભારે રોષ  

રોજીરોટી છીનવાઈ જશે તેનો ડર ટીઆરબી જવાનોને લાગી રહ્યો છે. આ નિર્ણયને કારણે ટીઆરબી જવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વધુ આંદોલન શરૂ થઈ શકે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજે આવેદનપત્ર પાઠવી ટીઆરબી જવાનોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.