તૃણમૂલ કોંગ્રેસનું ટ્વિટર અકાઉન્ટ થયું હેક, હેકરે ટ્વિટર અકાઉન્ટનું નામ અને પ્રોફાઈલ પિક્ચર બદલ્યું


  • Published By :
  • Published Date : 2023-02-28 12:42:16

મંગળવારે તૃણુમુલ કોંગ્રેસનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. હેક થયા બાદ ટીએમસીના ટ્વિટર અકાઉન્ટનું પ્રોફાઈલ પિક્ચર અને નામ બદલી દેવામાં આવ્યું હતું. ટ્વિટર અકાઉન્ટનું નામ બદલીને યુગ લૈબ્સ કરી દેવાયું હતું. યુગ લૈબ્સ અમેરિકા સ્થિત એક ટેક્નોલોજી કંપની છે.



અનેક પાર્ટીના ટ્વિટર અકાઉન્ટ થયા છે હેક 

હાલ ટેક્નોલોજીનો જમાનો છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ટેક્નોલોજી આશીર્વાદરૂપ છે પરંતુ જો ટેક્નોલોજીનો દુરૂપયોગ કરવામાં આવે તે તેના અનેક પરિણામ ખરાબ આવી શકે છે. અનેક વખત અનેક પાર્ટીઓના ટ્વિટર હેન્ડલ હેક થઈ ગયા છે ત્યારે ટીએમસીનું ટ્વિટર અકાઉન્ટ હેક થઈ ગયું છે. હેકરે નામ બદલીને યુગ લૈબ્સ કરી દીધું હતું. તે પહેલા 10 ડિસેમ્બરના રોજ વાયએસઆર કોંગ્રેસનું નામ ટ્વિટર અકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. ક્રિપ્ટો કરન્સીની તરફેણમાં હેક થયા બાદ ટ્વિટ કરવામાં આવ્યું છે. તે સિવાય એપ્રિલ 2022માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયનું સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.      



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.