તૃણમૂલ કોંગ્રેસનું ટ્વિટર અકાઉન્ટ થયું હેક, હેકરે ટ્વિટર અકાઉન્ટનું નામ અને પ્રોફાઈલ પિક્ચર બદલ્યું


  • Published By :
  • Published Date : 2023-02-28 12:42:16

મંગળવારે તૃણુમુલ કોંગ્રેસનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. હેક થયા બાદ ટીએમસીના ટ્વિટર અકાઉન્ટનું પ્રોફાઈલ પિક્ચર અને નામ બદલી દેવામાં આવ્યું હતું. ટ્વિટર અકાઉન્ટનું નામ બદલીને યુગ લૈબ્સ કરી દેવાયું હતું. યુગ લૈબ્સ અમેરિકા સ્થિત એક ટેક્નોલોજી કંપની છે.



અનેક પાર્ટીના ટ્વિટર અકાઉન્ટ થયા છે હેક 

હાલ ટેક્નોલોજીનો જમાનો છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ટેક્નોલોજી આશીર્વાદરૂપ છે પરંતુ જો ટેક્નોલોજીનો દુરૂપયોગ કરવામાં આવે તે તેના અનેક પરિણામ ખરાબ આવી શકે છે. અનેક વખત અનેક પાર્ટીઓના ટ્વિટર હેન્ડલ હેક થઈ ગયા છે ત્યારે ટીએમસીનું ટ્વિટર અકાઉન્ટ હેક થઈ ગયું છે. હેકરે નામ બદલીને યુગ લૈબ્સ કરી દીધું હતું. તે પહેલા 10 ડિસેમ્બરના રોજ વાયએસઆર કોંગ્રેસનું નામ ટ્વિટર અકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. ક્રિપ્ટો કરન્સીની તરફેણમાં હેક થયા બાદ ટ્વિટ કરવામાં આવ્યું છે. તે સિવાય એપ્રિલ 2022માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયનું સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.