તૃણમૂલ કોંગ્રેસનું ટ્વિટર અકાઉન્ટ થયું હેક, હેકરે ટ્વિટર અકાઉન્ટનું નામ અને પ્રોફાઈલ પિક્ચર બદલ્યું


  • Published By :
  • Published Date : 2023-02-28 12:42:16

મંગળવારે તૃણુમુલ કોંગ્રેસનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. હેક થયા બાદ ટીએમસીના ટ્વિટર અકાઉન્ટનું પ્રોફાઈલ પિક્ચર અને નામ બદલી દેવામાં આવ્યું હતું. ટ્વિટર અકાઉન્ટનું નામ બદલીને યુગ લૈબ્સ કરી દેવાયું હતું. યુગ લૈબ્સ અમેરિકા સ્થિત એક ટેક્નોલોજી કંપની છે.



અનેક પાર્ટીના ટ્વિટર અકાઉન્ટ થયા છે હેક 

હાલ ટેક્નોલોજીનો જમાનો છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ટેક્નોલોજી આશીર્વાદરૂપ છે પરંતુ જો ટેક્નોલોજીનો દુરૂપયોગ કરવામાં આવે તે તેના અનેક પરિણામ ખરાબ આવી શકે છે. અનેક વખત અનેક પાર્ટીઓના ટ્વિટર હેન્ડલ હેક થઈ ગયા છે ત્યારે ટીએમસીનું ટ્વિટર અકાઉન્ટ હેક થઈ ગયું છે. હેકરે નામ બદલીને યુગ લૈબ્સ કરી દીધું હતું. તે પહેલા 10 ડિસેમ્બરના રોજ વાયએસઆર કોંગ્રેસનું નામ ટ્વિટર અકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. ક્રિપ્ટો કરન્સીની તરફેણમાં હેક થયા બાદ ટ્વિટ કરવામાં આવ્યું છે. તે સિવાય એપ્રિલ 2022માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયનું સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે