તૃણમૂલ કોંગ્રેસનું ટ્વિટર અકાઉન્ટ થયું હેક, હેકરે ટ્વિટર અકાઉન્ટનું નામ અને પ્રોફાઈલ પિક્ચર બદલ્યું


  • Published By :
  • Published Date : 2023-02-28 12:42:16

મંગળવારે તૃણુમુલ કોંગ્રેસનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. હેક થયા બાદ ટીએમસીના ટ્વિટર અકાઉન્ટનું પ્રોફાઈલ પિક્ચર અને નામ બદલી દેવામાં આવ્યું હતું. ટ્વિટર અકાઉન્ટનું નામ બદલીને યુગ લૈબ્સ કરી દેવાયું હતું. યુગ લૈબ્સ અમેરિકા સ્થિત એક ટેક્નોલોજી કંપની છે.



અનેક પાર્ટીના ટ્વિટર અકાઉન્ટ થયા છે હેક 

હાલ ટેક્નોલોજીનો જમાનો છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ટેક્નોલોજી આશીર્વાદરૂપ છે પરંતુ જો ટેક્નોલોજીનો દુરૂપયોગ કરવામાં આવે તે તેના અનેક પરિણામ ખરાબ આવી શકે છે. અનેક વખત અનેક પાર્ટીઓના ટ્વિટર હેન્ડલ હેક થઈ ગયા છે ત્યારે ટીએમસીનું ટ્વિટર અકાઉન્ટ હેક થઈ ગયું છે. હેકરે નામ બદલીને યુગ લૈબ્સ કરી દીધું હતું. તે પહેલા 10 ડિસેમ્બરના રોજ વાયએસઆર કોંગ્રેસનું નામ ટ્વિટર અકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. ક્રિપ્ટો કરન્સીની તરફેણમાં હેક થયા બાદ ટ્વિટ કરવામાં આવ્યું છે. તે સિવાય એપ્રિલ 2022માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયનું સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.      



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.