Gujaratમાં ઠેર-ઠેર ટ્રક ડાઈવરો કરી રહ્યા છે Hit And Runનવા કાયદાનો વિરોધ, હાઈવે પર કર્યો ચક્કાજામ, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-01-01 12:36:10

અકસ્માતોની સંખ્યામાં વધારો સતત થઈ રહ્યો છે. અનેક હિટ એન્ડ રનની ઘટના બને છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. અકસ્માત સર્જ્યા બાદ અનેક ડ્રાઈવરો એવા હોય છે જેઓ અકસ્માત બાદ ફરાર થઈ જતા હોય છે. રસ્તા પર માણસને મરવા છોડી દેતા હોય છે. ત્યારે હિટ એન્ડ રનને લઈ નવો કાયદો બનાવવામાં આવ્યો છે જેનો વિરોધ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કરવામાં આવી રહ્યો છે. ભારતીય ન્યાયિક સંહિતા 2023માં સુધારો કરવામાં આવ્યો તે પછી, હિટ એન્ડ રન કેસમાં દોષિત ડ્રાઈવરને 7 લાખ રૂપિયા સુધીના દંડ અને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. આ નિયમનો વિરોધ ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ સ્થળો પર ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં મહેસાણાથી લઇને રાજકોટ, સુરતથી લઇને ગીર અમદાવાદ, સોમનાથ અને ભરૂચ સહિતના ટ્રક ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા છે. 

ટ્રક ચાલકોએ રાજકોટ-અમદાવાદ હાઇવે બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો.

નવા કાયદનો ઠેર-ઠેર થઈ રહ્યા છે વિરોધ પ્રદર્શન 

હિટ એન્ડ રનની ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે. અનેક પરિવારોએ પોતાના પરિવારજનોને આવા અકસ્માતમાં ગુમાવ્યા હશે. હિટ એન્ડ રનના મુખ્યત્વે કેસોમાં અકસ્માત સર્જનાર ડ્રાઈવર ઘટનાસ્થળ પરથી ફરાર થઈ જતો હોય છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલ પણ નથી પહોંચાડવામાં આવતો જેને કારણે તેનું મોત થઈ જાય છે અનેક કિસ્સાઓમાં. હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ટ્રાન્સપોર્ટરો અને ટ્રક ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. ત્યારે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસએ હિટ એન્ડ રન કાયદાને વધુ કડક બનાવવાનો વિરોધ કર્યો છે. રાજ્યમાં ઠેર ઠેર આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.        

Mehsana And Bharuch News: more than five km long chakka jam over the hit and run new rule, local news, gujarat news Driver Strike: રાજ્યમાં થંભી ગયા ટ્રકોના પૈડા, હજારો ડ્રાઇવરો હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં રૉડ પર ઉતર્યા

શનિવારે પણ ડ્રાઈવરો દ્વારા કરાયો હતો વિરોધ 

હિટ એન્ડ રન કેસમાં દોષિત ડ્રાઈવરને 7 લાખ રૂપિયા સુધીના દંડ અને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. આ નિયમનો વિરોધ ડ્રાઈવરો કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ સ્થળો પર ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. શનિવારે પણ વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે આજે પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે. એસટી બસમાં તોડફોડ કરવામાં આવી છે. ટ્રક ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોએ શનિવારે 30 ડિસેમ્બરે જયપુર, મેરઠ, આગ્રા એક્સપ્રેસ વે સહિત ઘણા હાઈવે પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 


એસટી બસ પર કરાયો હતો હુમલો  

દેશના અનેક રાજ્યોમાં આ નવા નિયમનો વિરોધ ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં પણ આ વિરોધ શરૂ થઈ ગયો છે. ટ્રક ચાલકોએ રાજકોટ-અમદાવાદ હાઇવે બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાઈવે બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. આ દરમિયાન ભીડમાંથી કેટલાક લોકોએ બસની બારીના કાચ તોડી નાખ્યા હતા. તે ઉપરાંત બાલાસિનોર અમદાવાદ હાઇવે ચક્કા જામ કર્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ કાયદામાં વાહન અકસ્માતના ગુનામાં માલવાહક વાહનના ડ્રાઈવરને અકસ્માતના કિસ્સામાં 10 વર્ષ સુધીની જેલ તેમજ ફરીથી વાહનચાલકને લાઈસન્સ મળે જ નહીં તેવી જોગવાઈઓ છે. જેની સામે ટ્રકચાલકોમાં ઉગ્ર રોષ છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.