તુનિષા શર્માની માતાએ શીઝાન ખાન પર લગાવ્યા ગંભીર આરોપ


  • Published By :
  • Published Date : 2022-12-26 16:06:26

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ સીરિયલના સેટ પર ગળે ફાંસો લઈ આત્મહત્યા કરી લીધી હતી. 24 ડિસેમ્બરના રોજ એક્ટ્રેસે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસે અલીબાબા સિરીયલમાં ટીવી કલાકાર સાથે કામ કરતા શીઝાન ખાનની ધરપકડ કરી લીધી છે. આ બધા વચ્ચે તુનિષા શર્માની માતાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ શીઝાન વિશે ઘણું બધું કહેતા નજરે પડી રહ્યા છે. 


શૉકિંગ! 20 વર્ષની ઉંમરમાં પ્રેગનેન્ટ થઇ ગઇ હતી તુનિષા શર્મા - Tunisha Sharma  Pregnant – News18 Gujarati


શીઝાન ખાન છે પોલીસ કસ્ટડીમાં 

ટીવી ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ત્યારે 24 ડિસેમ્બરના રોજ સોની સબ પર આવતી અલીબાબા સિરીયલમાં મુખ્ય ભૂમિકા ભજવનાર તુનિષા શર્માએ સિરીયલના સેટ પર જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ સમાાચાર સાંભળતા જ તેમના ચાહકો દુખી થઈ ગયા હતા. પોલીસે કાર્યવાહીના ભાગરૂપે તેમની સાથે સિરીયલમાં કામ કરતા કો-સ્ટાર શીઝાન ખાનની ધરપકડ કરી લીધી હતી. શીઝાનને 4 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. 


તુનિષા શર્માની માતાનો વીડિયો સામે આવ્યો 

આ બધા વચ્ચે તુનિષા શર્માની માતાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે શીઝાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે શીઝાન ખાને તેમની પુત્રીને દગો આપ્યો છે. તેની સાથે રિલેશન બનાયું. લગ્નના વાયદા કરી તુનિષા સાથે બ્રેકઅપ કરી લીધું છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.