તુનિષા શર્માની માતાએ શીઝાન ખાન પર લગાવ્યા ગંભીર આરોપ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-26 16:06:26

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ સીરિયલના સેટ પર ગળે ફાંસો લઈ આત્મહત્યા કરી લીધી હતી. 24 ડિસેમ્બરના રોજ એક્ટ્રેસે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસે અલીબાબા સિરીયલમાં ટીવી કલાકાર સાથે કામ કરતા શીઝાન ખાનની ધરપકડ કરી લીધી છે. આ બધા વચ્ચે તુનિષા શર્માની માતાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ શીઝાન વિશે ઘણું બધું કહેતા નજરે પડી રહ્યા છે. 


શૉકિંગ! 20 વર્ષની ઉંમરમાં પ્રેગનેન્ટ થઇ ગઇ હતી તુનિષા શર્મા - Tunisha Sharma  Pregnant – News18 Gujarati


શીઝાન ખાન છે પોલીસ કસ્ટડીમાં 

ટીવી ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ત્યારે 24 ડિસેમ્બરના રોજ સોની સબ પર આવતી અલીબાબા સિરીયલમાં મુખ્ય ભૂમિકા ભજવનાર તુનિષા શર્માએ સિરીયલના સેટ પર જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ સમાાચાર સાંભળતા જ તેમના ચાહકો દુખી થઈ ગયા હતા. પોલીસે કાર્યવાહીના ભાગરૂપે તેમની સાથે સિરીયલમાં કામ કરતા કો-સ્ટાર શીઝાન ખાનની ધરપકડ કરી લીધી હતી. શીઝાનને 4 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. 


તુનિષા શર્માની માતાનો વીડિયો સામે આવ્યો 

આ બધા વચ્ચે તુનિષા શર્માની માતાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે શીઝાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે શીઝાન ખાને તેમની પુત્રીને દગો આપ્યો છે. તેની સાથે રિલેશન બનાયું. લગ્નના વાયદા કરી તુનિષા સાથે બ્રેકઅપ કરી લીધું છે. 




જમાવટની ટીમે સાબરકાંઠા લોકસભા બેઠકના બંને ઉમેદવાર શોભનાબેન બારૈયા અને તુષાર ચૌધરીને ફોન કર્યો હતો અને જાણવાની કોશિશ કરી હતી કે આગામી પાંચ વર્ષનું તેમનું વિઝન શું છે.

પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહ્યો છે.. અનેક સ્થળો પર ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી છે. આ બધા વચ્ચે જમાવટની ટીમ હિંમતનગરના દેધરોટા ગામમાં પહોંચી હતી અને ભાજપ માટે ત્યાંના લોકો શું વિચારે છે, વિવાદને લઈ લોકો શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી..

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો..નાની નાની વયના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થવા લાગ્યા. ત્યારે એવું માનવામાં આવતું કે કોરોના વેક્સિનની સાઈડ ઈફેટને કારણે આ કિસ્સાઓમાં વધારો કર્યા છે. ત્યારે કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રજેનેકા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા પહેલા ગામડે ગામડે જઈ વિરોધ કરતા હતા પરંતુ હવે તેમણે રણનીતિ બદલી છે.