તુનિષા શર્માની માતાએ શીઝાન ખાન પર લગાવ્યા ગંભીર આરોપ


  • Published By :
  • Published Date : 2022-12-26 16:06:26

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ સીરિયલના સેટ પર ગળે ફાંસો લઈ આત્મહત્યા કરી લીધી હતી. 24 ડિસેમ્બરના રોજ એક્ટ્રેસે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસે અલીબાબા સિરીયલમાં ટીવી કલાકાર સાથે કામ કરતા શીઝાન ખાનની ધરપકડ કરી લીધી છે. આ બધા વચ્ચે તુનિષા શર્માની માતાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ શીઝાન વિશે ઘણું બધું કહેતા નજરે પડી રહ્યા છે. 


શૉકિંગ! 20 વર્ષની ઉંમરમાં પ્રેગનેન્ટ થઇ ગઇ હતી તુનિષા શર્મા - Tunisha Sharma  Pregnant – News18 Gujarati


શીઝાન ખાન છે પોલીસ કસ્ટડીમાં 

ટીવી ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ત્યારે 24 ડિસેમ્બરના રોજ સોની સબ પર આવતી અલીબાબા સિરીયલમાં મુખ્ય ભૂમિકા ભજવનાર તુનિષા શર્માએ સિરીયલના સેટ પર જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ સમાાચાર સાંભળતા જ તેમના ચાહકો દુખી થઈ ગયા હતા. પોલીસે કાર્યવાહીના ભાગરૂપે તેમની સાથે સિરીયલમાં કામ કરતા કો-સ્ટાર શીઝાન ખાનની ધરપકડ કરી લીધી હતી. શીઝાનને 4 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. 


તુનિષા શર્માની માતાનો વીડિયો સામે આવ્યો 

આ બધા વચ્ચે તુનિષા શર્માની માતાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે શીઝાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે શીઝાન ખાને તેમની પુત્રીને દગો આપ્યો છે. તેની સાથે રિલેશન બનાયું. લગ્નના વાયદા કરી તુનિષા સાથે બ્રેકઅપ કરી લીધું છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.