તુનિષા શર્માની માતાએ શીઝાન ખાન પર લગાવ્યા ગંભીર આરોપ


  • Published By :
  • Published Date : 2022-12-26 16:06:26

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ સીરિયલના સેટ પર ગળે ફાંસો લઈ આત્મહત્યા કરી લીધી હતી. 24 ડિસેમ્બરના રોજ એક્ટ્રેસે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસે અલીબાબા સિરીયલમાં ટીવી કલાકાર સાથે કામ કરતા શીઝાન ખાનની ધરપકડ કરી લીધી છે. આ બધા વચ્ચે તુનિષા શર્માની માતાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ શીઝાન વિશે ઘણું બધું કહેતા નજરે પડી રહ્યા છે. 


શૉકિંગ! 20 વર્ષની ઉંમરમાં પ્રેગનેન્ટ થઇ ગઇ હતી તુનિષા શર્મા - Tunisha Sharma  Pregnant – News18 Gujarati


શીઝાન ખાન છે પોલીસ કસ્ટડીમાં 

ટીવી ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ત્યારે 24 ડિસેમ્બરના રોજ સોની સબ પર આવતી અલીબાબા સિરીયલમાં મુખ્ય ભૂમિકા ભજવનાર તુનિષા શર્માએ સિરીયલના સેટ પર જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ સમાાચાર સાંભળતા જ તેમના ચાહકો દુખી થઈ ગયા હતા. પોલીસે કાર્યવાહીના ભાગરૂપે તેમની સાથે સિરીયલમાં કામ કરતા કો-સ્ટાર શીઝાન ખાનની ધરપકડ કરી લીધી હતી. શીઝાનને 4 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. 


તુનિષા શર્માની માતાનો વીડિયો સામે આવ્યો 

આ બધા વચ્ચે તુનિષા શર્માની માતાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે શીઝાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે શીઝાન ખાને તેમની પુત્રીને દગો આપ્યો છે. તેની સાથે રિલેશન બનાયું. લગ્નના વાયદા કરી તુનિષા સાથે બ્રેકઅપ કરી લીધું છે. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી