તારક મહેતા કા ઉલટા ચશ્મામાં આવવાનો છે ટ્વિસ્ટ, બાવરી કરશે બાઘા સાથે બ્રેકઅપ!!!!


  • Published By :
  • Published Date : 2023-01-13 16:56:06

સોની સબ પર આવતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. અનેક લોકો આ શોના દિવાના છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કલાકારો શોને અલવિદા કહી રહ્યા છે. આવનાર દિવસોમાં બાવરી બાઘા સાથે બ્રેકઅપ કરી લે છે જેને કારણે બાઘા દુખી આશિક બની જાય છે. 

Taarak Mehta Ka Ooltah Chashmah Jethalal Worker Bagha got hurt because of his breakup with bawri Tanmay Vekaria Dilip Joshi TMKOC: बावरी के गम में बाघा ने खोई सुध-बुध, दिल टूटे आशिक बन बालकनी से कूदने की दे डाली धमकी

ગોકુળધામમાં બાઘા કરશે હંગામો 

શોમાં બાવરી અને બાઘાની લવ સ્ટોરી બતાવવામાં આવી રહી છે. તેમની લવ સ્ટોરી દર્શકોને પસંદ આવી રહી છે. પરંતુ આવનાર એપિસોડમાં બાવરી બાઘા સાથે બ્રેકઅપ કરી લેશે. પાર્કમાં બાઘા બાવરીની રાહ જોતો રહેશે પરંતુ બાવરી બાઘાને બ્રેકઅપનો મેસેજ કરશે. આ મેસેજને લઈ બાઘા દુખી થઈ જાય છે. જેઠાલાલને બ્રેકઅપની વાત કરે છે અને રડવા લાગે છે. દુખી થઈ બાઘા બારમાં જશે અને ત્યાં નશો કરશે. બાધાને ગોકુલધામ લાવવામાં આવે છે. ત્યાં બાઘા ઘણો હંગામો કરે છે. હંગામો કરતા કરતા બાલકનીમાં ઉભો થઈ જાય છે અને કોઈની વાત સાંભળવા તૈયાર નથી. ગોકુલધામનું મહિલા મંડળ બાવરીને કોસે છે પરંતુ બાઘા ના પાડે છે. 


અનેક કલાકારોએ છોડ્યો છે શોનો સાથ  

અંદાજીત 14 વર્ષથી સોની સબ પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો આવી રહ્યો છે. આ શોને ઘણી લોકચાહના મળી છે. આ શોને સૌથી લાંબો ચાલનારો શો માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અનેક કલાકારો શોને અલવિદા કહી રહ્યા છે. દયા ભાભી ઉર્ફ દિશા વાકાણીતો લાંબા સમયથી શોમાં દેખાતા નથી. તે સિવાય તારક મહેતાએ એટલે કે શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું છે. ઉપરાંત શોના ડાયરેક્ટરે પણ શોને અલવિદા કહી દીધું છે.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .