તારક મહેતા કા ઉલટા ચશ્મામાં આવવાનો છે ટ્વિસ્ટ, બાવરી કરશે બાઘા સાથે બ્રેકઅપ!!!!


  • Published By :
  • Published Date : 2023-01-13 16:56:06

સોની સબ પર આવતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. અનેક લોકો આ શોના દિવાના છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કલાકારો શોને અલવિદા કહી રહ્યા છે. આવનાર દિવસોમાં બાવરી બાઘા સાથે બ્રેકઅપ કરી લે છે જેને કારણે બાઘા દુખી આશિક બની જાય છે. 

Taarak Mehta Ka Ooltah Chashmah Jethalal Worker Bagha got hurt because of his breakup with bawri Tanmay Vekaria Dilip Joshi TMKOC: बावरी के गम में बाघा ने खोई सुध-बुध, दिल टूटे आशिक बन बालकनी से कूदने की दे डाली धमकी

ગોકુળધામમાં બાઘા કરશે હંગામો 

શોમાં બાવરી અને બાઘાની લવ સ્ટોરી બતાવવામાં આવી રહી છે. તેમની લવ સ્ટોરી દર્શકોને પસંદ આવી રહી છે. પરંતુ આવનાર એપિસોડમાં બાવરી બાઘા સાથે બ્રેકઅપ કરી લેશે. પાર્કમાં બાઘા બાવરીની રાહ જોતો રહેશે પરંતુ બાવરી બાઘાને બ્રેકઅપનો મેસેજ કરશે. આ મેસેજને લઈ બાઘા દુખી થઈ જાય છે. જેઠાલાલને બ્રેકઅપની વાત કરે છે અને રડવા લાગે છે. દુખી થઈ બાઘા બારમાં જશે અને ત્યાં નશો કરશે. બાધાને ગોકુલધામ લાવવામાં આવે છે. ત્યાં બાઘા ઘણો હંગામો કરે છે. હંગામો કરતા કરતા બાલકનીમાં ઉભો થઈ જાય છે અને કોઈની વાત સાંભળવા તૈયાર નથી. ગોકુલધામનું મહિલા મંડળ બાવરીને કોસે છે પરંતુ બાઘા ના પાડે છે. 


અનેક કલાકારોએ છોડ્યો છે શોનો સાથ  

અંદાજીત 14 વર્ષથી સોની સબ પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો આવી રહ્યો છે. આ શોને ઘણી લોકચાહના મળી છે. આ શોને સૌથી લાંબો ચાલનારો શો માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અનેક કલાકારો શોને અલવિદા કહી રહ્યા છે. દયા ભાભી ઉર્ફ દિશા વાકાણીતો લાંબા સમયથી શોમાં દેખાતા નથી. તે સિવાય તારક મહેતાએ એટલે કે શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું છે. ઉપરાંત શોના ડાયરેક્ટરે પણ શોને અલવિદા કહી દીધું છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી