તારક મહેતા કા ઉલટા ચશ્મામાં આવવાનો છે ટ્વિસ્ટ, બાવરી કરશે બાઘા સાથે બ્રેકઅપ!!!!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-13 16:56:06

સોની સબ પર આવતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. અનેક લોકો આ શોના દિવાના છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કલાકારો શોને અલવિદા કહી રહ્યા છે. આવનાર દિવસોમાં બાવરી બાઘા સાથે બ્રેકઅપ કરી લે છે જેને કારણે બાઘા દુખી આશિક બની જાય છે. 

Taarak Mehta Ka Ooltah Chashmah Jethalal Worker Bagha got hurt because of his breakup with bawri Tanmay Vekaria Dilip Joshi TMKOC: बावरी के गम में बाघा ने खोई सुध-बुध, दिल टूटे आशिक बन बालकनी से कूदने की दे डाली धमकी

ગોકુળધામમાં બાઘા કરશે હંગામો 

શોમાં બાવરી અને બાઘાની લવ સ્ટોરી બતાવવામાં આવી રહી છે. તેમની લવ સ્ટોરી દર્શકોને પસંદ આવી રહી છે. પરંતુ આવનાર એપિસોડમાં બાવરી બાઘા સાથે બ્રેકઅપ કરી લેશે. પાર્કમાં બાઘા બાવરીની રાહ જોતો રહેશે પરંતુ બાવરી બાઘાને બ્રેકઅપનો મેસેજ કરશે. આ મેસેજને લઈ બાઘા દુખી થઈ જાય છે. જેઠાલાલને બ્રેકઅપની વાત કરે છે અને રડવા લાગે છે. દુખી થઈ બાઘા બારમાં જશે અને ત્યાં નશો કરશે. બાધાને ગોકુલધામ લાવવામાં આવે છે. ત્યાં બાઘા ઘણો હંગામો કરે છે. હંગામો કરતા કરતા બાલકનીમાં ઉભો થઈ જાય છે અને કોઈની વાત સાંભળવા તૈયાર નથી. ગોકુલધામનું મહિલા મંડળ બાવરીને કોસે છે પરંતુ બાઘા ના પાડે છે. 


અનેક કલાકારોએ છોડ્યો છે શોનો સાથ  

અંદાજીત 14 વર્ષથી સોની સબ પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો આવી રહ્યો છે. આ શોને ઘણી લોકચાહના મળી છે. આ શોને સૌથી લાંબો ચાલનારો શો માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અનેક કલાકારો શોને અલવિદા કહી રહ્યા છે. દયા ભાભી ઉર્ફ દિશા વાકાણીતો લાંબા સમયથી શોમાં દેખાતા નથી. તે સિવાય તારક મહેતાએ એટલે કે શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું છે. ઉપરાંત શોના ડાયરેક્ટરે પણ શોને અલવિદા કહી દીધું છે.  



થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું. ભાજપમાં ક્યારે જોડાશે તેની રાહ જોવામાં આવતી. ત્યારે થોડા દિવસ પહેલા તેમણે કેસરિયો ધારણ કર્યો છે. આ કાર્યક્રમમાં કુમાર કાનાણી ગેરહાજર હતા જેને લઈ અનેક સવાલો થયા.

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર અનેક જગ્યાઓ પર પહોંચી ગયો છે. પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.

બાળકોને જોઈ અનેક લોકોને પોતાનું બાળપણ યાદ આવે છે... માતાની મમતા યાદ આવે છે અને બાપુજી દ્વારા આપવામાં આવતો ઠપકો યાદ આવે છે..

પરેશ ધાનાણી ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે. પ્રચાર દરમિયાન અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારમાં પાણીપુરી શબ્દનો પ્રયોગ થયો છે.