તારક મહેતા કા ઉલટા ચશ્મામાં આવવાનો છે ટ્વિસ્ટ, બાવરી કરશે બાઘા સાથે બ્રેકઅપ!!!!


  • Published By :
  • Published Date : 2023-01-13 16:56:06

સોની સબ પર આવતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. અનેક લોકો આ શોના દિવાના છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કલાકારો શોને અલવિદા કહી રહ્યા છે. આવનાર દિવસોમાં બાવરી બાઘા સાથે બ્રેકઅપ કરી લે છે જેને કારણે બાઘા દુખી આશિક બની જાય છે. 

Taarak Mehta Ka Ooltah Chashmah Jethalal Worker Bagha got hurt because of his breakup with bawri Tanmay Vekaria Dilip Joshi TMKOC: बावरी के गम में बाघा ने खोई सुध-बुध, दिल टूटे आशिक बन बालकनी से कूदने की दे डाली धमकी

ગોકુળધામમાં બાઘા કરશે હંગામો 

શોમાં બાવરી અને બાઘાની લવ સ્ટોરી બતાવવામાં આવી રહી છે. તેમની લવ સ્ટોરી દર્શકોને પસંદ આવી રહી છે. પરંતુ આવનાર એપિસોડમાં બાવરી બાઘા સાથે બ્રેકઅપ કરી લેશે. પાર્કમાં બાઘા બાવરીની રાહ જોતો રહેશે પરંતુ બાવરી બાઘાને બ્રેકઅપનો મેસેજ કરશે. આ મેસેજને લઈ બાઘા દુખી થઈ જાય છે. જેઠાલાલને બ્રેકઅપની વાત કરે છે અને રડવા લાગે છે. દુખી થઈ બાઘા બારમાં જશે અને ત્યાં નશો કરશે. બાધાને ગોકુલધામ લાવવામાં આવે છે. ત્યાં બાઘા ઘણો હંગામો કરે છે. હંગામો કરતા કરતા બાલકનીમાં ઉભો થઈ જાય છે અને કોઈની વાત સાંભળવા તૈયાર નથી. ગોકુલધામનું મહિલા મંડળ બાવરીને કોસે છે પરંતુ બાઘા ના પાડે છે. 


અનેક કલાકારોએ છોડ્યો છે શોનો સાથ  

અંદાજીત 14 વર્ષથી સોની સબ પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો આવી રહ્યો છે. આ શોને ઘણી લોકચાહના મળી છે. આ શોને સૌથી લાંબો ચાલનારો શો માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અનેક કલાકારો શોને અલવિદા કહી રહ્યા છે. દયા ભાભી ઉર્ફ દિશા વાકાણીતો લાંબા સમયથી શોમાં દેખાતા નથી. તે સિવાય તારક મહેતાએ એટલે કે શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું છે. ઉપરાંત શોના ડાયરેક્ટરે પણ શોને અલવિદા કહી દીધું છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.