ટ્વિટર ઈન્ડિયાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનું શરૂ કરાયું


  • Published By :
  • Published Date : 2022-11-04 19:37:10

ટ્વિટરના પંખીને કથિત રીતે હવામાં ઉડાવી ઉદ્યોગપતિ એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ટેકઓવર કરીને અનેક બદલાવો કર્યા છે. વિશ્વની અનેક જગ્યાઓ પરથી ટ્વિટરના જૂના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકાયા છે ત્યારા ભારતમાંથી પણ શરૂઆત થઈ ગઈ છે. ટ્વિટરે ભારતમાં પણ જૂના કર્મચારીઓને કાઢવાની શરૂઆત કરી દીધી છે. દુનિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ એલન મસ્કે ગત અઠવાડિયામાં ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ સહિતના અનેક મોટા અધિકારીઓને કંપનીમાંથી કાઢી મૂક્યા હતા. મસ્કે હવે ટ્વિટરના કાર્યાલયને નાનું કરવાનો મોટો નિર્ણય કરી લીધો છે અને તેના પર અભ્યાસ પણ શરૂ કરી દીધો છે.

 

ટ્વિટર ઈન્ડિયાને થઈ શકે છે મોટું નુકસાનઃ કર્મચારી

ટ્વિટર ઈન્ડિયાના કર્મચારીએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે છણાવટ શરૂ થઈ ગઈ છે. ટ્વિટર ઈન્ડિયાના અનેક કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાના મેઈલ મળી ચૂક્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી ટ્વિટર ઈન્ડિયાને મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ નજર આવી રહી છે. 

 

ટ્વિટર ઈન્ડિયાએ સમાચાર નકારી કાઢ્યા

ટ્વિટર ઈન્ડિયાએ સમગ્ર મામલે સમાચાર નકારી કાઢ્યા છે. જ્યારે અમુક મીડિયા રીપોર્ટ પરથી જાણવા મળી રહ્યું છે કે ટ્વિટર ઈન્ડિયાની પૂરી માર્કેટિંગ ટીમ અને કોમ્યુનિકેશન વિભાગને બરતરફ કરી દીધો છે. 

 એલન મસ્કે ટ્વિટરના મોટા કર્મચારીઓને જાણકારી આપી હતી કે તેઓ ટ્વિટરમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરશે, જ્યારે અમુક ખબરોમાં તો એવું કહેવામાં આવ્યું છે કે એલન મસ્ક કંપનીના 75 ટકા કર્મચારીઓને ઘર ભેગા કરશે.

 

 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.