ટ્વિટર ઈન્ડિયાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનું શરૂ કરાયું


  • Published By :
  • Published Date : 2022-11-04 19:37:10

ટ્વિટરના પંખીને કથિત રીતે હવામાં ઉડાવી ઉદ્યોગપતિ એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ટેકઓવર કરીને અનેક બદલાવો કર્યા છે. વિશ્વની અનેક જગ્યાઓ પરથી ટ્વિટરના જૂના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકાયા છે ત્યારા ભારતમાંથી પણ શરૂઆત થઈ ગઈ છે. ટ્વિટરે ભારતમાં પણ જૂના કર્મચારીઓને કાઢવાની શરૂઆત કરી દીધી છે. દુનિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ એલન મસ્કે ગત અઠવાડિયામાં ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ સહિતના અનેક મોટા અધિકારીઓને કંપનીમાંથી કાઢી મૂક્યા હતા. મસ્કે હવે ટ્વિટરના કાર્યાલયને નાનું કરવાનો મોટો નિર્ણય કરી લીધો છે અને તેના પર અભ્યાસ પણ શરૂ કરી દીધો છે.

 

ટ્વિટર ઈન્ડિયાને થઈ શકે છે મોટું નુકસાનઃ કર્મચારી

ટ્વિટર ઈન્ડિયાના કર્મચારીએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે છણાવટ શરૂ થઈ ગઈ છે. ટ્વિટર ઈન્ડિયાના અનેક કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાના મેઈલ મળી ચૂક્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી ટ્વિટર ઈન્ડિયાને મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ નજર આવી રહી છે. 

 

ટ્વિટર ઈન્ડિયાએ સમાચાર નકારી કાઢ્યા

ટ્વિટર ઈન્ડિયાએ સમગ્ર મામલે સમાચાર નકારી કાઢ્યા છે. જ્યારે અમુક મીડિયા રીપોર્ટ પરથી જાણવા મળી રહ્યું છે કે ટ્વિટર ઈન્ડિયાની પૂરી માર્કેટિંગ ટીમ અને કોમ્યુનિકેશન વિભાગને બરતરફ કરી દીધો છે. 

 એલન મસ્કે ટ્વિટરના મોટા કર્મચારીઓને જાણકારી આપી હતી કે તેઓ ટ્વિટરમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરશે, જ્યારે અમુક ખબરોમાં તો એવું કહેવામાં આવ્યું છે કે એલન મસ્ક કંપનીના 75 ટકા કર્મચારીઓને ઘર ભેગા કરશે.

 

 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે