ટ્વિટર ઈન્ડિયાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનું શરૂ કરાયું


  • Published By :
  • Published Date : 2022-11-04 19:37:10

ટ્વિટરના પંખીને કથિત રીતે હવામાં ઉડાવી ઉદ્યોગપતિ એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ટેકઓવર કરીને અનેક બદલાવો કર્યા છે. વિશ્વની અનેક જગ્યાઓ પરથી ટ્વિટરના જૂના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકાયા છે ત્યારા ભારતમાંથી પણ શરૂઆત થઈ ગઈ છે. ટ્વિટરે ભારતમાં પણ જૂના કર્મચારીઓને કાઢવાની શરૂઆત કરી દીધી છે. દુનિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ એલન મસ્કે ગત અઠવાડિયામાં ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ સહિતના અનેક મોટા અધિકારીઓને કંપનીમાંથી કાઢી મૂક્યા હતા. મસ્કે હવે ટ્વિટરના કાર્યાલયને નાનું કરવાનો મોટો નિર્ણય કરી લીધો છે અને તેના પર અભ્યાસ પણ શરૂ કરી દીધો છે.

 

ટ્વિટર ઈન્ડિયાને થઈ શકે છે મોટું નુકસાનઃ કર્મચારી

ટ્વિટર ઈન્ડિયાના કર્મચારીએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે છણાવટ શરૂ થઈ ગઈ છે. ટ્વિટર ઈન્ડિયાના અનેક કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાના મેઈલ મળી ચૂક્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી ટ્વિટર ઈન્ડિયાને મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ નજર આવી રહી છે. 

 

ટ્વિટર ઈન્ડિયાએ સમાચાર નકારી કાઢ્યા

ટ્વિટર ઈન્ડિયાએ સમગ્ર મામલે સમાચાર નકારી કાઢ્યા છે. જ્યારે અમુક મીડિયા રીપોર્ટ પરથી જાણવા મળી રહ્યું છે કે ટ્વિટર ઈન્ડિયાની પૂરી માર્કેટિંગ ટીમ અને કોમ્યુનિકેશન વિભાગને બરતરફ કરી દીધો છે. 

 એલન મસ્કે ટ્વિટરના મોટા કર્મચારીઓને જાણકારી આપી હતી કે તેઓ ટ્વિટરમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરશે, જ્યારે અમુક ખબરોમાં તો એવું કહેવામાં આવ્યું છે કે એલન મસ્ક કંપનીના 75 ટકા કર્મચારીઓને ઘર ભેગા કરશે.

 

 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.