કોંગ્રેસે ટ્વિટર પર આમ આદમી પાર્ટીને લીધી આડેહાથ, લખ્યું ભાજપ-આપ ભાઈ ભાઈ


  • Published By :
  • Published Date : 2022-11-15 13:52:20

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે.પ્રચાર દરમિયાન દરેક પાર્ટી એક-બીજા પર આરોપો અને આક્ષેપ લગાવતું રહે છે. ત્યારે કોંગ્રેસે ટ્વિટર પર આમ આદમી પાર્ટી અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. ફોટો શેર કરી કોંગ્રેસે લખ્યું કે આમ આદમી પાર્ટી પણ વડાપ્રધાનની જેમ પ્રચાર પાછળ કરોડોનો ધુમાડો કરી રહી છે.

ભાજપ-આપ ભાઈ ભાઈ - કોંગ્રેસ

ગુજરાતમાં જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા નજરે પડે છે, જ્યારે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા રહે છે. આમ આદમી પાર્ટી પણ બંને પાર્ટી પર આરોપ અને આક્ષેપ લગાવતું રહે છે. ત્યારે આ વખતે કોંગ્રેસે બંને પાર્ટી પર એક સાથે પ્રહાર કર્યા છે. ચૂંટણી પ્રચાર પાછળ થતાં ખર્ચને લઈ કોંગ્રેસે પ્રહાર કર્યા છે. ટ્વિટર પર કોંગ્રેસે લખ્યું કે દિલ્હીની પ્રજાના કામ બાજુ પર મૂકી કેજરીવાલ પણ આપણા વડાપ્રધાનની જેમ પ્રચાર પાછળ કરોડોનો ધુમાડો કરી રહ્યો છે. ભાજપ-આપ ભાઈ ભાઈ.

આપે પ્રજા સાથે કર્યો વિશ્વાસઘાત - કોંગ્રેસ 

આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા ટ્વિટ કરી કે આમ આદમી પાર્ટીના શાસનમાં પંજાબમાં ખુલ્લેઆમ હત્યાકાંડ થઈ રહ્યા છે પણ પંજાબ સરકાર કઈ જ પગલા લેતી નથી શું આ લોકો ગુજરાતને સુરક્ષિત રાખશે? ઉપરાંત મફતમાં મળતી વીજળીને લઈને પણ કોંગ્રેસે આપ પર પ્રહાર કર્યા છે અને લખ્યું કે દિલ્હી પંજાબમાં 24 કલાક પાણી આપવાનો વાયદો કરી ફરી ગયા અને પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો.

 

ગુજરાતમાં કઈ પાર્ટી બનાવશે સરકાર?

ટ્વિટ કરેલા પોસ્ટરમાં કોંગ્રેસે લખ્યું કે ન ભાજપ ન આપ, વોટ જશે તો માત્ર કોંગ્રેસને... દરેક પાર્ટી એવું માની રહી છે ગુજરાતમાં તેમની સરકાર બનશે. ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય દરેક પાર્ટી એવો આશાવાદ વ્યક્ત કરી રહી છે કે ગુજરાતમાં આ વખતે તેમની પાર્ટીની જીત થશે. ત્યારે ગુજરાતની જનતા કોને સત્તા પર લાવે છે તે આવનાર સમયમાં ખબર પડી જશે.  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"