કોંગ્રેસે ટ્વિટર પર આમ આદમી પાર્ટીને લીધી આડેહાથ, લખ્યું ભાજપ-આપ ભાઈ ભાઈ


  • Published By :
  • Published Date : 2022-11-15 13:52:20

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે.પ્રચાર દરમિયાન દરેક પાર્ટી એક-બીજા પર આરોપો અને આક્ષેપ લગાવતું રહે છે. ત્યારે કોંગ્રેસે ટ્વિટર પર આમ આદમી પાર્ટી અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. ફોટો શેર કરી કોંગ્રેસે લખ્યું કે આમ આદમી પાર્ટી પણ વડાપ્રધાનની જેમ પ્રચાર પાછળ કરોડોનો ધુમાડો કરી રહી છે.

ભાજપ-આપ ભાઈ ભાઈ - કોંગ્રેસ

ગુજરાતમાં જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા નજરે પડે છે, જ્યારે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા રહે છે. આમ આદમી પાર્ટી પણ બંને પાર્ટી પર આરોપ અને આક્ષેપ લગાવતું રહે છે. ત્યારે આ વખતે કોંગ્રેસે બંને પાર્ટી પર એક સાથે પ્રહાર કર્યા છે. ચૂંટણી પ્રચાર પાછળ થતાં ખર્ચને લઈ કોંગ્રેસે પ્રહાર કર્યા છે. ટ્વિટર પર કોંગ્રેસે લખ્યું કે દિલ્હીની પ્રજાના કામ બાજુ પર મૂકી કેજરીવાલ પણ આપણા વડાપ્રધાનની જેમ પ્રચાર પાછળ કરોડોનો ધુમાડો કરી રહ્યો છે. ભાજપ-આપ ભાઈ ભાઈ.

આપે પ્રજા સાથે કર્યો વિશ્વાસઘાત - કોંગ્રેસ 

આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા ટ્વિટ કરી કે આમ આદમી પાર્ટીના શાસનમાં પંજાબમાં ખુલ્લેઆમ હત્યાકાંડ થઈ રહ્યા છે પણ પંજાબ સરકાર કઈ જ પગલા લેતી નથી શું આ લોકો ગુજરાતને સુરક્ષિત રાખશે? ઉપરાંત મફતમાં મળતી વીજળીને લઈને પણ કોંગ્રેસે આપ પર પ્રહાર કર્યા છે અને લખ્યું કે દિલ્હી પંજાબમાં 24 કલાક પાણી આપવાનો વાયદો કરી ફરી ગયા અને પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો.

 

ગુજરાતમાં કઈ પાર્ટી બનાવશે સરકાર?

ટ્વિટ કરેલા પોસ્ટરમાં કોંગ્રેસે લખ્યું કે ન ભાજપ ન આપ, વોટ જશે તો માત્ર કોંગ્રેસને... દરેક પાર્ટી એવું માની રહી છે ગુજરાતમાં તેમની સરકાર બનશે. ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય દરેક પાર્ટી એવો આશાવાદ વ્યક્ત કરી રહી છે કે ગુજરાતમાં આ વખતે તેમની પાર્ટીની જીત થશે. ત્યારે ગુજરાતની જનતા કોને સત્તા પર લાવે છે તે આવનાર સમયમાં ખબર પડી જશે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.