કોંગ્રેસે ટ્વિટર પર આમ આદમી પાર્ટીને લીધી આડેહાથ, લખ્યું ભાજપ-આપ ભાઈ ભાઈ


  • Published By :
  • Published Date : 2022-11-15 13:52:20

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે.પ્રચાર દરમિયાન દરેક પાર્ટી એક-બીજા પર આરોપો અને આક્ષેપ લગાવતું રહે છે. ત્યારે કોંગ્રેસે ટ્વિટર પર આમ આદમી પાર્ટી અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. ફોટો શેર કરી કોંગ્રેસે લખ્યું કે આમ આદમી પાર્ટી પણ વડાપ્રધાનની જેમ પ્રચાર પાછળ કરોડોનો ધુમાડો કરી રહી છે.

ભાજપ-આપ ભાઈ ભાઈ - કોંગ્રેસ

ગુજરાતમાં જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા નજરે પડે છે, જ્યારે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા રહે છે. આમ આદમી પાર્ટી પણ બંને પાર્ટી પર આરોપ અને આક્ષેપ લગાવતું રહે છે. ત્યારે આ વખતે કોંગ્રેસે બંને પાર્ટી પર એક સાથે પ્રહાર કર્યા છે. ચૂંટણી પ્રચાર પાછળ થતાં ખર્ચને લઈ કોંગ્રેસે પ્રહાર કર્યા છે. ટ્વિટર પર કોંગ્રેસે લખ્યું કે દિલ્હીની પ્રજાના કામ બાજુ પર મૂકી કેજરીવાલ પણ આપણા વડાપ્રધાનની જેમ પ્રચાર પાછળ કરોડોનો ધુમાડો કરી રહ્યો છે. ભાજપ-આપ ભાઈ ભાઈ.

આપે પ્રજા સાથે કર્યો વિશ્વાસઘાત - કોંગ્રેસ 

આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા ટ્વિટ કરી કે આમ આદમી પાર્ટીના શાસનમાં પંજાબમાં ખુલ્લેઆમ હત્યાકાંડ થઈ રહ્યા છે પણ પંજાબ સરકાર કઈ જ પગલા લેતી નથી શું આ લોકો ગુજરાતને સુરક્ષિત રાખશે? ઉપરાંત મફતમાં મળતી વીજળીને લઈને પણ કોંગ્રેસે આપ પર પ્રહાર કર્યા છે અને લખ્યું કે દિલ્હી પંજાબમાં 24 કલાક પાણી આપવાનો વાયદો કરી ફરી ગયા અને પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો.

 

ગુજરાતમાં કઈ પાર્ટી બનાવશે સરકાર?

ટ્વિટ કરેલા પોસ્ટરમાં કોંગ્રેસે લખ્યું કે ન ભાજપ ન આપ, વોટ જશે તો માત્ર કોંગ્રેસને... દરેક પાર્ટી એવું માની રહી છે ગુજરાતમાં તેમની સરકાર બનશે. ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય દરેક પાર્ટી એવો આશાવાદ વ્યક્ત કરી રહી છે કે ગુજરાતમાં આ વખતે તેમની પાર્ટીની જીત થશે. ત્યારે ગુજરાતની જનતા કોને સત્તા પર લાવે છે તે આવનાર સમયમાં ખબર પડી જશે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.