જમ્મુના નરવાલ વિસ્તારમાં થયા બે બ્લાસ્ટ, અનેક લોકો થયા ઘાયલ, સુરક્ષા એજન્સી કરી રહી છે તપાસ


  • Published By :
  • Published Date : 2023-01-21 13:47:13

જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત આતંકી હુમલા થયા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે ફરી એક વખત જમ્મુના નરવાલ વિસ્તારમાં બે સીરિયલ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં 5 જેટલા લોકો ઘાયલ થયા છે. ધમાકો થવાની ઘટનાની જાણ થતા એસએસપી સહિત અન્ય એજન્સિઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

  

બે ધડાકા થવાથી અનેક લોકો થયા ઈજાગ્રસ્ત  

શનિવારે ફરી એક વખત જમ્મુ-કાશ્મીરમાં બે બ્લાસ્ટ થયા છે. સવારે જમ્મુના નરવાલ વિસ્તારમાં બે ધડાકા થયા છે જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સી આ મામલે તપાસ કરવામાં લાગી ગઈ છે. આ ધમાકા ટ્રાંસપોર્ટ નગરના યાર્ડ નં. 7 અને 9 પર થયા છે. ઘટનાને પગલે તમામ વાહનોને ત્યાંથી ખસેડી દેવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પણ જમ્મુ પહોંચી છે. ગણતંત્ર દિવસે રાહુલ ગાંધી જમ્મુમાં હશે જેને લઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

   




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.