જમ્મુના નરવાલ વિસ્તારમાં થયા બે બ્લાસ્ટ, અનેક લોકો થયા ઘાયલ, સુરક્ષા એજન્સી કરી રહી છે તપાસ


  • Published By :
  • Published Date : 2023-01-21 13:47:13

જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત આતંકી હુમલા થયા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે ફરી એક વખત જમ્મુના નરવાલ વિસ્તારમાં બે સીરિયલ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં 5 જેટલા લોકો ઘાયલ થયા છે. ધમાકો થવાની ઘટનાની જાણ થતા એસએસપી સહિત અન્ય એજન્સિઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

  

બે ધડાકા થવાથી અનેક લોકો થયા ઈજાગ્રસ્ત  

શનિવારે ફરી એક વખત જમ્મુ-કાશ્મીરમાં બે બ્લાસ્ટ થયા છે. સવારે જમ્મુના નરવાલ વિસ્તારમાં બે ધડાકા થયા છે જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સી આ મામલે તપાસ કરવામાં લાગી ગઈ છે. આ ધમાકા ટ્રાંસપોર્ટ નગરના યાર્ડ નં. 7 અને 9 પર થયા છે. ઘટનાને પગલે તમામ વાહનોને ત્યાંથી ખસેડી દેવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પણ જમ્મુ પહોંચી છે. ગણતંત્ર દિવસે રાહુલ ગાંધી જમ્મુમાં હશે જેને લઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.