જમ્મુના નરવાલ વિસ્તારમાં થયા બે બ્લાસ્ટ, અનેક લોકો થયા ઘાયલ, સુરક્ષા એજન્સી કરી રહી છે તપાસ


  • Published By :
  • Published Date : 2023-01-21 13:47:13

જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત આતંકી હુમલા થયા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે ફરી એક વખત જમ્મુના નરવાલ વિસ્તારમાં બે સીરિયલ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં 5 જેટલા લોકો ઘાયલ થયા છે. ધમાકો થવાની ઘટનાની જાણ થતા એસએસપી સહિત અન્ય એજન્સિઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

  

બે ધડાકા થવાથી અનેક લોકો થયા ઈજાગ્રસ્ત  

શનિવારે ફરી એક વખત જમ્મુ-કાશ્મીરમાં બે બ્લાસ્ટ થયા છે. સવારે જમ્મુના નરવાલ વિસ્તારમાં બે ધડાકા થયા છે જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સી આ મામલે તપાસ કરવામાં લાગી ગઈ છે. આ ધમાકા ટ્રાંસપોર્ટ નગરના યાર્ડ નં. 7 અને 9 પર થયા છે. ઘટનાને પગલે તમામ વાહનોને ત્યાંથી ખસેડી દેવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પણ જમ્મુ પહોંચી છે. ગણતંત્ર દિવસે રાહુલ ગાંધી જમ્મુમાં હશે જેને લઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.