પાટણમાં એક સાથે ઉઠી બે ભાઈઓની અર્થી, મોટા ભાઇના મોતના સમાચાર મળ્યાના 30 મિનિટમાં જ નાના ભાઇએ પણ ત્યજ્યો જીવ!


  • Published By :
  • Published Date : 2023-03-14 13:52:09

નાની નાની ઉંમરે લોકોના જીવ હાર્ટ એટેક આવવાને કારણે જઈ રહ્યા છે. કોઈ ક્રિકેટ રમતી વખતે તો કોઈ યોગા કરતી વખતે હાર્ટ એટેકને કારણે મોતને ભેટે છે. ત્યારે પાટણમાં એક જ પરિવારના બે સભ્યોની અર્થી ઉઠી છે. હાર્ટ એટેકને કારણે મોટાભાઈ મોતને ભેટ્યા ત્યારે આ સમાચાર સાંભળી નાના ભાઈને આઘાત લાગ્યો હતો. માત્ર 30 મિનીટની અંદર જ નાના ભાઈનું પણ મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયું હતું. બંને ભાઈઓની અર્થી એક સાથે ઉઠી છે.


હાર્ટ એટેકને કારણે મોટા ભાઈનું મોત  

હાર્ટ એટેક આવવાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. કોઈ ક્યારે મોતને ભેટી જશે તે ખબર નથી પડી રહી. લગ્નમાં જે ઘરથી દીકરીની ડોલી ઉઠવાની હોય છે ત્યાંથી દીકરીની અર્થી ઉઠે છે. કોઈ રમતા રમતા તો કોઈ યોગા કરતા કાળનો કોળિયો બની જાય છે. ત્યારે પાટણથી કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પરિવારના બે સભ્યોની એક સાથે અર્થી ઉઠી છે. પાટણના લોટેશ્વરમાં રહેતા પટેલ પરિવારમાં બે સગા ભાઈઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. લોટેશ્વરમાં રહેતા અરવિંદ પટેલ કોઈ કામથી બહાર ગયા હતા અને તે બાદ બહાર ખુરશી પર બેઠા હતા. તે બાદમાં ઉભા થઈ ચાલતા ચાલતા રોડ પર ઢળી પડે છે. ઢળી પડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેમને મૃતક ઘોષિત કરવામાં આવ્યા હતા. 


મોટા ભાઈ બાદ નાના ભાઈએ પણ દુનિયાને કહ્યું અલવિદા  

મોટા ભાઈના નિધનનાં સમાચાર સાંભળી નાના ભાઈ દિનેશ દુકાનથી ઘરે આવ્યા. પરિવારને સંભાળવાની કોશિશ કરી રહ્યા તે દરમિયાન તેમને ગભરામણ થવા લાગી. ગભરામણને કારણે તેઓ ઢળી પડ્યા. હોસ્પિટલ તેમને લઈ જવાયા અને ત્યાં ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા. એક તરફ અરવિંદભાઈને ઘરે લાવવામાં આવ્યો તો બીજી તરફ તેમના નાના ભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અરવિંદભાઈના અંતિમ વિદાયની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે  તેમના ભાઈએ અંતિમ શ્વાસ લીધા છે. એક સાથે પરિવારમાં બે મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. બે સગા ભાઈઓની એક સાથે અર્થી ઉઠતા માહોલ ગમગીન થઈ ગયો છે.              




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.