પાટણમાં એક સાથે ઉઠી બે ભાઈઓની અર્થી, મોટા ભાઇના મોતના સમાચાર મળ્યાના 30 મિનિટમાં જ નાના ભાઇએ પણ ત્યજ્યો જીવ!


  • Published By :
  • Published Date : 2023-03-14 13:52:09

નાની નાની ઉંમરે લોકોના જીવ હાર્ટ એટેક આવવાને કારણે જઈ રહ્યા છે. કોઈ ક્રિકેટ રમતી વખતે તો કોઈ યોગા કરતી વખતે હાર્ટ એટેકને કારણે મોતને ભેટે છે. ત્યારે પાટણમાં એક જ પરિવારના બે સભ્યોની અર્થી ઉઠી છે. હાર્ટ એટેકને કારણે મોટાભાઈ મોતને ભેટ્યા ત્યારે આ સમાચાર સાંભળી નાના ભાઈને આઘાત લાગ્યો હતો. માત્ર 30 મિનીટની અંદર જ નાના ભાઈનું પણ મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયું હતું. બંને ભાઈઓની અર્થી એક સાથે ઉઠી છે.


હાર્ટ એટેકને કારણે મોટા ભાઈનું મોત  

હાર્ટ એટેક આવવાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. કોઈ ક્યારે મોતને ભેટી જશે તે ખબર નથી પડી રહી. લગ્નમાં જે ઘરથી દીકરીની ડોલી ઉઠવાની હોય છે ત્યાંથી દીકરીની અર્થી ઉઠે છે. કોઈ રમતા રમતા તો કોઈ યોગા કરતા કાળનો કોળિયો બની જાય છે. ત્યારે પાટણથી કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પરિવારના બે સભ્યોની એક સાથે અર્થી ઉઠી છે. પાટણના લોટેશ્વરમાં રહેતા પટેલ પરિવારમાં બે સગા ભાઈઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. લોટેશ્વરમાં રહેતા અરવિંદ પટેલ કોઈ કામથી બહાર ગયા હતા અને તે બાદ બહાર ખુરશી પર બેઠા હતા. તે બાદમાં ઉભા થઈ ચાલતા ચાલતા રોડ પર ઢળી પડે છે. ઢળી પડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેમને મૃતક ઘોષિત કરવામાં આવ્યા હતા. 


મોટા ભાઈ બાદ નાના ભાઈએ પણ દુનિયાને કહ્યું અલવિદા  

મોટા ભાઈના નિધનનાં સમાચાર સાંભળી નાના ભાઈ દિનેશ દુકાનથી ઘરે આવ્યા. પરિવારને સંભાળવાની કોશિશ કરી રહ્યા તે દરમિયાન તેમને ગભરામણ થવા લાગી. ગભરામણને કારણે તેઓ ઢળી પડ્યા. હોસ્પિટલ તેમને લઈ જવાયા અને ત્યાં ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા. એક તરફ અરવિંદભાઈને ઘરે લાવવામાં આવ્યો તો બીજી તરફ તેમના નાના ભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અરવિંદભાઈના અંતિમ વિદાયની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે  તેમના ભાઈએ અંતિમ શ્વાસ લીધા છે. એક સાથે પરિવારમાં બે મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. બે સગા ભાઈઓની એક સાથે અર્થી ઉઠતા માહોલ ગમગીન થઈ ગયો છે.              




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.