એક જ દિવસમાં બની બે હિટ એન્ડ રનની ઘટના, બે લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-22 09:39:43

ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અકસ્માતને કારણે અનેક નિર્દોષ લોકો મોતને ભેટે છે. ત્યારે ગુરૂવાર સવારે અકસ્માત થવાને કારણે બે લોકોના મોત થયા હોવાની સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની બે ઘટનાઓ બની છે જેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 


અકસ્માત થતા ખેડૂતનું થયું મોત 

મળતી માહિતી અનુસાર ઉંઝા કોડહા રોડ પર અજાણ્યા વાહન ચાલકે ખેડૂતને ટક્કર મારી દીધી હતી.  ખેતરમાં કામ કરવા જતા ખેડૂતને ટક્કર વાગતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી વાહનચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાની જાણ થતા ગુન્હો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.


બીજી અકસ્માતમાં વૃદ્ધા મોતને ભેટ્યા

બીજી અકસ્માતની ઘટના વિજાપૂર હિંમતનગર પાસે બની છે. મળતી માહિતી અનુસાર કનકપુરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહનચાલકે વૃદ્ધાનું મોત થયું છે. વૃદ્ધને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે આ ઘટનાની જાણ થતા તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.