એક જ દિવસમાં બની બે હિટ એન્ડ રનની ઘટના, બે લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-22 09:39:43

ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અકસ્માતને કારણે અનેક નિર્દોષ લોકો મોતને ભેટે છે. ત્યારે ગુરૂવાર સવારે અકસ્માત થવાને કારણે બે લોકોના મોત થયા હોવાની સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની બે ઘટનાઓ બની છે જેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 


અકસ્માત થતા ખેડૂતનું થયું મોત 

મળતી માહિતી અનુસાર ઉંઝા કોડહા રોડ પર અજાણ્યા વાહન ચાલકે ખેડૂતને ટક્કર મારી દીધી હતી.  ખેતરમાં કામ કરવા જતા ખેડૂતને ટક્કર વાગતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી વાહનચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાની જાણ થતા ગુન્હો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.


બીજી અકસ્માતમાં વૃદ્ધા મોતને ભેટ્યા

બીજી અકસ્માતની ઘટના વિજાપૂર હિંમતનગર પાસે બની છે. મળતી માહિતી અનુસાર કનકપુરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહનચાલકે વૃદ્ધાનું મોત થયું છે. વૃદ્ધને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે આ ઘટનાની જાણ થતા તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.