મધ્ય ગુજરાતના બે કોંગ્રેસના ધારાસભ્યની પડી શકે છે વિકેટ


  • Published By :
  • Published Date : 2022-11-09 15:41:55

સ્ટોરી- સમીર પરમાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સમય નજીક જ છે ત્યારે કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે મધ્ય ગુજરાતના બે મોટા નેતાઓ કોંગ્રેસમાંથી ગુલાટી મારીને ભાજપમાં આવી શકે છે. કોંગ્રેસના આણંદ અને દાહોદ વિસ્તારના બે કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં જોડાવા માટે લાઈનમાં ઉભા છે. 


ભાજપમાં ભરતી ચાલુ છે

વીસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા જે "સિંહ ઘાસ ના ખાય" તેવી વાતો કરતા હતા એટલે કે તેઓ ભાજપમાં ના જોડાય તેવી વાતો કરતા હતા. પણ અંતે તેમને પણ પેટ ભરીને ઘાસ ખાઈ લીધું. રાજનીતિમાં કંઈ નક્કી નથી હોતું ક્યારે કયા નેતા કયા પક્ષમાં જોડાઈ જાય. ત્યાર બાદ દિગ્ગજ આદિવાસી નેતા મોહનસિંહ રાઠવા કે જેઓ 10 જેટલી ટર્મ એટલે કે પચાસેક વર્ષથી પોતાના વિસ્તારમાં જીતતા આવે છે તે પુત્ર મોહમાં ભાજપમાં જોડાઈ ગયા છે. આજે સમાચાર આવ્યા છે કે તાલાલાના કોંગ્રેસી ધારાસભ્ય ભગા બારડ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપનો કેસરીયો ધારણ કરીને કોંગ્રેસી નેતા ભગા બારડે તો કહી દીધું છે કે, "હું તો પહેલેથી ભાજપનો જ છું." 


કોંગ્રેસ શું કરી રહી છે?

સમગ્ર બાબતે જમાવટે જ્યારે કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશી સાથે વાત કરી કે કોંગ્રેસ હવે વધુ મોટા નેતાઓને રોકવા  શું કરશે ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "કોઈ પણ પ્રકારની રાજનીતિમાં જો અને તોની સ્થિતિ હોય છે. કોંગ્રેસ પક્ષે તમામ લોકોને જે ભાજપમાં જોડાયા છે તેમને મહત્વના સ્થાનો આપ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમને જીતાડવા માટે બહુ મહેનત કરી છે, છતાંય તેઓ પક્ષ છોડી રહ્યા છે તો હું તેમને શુભેચ્છા પાઠવું છું. 


હવે રહી રહીને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દોડભાગ કરી રહ્યા છે. અત્યાર સુધી ધારાસભ્ય દરજ્જાના કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ શું કરી રહ્યા હતા હવે તે તો તેમને જ ખબર. પણ કોંગ્રેસે હવે હજુ વધુ ટિકિટ ના પડે તેના માટે એસી ચેમ્બરની બહાર નિકળવું અતિ જરૂરી બની છે બાકી તૂટતી કોંગ્રેસને મોટું નુકસાન થતાં કોઈ નહીં રોકી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસની દોડભાગ પર નિર્ભર છે કે હવે કોઈ કોંગ્રેસના નેતાઓનો અંતરઆત્માનો અવાજ ગુજરાતને સાંભળવા મળે કે નહીં. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.