મધ્ય ગુજરાતના બે કોંગ્રેસના ધારાસભ્યની પડી શકે છે વિકેટ


  • Published By :
  • Published Date : 2022-11-09 15:41:55

સ્ટોરી- સમીર પરમાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સમય નજીક જ છે ત્યારે કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે મધ્ય ગુજરાતના બે મોટા નેતાઓ કોંગ્રેસમાંથી ગુલાટી મારીને ભાજપમાં આવી શકે છે. કોંગ્રેસના આણંદ અને દાહોદ વિસ્તારના બે કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં જોડાવા માટે લાઈનમાં ઉભા છે. 


ભાજપમાં ભરતી ચાલુ છે

વીસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા જે "સિંહ ઘાસ ના ખાય" તેવી વાતો કરતા હતા એટલે કે તેઓ ભાજપમાં ના જોડાય તેવી વાતો કરતા હતા. પણ અંતે તેમને પણ પેટ ભરીને ઘાસ ખાઈ લીધું. રાજનીતિમાં કંઈ નક્કી નથી હોતું ક્યારે કયા નેતા કયા પક્ષમાં જોડાઈ જાય. ત્યાર બાદ દિગ્ગજ આદિવાસી નેતા મોહનસિંહ રાઠવા કે જેઓ 10 જેટલી ટર્મ એટલે કે પચાસેક વર્ષથી પોતાના વિસ્તારમાં જીતતા આવે છે તે પુત્ર મોહમાં ભાજપમાં જોડાઈ ગયા છે. આજે સમાચાર આવ્યા છે કે તાલાલાના કોંગ્રેસી ધારાસભ્ય ભગા બારડ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપનો કેસરીયો ધારણ કરીને કોંગ્રેસી નેતા ભગા બારડે તો કહી દીધું છે કે, "હું તો પહેલેથી ભાજપનો જ છું." 


કોંગ્રેસ શું કરી રહી છે?

સમગ્ર બાબતે જમાવટે જ્યારે કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશી સાથે વાત કરી કે કોંગ્રેસ હવે વધુ મોટા નેતાઓને રોકવા  શું કરશે ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "કોઈ પણ પ્રકારની રાજનીતિમાં જો અને તોની સ્થિતિ હોય છે. કોંગ્રેસ પક્ષે તમામ લોકોને જે ભાજપમાં જોડાયા છે તેમને મહત્વના સ્થાનો આપ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમને જીતાડવા માટે બહુ મહેનત કરી છે, છતાંય તેઓ પક્ષ છોડી રહ્યા છે તો હું તેમને શુભેચ્છા પાઠવું છું. 


હવે રહી રહીને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દોડભાગ કરી રહ્યા છે. અત્યાર સુધી ધારાસભ્ય દરજ્જાના કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ શું કરી રહ્યા હતા હવે તે તો તેમને જ ખબર. પણ કોંગ્રેસે હવે હજુ વધુ ટિકિટ ના પડે તેના માટે એસી ચેમ્બરની બહાર નિકળવું અતિ જરૂરી બની છે બાકી તૂટતી કોંગ્રેસને મોટું નુકસાન થતાં કોઈ નહીં રોકી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસની દોડભાગ પર નિર્ભર છે કે હવે કોઈ કોંગ્રેસના નેતાઓનો અંતરઆત્માનો અવાજ ગુજરાતને સાંભળવા મળે કે નહીં. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.