જુનાગઢમાં બે લોકોના શંકાસ્પદ રીતે થયા મોત, ઝેરી પ્રવાહી પીધા બાદ અવસાન થયાનું અનુમાન


  • Published By :
  • Published Date : 2022-11-29 12:22:00

થોડા સમય પહેલા ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી. જેમાં અંદાજીત 100 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે ત્યારે આવી જ ઘટના જૂનાગઢમાં બનવા જઈ રહી હોય તેવી આશંકા સેવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝેરી પદાર્થ પીતા બે લોકોના મોત નિપજ્યાં છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. 



લઠ્ઠાકાંડની ઘટનાને હજી લાંબો સમય નથી વીત્યો. પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે. ત્યારે રાજકોટમાં બે લોકોના શંકાસ્પદ રીતે મોત નિપજ્યાં છે. જૂનાગઢમાં ઝેરી પદાર્થ પીતા 2 લોકોના મોત શંકાસ્પદ રીતે થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ગાંધી ચોક વિસ્તારમાં બની હતી.  રીક્ષા સ્ટેન્ડ નજીક એક બોટલમાંથી કેટલાક લોકોએ ઝેરી પ્રવાહનું સેવન કર્યું હતું. જે બાદ તેઓ તરફડિયા મારવા લાગ્યા અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ ઘટનામાં બે રિક્ષા ચાલકોના મોત નિપજ્યાં છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. શંકાસ્પદ રીતે મોત થતા લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. બંને લોકોની મોત કયા કારણે થઈ તે અંગે તપાસ ચાલી રહી છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.