જુનાગઢમાં બે લોકોના શંકાસ્પદ રીતે થયા મોત, ઝેરી પ્રવાહી પીધા બાદ અવસાન થયાનું અનુમાન


  • Published By :
  • Published Date : 2022-11-29 12:22:00

થોડા સમય પહેલા ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી. જેમાં અંદાજીત 100 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે ત્યારે આવી જ ઘટના જૂનાગઢમાં બનવા જઈ રહી હોય તેવી આશંકા સેવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝેરી પદાર્થ પીતા બે લોકોના મોત નિપજ્યાં છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. 



લઠ્ઠાકાંડની ઘટનાને હજી લાંબો સમય નથી વીત્યો. પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે. ત્યારે રાજકોટમાં બે લોકોના શંકાસ્પદ રીતે મોત નિપજ્યાં છે. જૂનાગઢમાં ઝેરી પદાર્થ પીતા 2 લોકોના મોત શંકાસ્પદ રીતે થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ગાંધી ચોક વિસ્તારમાં બની હતી.  રીક્ષા સ્ટેન્ડ નજીક એક બોટલમાંથી કેટલાક લોકોએ ઝેરી પ્રવાહનું સેવન કર્યું હતું. જે બાદ તેઓ તરફડિયા મારવા લાગ્યા અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ ઘટનામાં બે રિક્ષા ચાલકોના મોત નિપજ્યાં છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. શંકાસ્પદ રીતે મોત થતા લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. બંને લોકોની મોત કયા કારણે થઈ તે અંગે તપાસ ચાલી રહી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.