જુનાગઢમાં બે લોકોના શંકાસ્પદ રીતે થયા મોત, ઝેરી પ્રવાહી પીધા બાદ અવસાન થયાનું અનુમાન


  • Published By :
  • Published Date : 2022-11-29 12:22:00

થોડા સમય પહેલા ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી. જેમાં અંદાજીત 100 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે ત્યારે આવી જ ઘટના જૂનાગઢમાં બનવા જઈ રહી હોય તેવી આશંકા સેવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝેરી પદાર્થ પીતા બે લોકોના મોત નિપજ્યાં છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. 



લઠ્ઠાકાંડની ઘટનાને હજી લાંબો સમય નથી વીત્યો. પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે. ત્યારે રાજકોટમાં બે લોકોના શંકાસ્પદ રીતે મોત નિપજ્યાં છે. જૂનાગઢમાં ઝેરી પદાર્થ પીતા 2 લોકોના મોત શંકાસ્પદ રીતે થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ગાંધી ચોક વિસ્તારમાં બની હતી.  રીક્ષા સ્ટેન્ડ નજીક એક બોટલમાંથી કેટલાક લોકોએ ઝેરી પ્રવાહનું સેવન કર્યું હતું. જે બાદ તેઓ તરફડિયા મારવા લાગ્યા અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ ઘટનામાં બે રિક્ષા ચાલકોના મોત નિપજ્યાં છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. શંકાસ્પદ રીતે મોત થતા લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. બંને લોકોની મોત કયા કારણે થઈ તે અંગે તપાસ ચાલી રહી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.