રાજકોટમાં હૃદયહુમલાને કારણે ગયા બે લોકોના જીવ! દાંડિયા રમ્યા બાદ આવ્યો એટેક! ઉલ્લાસની લાગણી ફેરવાઈ માતમમાં!


  • Published By :
  • Published Date : 2023-05-03 10:45:05

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે. રાજકોટમાં એક જ દિવસમાં બે લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. એક કિસ્સો જે સામે આવ્યો છે તેમાં લગ્ન પ્રસંગમાં ડાંડિયા રાસ રમી રહેલા યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. 


કોરોના બાદ વધ્યા છે હાર્ટ એટેકના કિસ્સા!

એક સમયે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો.કોરોનાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમાં હવે હાર્ટ એટેકને કારણે મોતના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. અનેક યુવાનો હાર્ટ એટેક આવવાને કારણે મોતને ભેટી રહ્યા છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં કોઈ યોગા કરતા કરતા, કોઈ બેડમિન્ટન રમતા રમતા તો કોઈ નાચતા નાચતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ હાર્ટ એટેકના બે કિસ્સાઓ સામે આવ્યા છે. એક જ દિવસમાં બે લોકોના મોત હૃદયહુમલાને કારણે થયા છે. 


હાર્ટ એટેકને કારણે ગયા બે લોકોના જીવ!

મળતી માહિતી અનુસાર રાજકોટના અમિત ચૌહાણ એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્નના આગલા દિવસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબામાં રાસ ગરબા ગવાયા હતા. રાસ રમીને જ્યારે અમિત ચૌહાણ પોતાના ઘરે આવ્યા તો તે અચાનક બેભાન થઈ ગયા હતા. બેભાન થઈ જતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અચાનક મોત થવાને કારણે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી હતી. બીજા એક વ્યક્તિએ પણ પોતાનો જીવ એટેકને કારણે ગુમાવ્યો છે.હાર્ટ એટેકના વધતા કેસ એક ચિંતાજનક વિષય બન્યો છે. તંદુરસ્ત દેખાતા લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.