રાજકોટમાં હૃદયહુમલાને કારણે ગયા બે લોકોના જીવ! દાંડિયા રમ્યા બાદ આવ્યો એટેક! ઉલ્લાસની લાગણી ફેરવાઈ માતમમાં!


  • Published By :
  • Published Date : 2023-05-03 10:45:05

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે. રાજકોટમાં એક જ દિવસમાં બે લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. એક કિસ્સો જે સામે આવ્યો છે તેમાં લગ્ન પ્રસંગમાં ડાંડિયા રાસ રમી રહેલા યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. 


કોરોના બાદ વધ્યા છે હાર્ટ એટેકના કિસ્સા!

એક સમયે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો.કોરોનાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમાં હવે હાર્ટ એટેકને કારણે મોતના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. અનેક યુવાનો હાર્ટ એટેક આવવાને કારણે મોતને ભેટી રહ્યા છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં કોઈ યોગા કરતા કરતા, કોઈ બેડમિન્ટન રમતા રમતા તો કોઈ નાચતા નાચતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ હાર્ટ એટેકના બે કિસ્સાઓ સામે આવ્યા છે. એક જ દિવસમાં બે લોકોના મોત હૃદયહુમલાને કારણે થયા છે. 


હાર્ટ એટેકને કારણે ગયા બે લોકોના જીવ!

મળતી માહિતી અનુસાર રાજકોટના અમિત ચૌહાણ એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્નના આગલા દિવસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબામાં રાસ ગરબા ગવાયા હતા. રાસ રમીને જ્યારે અમિત ચૌહાણ પોતાના ઘરે આવ્યા તો તે અચાનક બેભાન થઈ ગયા હતા. બેભાન થઈ જતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અચાનક મોત થવાને કારણે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી હતી. બીજા એક વ્યક્તિએ પણ પોતાનો જીવ એટેકને કારણે ગુમાવ્યો છે.હાર્ટ એટેકના વધતા કેસ એક ચિંતાજનક વિષય બન્યો છે. તંદુરસ્ત દેખાતા લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.      



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.