રાજકોટમાં હૃદયહુમલાને કારણે ગયા બે લોકોના જીવ! દાંડિયા રમ્યા બાદ આવ્યો એટેક! ઉલ્લાસની લાગણી ફેરવાઈ માતમમાં!


  • Published By :
  • Published Date : 2023-05-03 10:45:05

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે. રાજકોટમાં એક જ દિવસમાં બે લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. એક કિસ્સો જે સામે આવ્યો છે તેમાં લગ્ન પ્રસંગમાં ડાંડિયા રાસ રમી રહેલા યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. 


કોરોના બાદ વધ્યા છે હાર્ટ એટેકના કિસ્સા!

એક સમયે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો.કોરોનાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમાં હવે હાર્ટ એટેકને કારણે મોતના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. અનેક યુવાનો હાર્ટ એટેક આવવાને કારણે મોતને ભેટી રહ્યા છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં કોઈ યોગા કરતા કરતા, કોઈ બેડમિન્ટન રમતા રમતા તો કોઈ નાચતા નાચતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ હાર્ટ એટેકના બે કિસ્સાઓ સામે આવ્યા છે. એક જ દિવસમાં બે લોકોના મોત હૃદયહુમલાને કારણે થયા છે. 


હાર્ટ એટેકને કારણે ગયા બે લોકોના જીવ!

મળતી માહિતી અનુસાર રાજકોટના અમિત ચૌહાણ એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્નના આગલા દિવસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબામાં રાસ ગરબા ગવાયા હતા. રાસ રમીને જ્યારે અમિત ચૌહાણ પોતાના ઘરે આવ્યા તો તે અચાનક બેભાન થઈ ગયા હતા. બેભાન થઈ જતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અચાનક મોત થવાને કારણે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી હતી. બીજા એક વ્યક્તિએ પણ પોતાનો જીવ એટેકને કારણે ગુમાવ્યો છે.હાર્ટ એટેકના વધતા કેસ એક ચિંતાજનક વિષય બન્યો છે. તંદુરસ્ત દેખાતા લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.      



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.