બીલીમોરામાં ટ્રેન નીચે આવી જતા બે લોકોના મોત, મિત્રને બચાવવા જતા બીજો યુવક પણ મોતને ભેટ્યો


  • Published By :
  • Published Date : 2024-01-01 22:05:34

નવસારીના બીલીમોરા નજીક એક અરેરાટીભરી ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા હતા. નૂતન વર્ષના પ્રથમ દિવસે જ બનેલી આ કરુણ ઘટનામાં ટ્રેનની એડફેટે આવતા બે યુવકોના મોત થઈ ગયા હતા. આપઘાત કરવા માટે ટ્રેક આગળ ઊભેલા યુવકને બચાવવા જતા અન્ય યુવક પણ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. જેમાં બંને યુવકો મોતને ભેટ્યા હતા. સમગ્ર મામલે રેલવે પોલીસ અને બીલીમોરા પોલીસે તપાસ શરૂ કરી છે.


શા માટે કર્યો આપઘાત?


દાદર-બિકાનેર ટ્રેન નંબર 12400 ડાઉન લાઇન ઉપર રવિવાર સાંજે તેજ ગતિથી પસાર થઈ રહી હતી. જે બીલીમોરા- અમલસાડ રેલવે સ્ટેશન વચ્ચે દેવધા ગામના ભેંસલા ફળીયા ખાડી પાસેથી પસાર થતી હતી તે વેળા એક યુવાન ટ્રેન સામે આવી ગયો હતો. ટ્રેન ચાલકે દૂરથી સતત હોર્ન વગાડવા છતાં યુવાન ટ્રેડ ઉપર જ હતો. તે વેળા હોર્ન સાંભળી તેને બચાવવા અન્ય યુવકે તેને પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રેનની તીવ્ર ગતિને કારણે બંને યુવાન ઉપર ટ્રેનનાં તોતિંગ પૈડી ફરી વળ્યાં હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને યુવાનોનાં મૃતદેહને હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યા હતા, જ્યાં તેમની ઓળખવીધી કરવામાં આવી હતી. યુવકની આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.