બીલીમોરામાં ટ્રેન નીચે આવી જતા બે લોકોના મોત, મિત્રને બચાવવા જતા બીજો યુવક પણ મોતને ભેટ્યો


  • Published By :
  • Published Date : 2024-01-01 22:05:34

નવસારીના બીલીમોરા નજીક એક અરેરાટીભરી ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા હતા. નૂતન વર્ષના પ્રથમ દિવસે જ બનેલી આ કરુણ ઘટનામાં ટ્રેનની એડફેટે આવતા બે યુવકોના મોત થઈ ગયા હતા. આપઘાત કરવા માટે ટ્રેક આગળ ઊભેલા યુવકને બચાવવા જતા અન્ય યુવક પણ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. જેમાં બંને યુવકો મોતને ભેટ્યા હતા. સમગ્ર મામલે રેલવે પોલીસ અને બીલીમોરા પોલીસે તપાસ શરૂ કરી છે.


શા માટે કર્યો આપઘાત?


દાદર-બિકાનેર ટ્રેન નંબર 12400 ડાઉન લાઇન ઉપર રવિવાર સાંજે તેજ ગતિથી પસાર થઈ રહી હતી. જે બીલીમોરા- અમલસાડ રેલવે સ્ટેશન વચ્ચે દેવધા ગામના ભેંસલા ફળીયા ખાડી પાસેથી પસાર થતી હતી તે વેળા એક યુવાન ટ્રેન સામે આવી ગયો હતો. ટ્રેન ચાલકે દૂરથી સતત હોર્ન વગાડવા છતાં યુવાન ટ્રેડ ઉપર જ હતો. તે વેળા હોર્ન સાંભળી તેને બચાવવા અન્ય યુવકે તેને પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રેનની તીવ્ર ગતિને કારણે બંને યુવાન ઉપર ટ્રેનનાં તોતિંગ પૈડી ફરી વળ્યાં હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને યુવાનોનાં મૃતદેહને હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યા હતા, જ્યાં તેમની ઓળખવીધી કરવામાં આવી હતી. યુવકની આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.