બીલીમોરામાં ટ્રેન નીચે આવી જતા બે લોકોના મોત, મિત્રને બચાવવા જતા બીજો યુવક પણ મોતને ભેટ્યો


  • Published By :
  • Published Date : 2024-01-01 22:05:34

નવસારીના બીલીમોરા નજીક એક અરેરાટીભરી ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા હતા. નૂતન વર્ષના પ્રથમ દિવસે જ બનેલી આ કરુણ ઘટનામાં ટ્રેનની એડફેટે આવતા બે યુવકોના મોત થઈ ગયા હતા. આપઘાત કરવા માટે ટ્રેક આગળ ઊભેલા યુવકને બચાવવા જતા અન્ય યુવક પણ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. જેમાં બંને યુવકો મોતને ભેટ્યા હતા. સમગ્ર મામલે રેલવે પોલીસ અને બીલીમોરા પોલીસે તપાસ શરૂ કરી છે.


શા માટે કર્યો આપઘાત?


દાદર-બિકાનેર ટ્રેન નંબર 12400 ડાઉન લાઇન ઉપર રવિવાર સાંજે તેજ ગતિથી પસાર થઈ રહી હતી. જે બીલીમોરા- અમલસાડ રેલવે સ્ટેશન વચ્ચે દેવધા ગામના ભેંસલા ફળીયા ખાડી પાસેથી પસાર થતી હતી તે વેળા એક યુવાન ટ્રેન સામે આવી ગયો હતો. ટ્રેન ચાલકે દૂરથી સતત હોર્ન વગાડવા છતાં યુવાન ટ્રેડ ઉપર જ હતો. તે વેળા હોર્ન સાંભળી તેને બચાવવા અન્ય યુવકે તેને પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રેનની તીવ્ર ગતિને કારણે બંને યુવાન ઉપર ટ્રેનનાં તોતિંગ પૈડી ફરી વળ્યાં હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને યુવાનોનાં મૃતદેહને હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યા હતા, જ્યાં તેમની ઓળખવીધી કરવામાં આવી હતી. યુવકની આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.