Gujaratમાં Heart Attackને કારણે એક જ દિવસમાં બે લોકોએ ગુમાવ્યો જીવ, એક ફરજ દરમિયાન તો બીજો વ્યક્તિ રસ્તા પર ઢળી પડ્યો...


  • Published By :
  • Published Date : 2023-10-09 11:06:58

અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે વર્તમાનમાં રહેવું જોઈએ. આજની ક્ષણને માણવી જોઈએ કારણ કે જીવનનો કોઈ ભરસો નથી રહ્યો. કોણ ક્યારે, ક્યાં અને કેવી રીતે મોતને ભેટે છે તે જાણી શકાતું નથી. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કોરોના બાદ યુવાનો મુખ્યત્વે હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે આજે બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. એક સમાચાર વલસાડથી સામે આવ્યા છે અને બીજા સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે. 

હાર્ટ એટેક પહેલા કેટલું હોય છે બ્લડ પ્રેશર? જાણો બંને વચ્ચે શું છે કનેક્શન!  - Time News

કોરોના તો ગયો, પરંતુ તે બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા!

એક સમય હતો જ્યારે લોકોના મોત કોરોનાને કારણે થઈ રહ્યા છે. કોરોના કાળ દરમિયાન આપણામાંથી અનેક લોકોએ પોતાના સ્વજનનોને ગુમાવ્યા હશે. કોરોના તો જતો રહ્યો પરંતુ તે બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોની અંદર જ હાર્ટ એટેકના બનેલા કિસ્સાઓએ ચિંતા વધારી છે. રાજકોટમાંથી અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ગણતરીના કલાકોમાં જ અનેક પરિવારોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. 


એક જ દિવસમાં બે લોકોના હાર્ટ એટેકને કારણે થયા મોત 

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ પહેલેથી ચિંતાનો વિષય તો હતો જ પરંતુ આજે બે લોકોના મોતથી ચિંતા ફરી વધી ગઈ છે. વલસાડમાં કંડક્ટરને હાર્ટ એટેક આવ્યો છે. ચાલુ બસમાં કંડક્ટરની તબિયત બગડી. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તે પહેલા તેમનું મોત થઈ ગયું હતું. બીજી ઘટના બનાસકાંઠામાં બની છે. 30 વર્ષીય યુવાનનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. નોકરી માટે યુવાન નીકળ્યો, રસ્તા પર અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા સુરતથી એક ઘટના સામે આવી હતી જેમાં યુવક  ગરબા રમી રહ્યો હતો અને અચાનક મોતને ભેટ્યો તે ઉપરાંત જામનગરથી પણ આવો કિસ્સો સામે આવ્યો હતો. 19 વર્ષીય યુવાન મોતને ભેટ્યો છે.  


ખેલૈયાઓ- ગરબા આયોજકો માટે AMAએ બહાર પાડી ગાઈડલાઈન્સ 

મહત્વનું છે કે થોડા સમય બાદ નવરાત્રીનો તહેવાર શરૂ થવાનો છે. નવરાત્રીમાં ગરબા માટે ખેલૈયાઓ ઉત્સુક છે. અલગ  અલગ સ્ટેપ પણ તૈયાર કરી દીધા છે પરંતુ યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ ગરબા આયોજકોની તેમજ ખેલૈયાઓની ચિંતા વઘારી છે. અનેક ગરબા આયોજકો ગરબા ગ્રાઉન્ડ પર મેડિકલ ટીમને રાખશે. ગરબા આયોજકો તેમજ ખેલૈયાઓ માટે એએમએએ ગાઈડલાઈન્સ બહાર પાડી છે.  





ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.