Gujaratમાં Heart Attackને કારણે એક જ દિવસમાં બે લોકોએ ગુમાવ્યો જીવ, એક ફરજ દરમિયાન તો બીજો વ્યક્તિ રસ્તા પર ઢળી પડ્યો...


  • Published By :
  • Published Date : 2023-10-09 11:06:58

અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે વર્તમાનમાં રહેવું જોઈએ. આજની ક્ષણને માણવી જોઈએ કારણ કે જીવનનો કોઈ ભરસો નથી રહ્યો. કોણ ક્યારે, ક્યાં અને કેવી રીતે મોતને ભેટે છે તે જાણી શકાતું નથી. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કોરોના બાદ યુવાનો મુખ્યત્વે હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે આજે બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. એક સમાચાર વલસાડથી સામે આવ્યા છે અને બીજા સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે. 

હાર્ટ એટેક પહેલા કેટલું હોય છે બ્લડ પ્રેશર? જાણો બંને વચ્ચે શું છે કનેક્શન!  - Time News

કોરોના તો ગયો, પરંતુ તે બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા!

એક સમય હતો જ્યારે લોકોના મોત કોરોનાને કારણે થઈ રહ્યા છે. કોરોના કાળ દરમિયાન આપણામાંથી અનેક લોકોએ પોતાના સ્વજનનોને ગુમાવ્યા હશે. કોરોના તો જતો રહ્યો પરંતુ તે બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોની અંદર જ હાર્ટ એટેકના બનેલા કિસ્સાઓએ ચિંતા વધારી છે. રાજકોટમાંથી અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ગણતરીના કલાકોમાં જ અનેક પરિવારોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. 


એક જ દિવસમાં બે લોકોના હાર્ટ એટેકને કારણે થયા મોત 

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ પહેલેથી ચિંતાનો વિષય તો હતો જ પરંતુ આજે બે લોકોના મોતથી ચિંતા ફરી વધી ગઈ છે. વલસાડમાં કંડક્ટરને હાર્ટ એટેક આવ્યો છે. ચાલુ બસમાં કંડક્ટરની તબિયત બગડી. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તે પહેલા તેમનું મોત થઈ ગયું હતું. બીજી ઘટના બનાસકાંઠામાં બની છે. 30 વર્ષીય યુવાનનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. નોકરી માટે યુવાન નીકળ્યો, રસ્તા પર અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા સુરતથી એક ઘટના સામે આવી હતી જેમાં યુવક  ગરબા રમી રહ્યો હતો અને અચાનક મોતને ભેટ્યો તે ઉપરાંત જામનગરથી પણ આવો કિસ્સો સામે આવ્યો હતો. 19 વર્ષીય યુવાન મોતને ભેટ્યો છે.  


ખેલૈયાઓ- ગરબા આયોજકો માટે AMAએ બહાર પાડી ગાઈડલાઈન્સ 

મહત્વનું છે કે થોડા સમય બાદ નવરાત્રીનો તહેવાર શરૂ થવાનો છે. નવરાત્રીમાં ગરબા માટે ખેલૈયાઓ ઉત્સુક છે. અલગ  અલગ સ્ટેપ પણ તૈયાર કરી દીધા છે પરંતુ યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ ગરબા આયોજકોની તેમજ ખેલૈયાઓની ચિંતા વઘારી છે. અનેક ગરબા આયોજકો ગરબા ગ્રાઉન્ડ પર મેડિકલ ટીમને રાખશે. ગરબા આયોજકો તેમજ ખેલૈયાઓ માટે એએમએએ ગાઈડલાઈન્સ બહાર પાડી છે.  





ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી