નોકરીમાંથી કાઢી મૂકાતા બે કારીગરોએ કરી માલિકની હત્યા, પોલીસે આરોપીઓની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-25 17:22:32

સુરતમાં એક એવી ઘટના બની છે જેણે લોકોને હચમચાવી દીધા છે. અમરોલી વિસ્તારમાં આવેલા એમ્બ્રોડરી કારખાનામાં બે લોકોએ આવી ત્રણ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. મળતી માહિતી અનુસાર આ વેદાંત ટેક્સો નામના એમ્બ્રોડરી કારખાનામાં બની છે. કારખાનામાં બે લોકો ચપ્પુ તેમજ ઘાતક હથિયારો સાથે આપી પહોંચ્યા અને કારખાનાના માલિક, પુત્ર સહિત 3 લોકોની હત્યા કરી દીધી. 


સુરતમાં સર્જાયો અફરાતફરીનો માહોલ

સુરતમાં ત્રિપલ મર્ડર હત્યાની ઘટના બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા એમ્બ્રોડરી કારખાનાના માલિકે અમુક લોકોને નોકરીમાંથી કાઠી મૂક્યા હતા. નોકરીમાંથી નિકાળી મૂકાતા મારામારીની ઘટના સર્જાઈ છે. કારખાનામાં ઘૂસી બે લોકોએ કારખાનાના માલિક, તેમના પુત્ર સહિત ત્રણ લોકોની હત્યા કરી નાખી. ઘાતક હથિયારો અને ચપ્પુ લઈ કારખાનામાં બે લોકો દાખલ થયા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ ઘટનાને કારણે સુરતમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.     


નોકરીમાંથી કાઢી મૂકાતા કરી હત્યા 

આ ઘટનાને લઈ પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા છે. હોસ્પિટલ ખાતે વીનુ મોરડિયા, ધારાસભ્ય કુમાર કાનાણી સહિતના નેતાઓ પહોંચી ગયા હતા. આ ઘટનાને અંજામ આપનાર આરોપીને પકડી પાડ્યા હતા. આ ઘટનાને પગલે સુરત ક્રાઈમ બ્રાંચ સહિતની પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. કારખાનામાં કામ કરતા કારીગરોની પોલીસે ધરપકડ કરી છે. 


ઘટના બાદ ધારાસભ્ય હોસ્પિટલ દોડી આવ્યા 

આ ઘટનાની જાણ થતાં સુરતમાં ચકચાર મચી ગયો હતો. ઘટનાને પગલે હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ તેમજ સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. ત્રિપલ મર્ડર ઘટનાને અંજામ આપનાર બે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. હત્યા કરી આરોપી ફરાર થઈ ગયા હતા. સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી તે બાદ ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસે કાર્યવાહી કરી હતી.                




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.