નોકરીમાંથી કાઢી મૂકાતા બે કારીગરોએ કરી માલિકની હત્યા, પોલીસે આરોપીઓની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-25 17:22:32

સુરતમાં એક એવી ઘટના બની છે જેણે લોકોને હચમચાવી દીધા છે. અમરોલી વિસ્તારમાં આવેલા એમ્બ્રોડરી કારખાનામાં બે લોકોએ આવી ત્રણ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. મળતી માહિતી અનુસાર આ વેદાંત ટેક્સો નામના એમ્બ્રોડરી કારખાનામાં બની છે. કારખાનામાં બે લોકો ચપ્પુ તેમજ ઘાતક હથિયારો સાથે આપી પહોંચ્યા અને કારખાનાના માલિક, પુત્ર સહિત 3 લોકોની હત્યા કરી દીધી. 


સુરતમાં સર્જાયો અફરાતફરીનો માહોલ

સુરતમાં ત્રિપલ મર્ડર હત્યાની ઘટના બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા એમ્બ્રોડરી કારખાનાના માલિકે અમુક લોકોને નોકરીમાંથી કાઠી મૂક્યા હતા. નોકરીમાંથી નિકાળી મૂકાતા મારામારીની ઘટના સર્જાઈ છે. કારખાનામાં ઘૂસી બે લોકોએ કારખાનાના માલિક, તેમના પુત્ર સહિત ત્રણ લોકોની હત્યા કરી નાખી. ઘાતક હથિયારો અને ચપ્પુ લઈ કારખાનામાં બે લોકો દાખલ થયા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ ઘટનાને કારણે સુરતમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.     


નોકરીમાંથી કાઢી મૂકાતા કરી હત્યા 

આ ઘટનાને લઈ પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા છે. હોસ્પિટલ ખાતે વીનુ મોરડિયા, ધારાસભ્ય કુમાર કાનાણી સહિતના નેતાઓ પહોંચી ગયા હતા. આ ઘટનાને અંજામ આપનાર આરોપીને પકડી પાડ્યા હતા. આ ઘટનાને પગલે સુરત ક્રાઈમ બ્રાંચ સહિતની પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. કારખાનામાં કામ કરતા કારીગરોની પોલીસે ધરપકડ કરી છે. 


ઘટના બાદ ધારાસભ્ય હોસ્પિટલ દોડી આવ્યા 

આ ઘટનાની જાણ થતાં સુરતમાં ચકચાર મચી ગયો હતો. ઘટનાને પગલે હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ તેમજ સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. ત્રિપલ મર્ડર ઘટનાને અંજામ આપનાર બે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. હત્યા કરી આરોપી ફરાર થઈ ગયા હતા. સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી તે બાદ ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસે કાર્યવાહી કરી હતી.                




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.