સુપ્રીમ કૉર્ટના નવનિયુક્ત મુખ્ય ન્યાયામૂર્તિ યુયુ લલીત લાગુ કરશે નવી સિસ્ટમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 19:46:29

તાજેતરમાં જ સુપ્રીમ કૉર્ટના મુખ્ય ન્યાયામૂર્તિ પદે બીરાજેલા ભારતના 49મા મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતે જૂના કેસને પતાવવા માટે 1 સપ્ટેમ્બરથી નવી સિસ્ટમ ઉભી કરવાની જાહેરાત કરી દીધી છે. 

સોલિસિટર જનરલ તુષાર મહેતાને જણાવતા યુયુ લલીતે જણાવ્યું હતું કે જૂના કેસનો ઝડપથી નિકાલ કરવા માટે સુપ્રીમ કૉર્ટમાં ગુરુવારથી નવા બદલાવ કરવામાં આવશે.  તેમણે તમામ કેસને ચેંબરમાં દાખલ કરવાનો આદેશ કર્યો હતો અને સૂચન આપ્યું હતું કે જરૂર જણાશે તો કેસને યોગ્ય રીતે સૂચિબદ્ધ કરવામાં આવશે. 10 દિવસની અંદર મહત્વના કેસને વિશેષ કેસની અંદર રાખવામાં આવશે અને ઝડપથી નિકાલ કરવાની સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. 


કેવી રીતે જૂના કેસનો નિકાલ કરશે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ?

શપથ ગ્રહણના પહેલા જ દિવસે મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતે જાહેરાત કરી હતી કે તેઓ તમામ કેસને 10 દિવસની અંદર પારદર્શક ઢબે સૂચિબદ્ધ કરશે. જેના કારણે સુપ્રીમ કૉર્ટને ખબર પડશે કે કયા કેસને કઈ તારીખે લિસ્ટીંગ કરવામાં આવશે. 1 સપ્ટેમ્બર બાદ નવી સિસ્ટમને લાગુ કરવામાં આવશે અને મહત્વના કેસને પ્રધાન્યતા આપીને કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવશે.   


કોણ છે દેશના 49મા મુખ્ય ન્યાયમૂર્તિ?

9 સપ્ટેમ્બર 1957ના રોજ મહારાષ્ટ્રના સોલાપુરમાં જન્મેલા યુયુ લલીતનું પૂરું નામ છે ઉદય ઉમેશ લલીત. વકીલાતના અભ્યાસ બાદ વર્ષ 1983માં તેમણે બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. ત્રણ વર્ષની વકીલાત બાદ તેઓ દિલ્લી આવી ગયા હતા અને 1992માં તેમણે સુપ્રીમ કૉર્ટમાં વકીલાત શરૂ કરી હતી. તેમના ધર્મ પત્ની સ્કૂલ ચલાવે છે અને ચાર પેઢીથી તેમનો પરિવાર વકીલાત સાથે જોડાયેલો છે. 90 વર્ષના તેમના પિતા ઉમેશ રંગનાથ લલીત પણ વડી અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ છે. ત્રણ તલાકને ગેરબંધારણીય જાહેર કરાનાર બંધારણીય  પીઠના પાંચ સભ્યોમાંથી યુયુ લલીત એક હતા. તેમણી જ બંધારણીય પીઠે 'ગુડ ટચ બેડ ટચ'નો મહત્વનો ચુકાદો આપ્યો હતો.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી