AAP બાદ હવે ઉદ્ધવ ઠાકરે ગ્રૂપે UCCના સમર્થનની કરી જાહેરાત, જો કે ઉદ્ધવ ઠાકરે કરી આ ટકોર


  • Published By :
  • Published Date : 2023-06-30 22:25:36


યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે સમગ્ર દેશમાં ચર્ચાઓ જોર પર છે. આ દરમિયાન મોદી સરકારને વધુ એક પાર્ટીએ સમર્થન આપ્યું છે. શિવસેના યુબીટી સંસદમાં યુનિફોર્મ સિવિલ કોડનું સમર્થન કરશે. સંજય રાઉતને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે પાર્ટી હંમેશા UCCને સમર્થન આપવાનું વિચારી રહી છે પરંતુ અંતિમ નિર્ણય ડ્રાફ્ટ તૈયાર થયા બાદ લેવામાં આવશે. જો સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો સરકાર આગામી ચોમાસુ સત્રમાં સંસદમાં UCC પર બિલ લાવી શકે છે.


અગાઉ ઉદ્ધવ ઠાકરેએ પણ કરી આ ટકોર


અગાઉ બુધવારે, ઉદ્ધવ ઠાકરેએ મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યોને કહ્યું હતું કે તેમની પાર્ટી UCCને સમર્થન આપે છે. પરંતુ વિવિધ સમુદાયો પર કાયદાની સંભવિત અસર અંગે કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટતાની જરૂર છે. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે મોદી સરકારના પગલાનો હેતુ દેશમાં સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો છે. તેમણે MPLBને વિનંતી કરી કે તેઓ આ યુક્તિઓને વશ ન થાય અને સાંપ્રદાયિક સૌહાર્દ માટે કામ કરે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.