AAP બાદ હવે ઉદ્ધવ ઠાકરે ગ્રૂપે UCCના સમર્થનની કરી જાહેરાત, જો કે ઉદ્ધવ ઠાકરે કરી આ ટકોર


  • Published By :
  • Published Date : 2023-06-30 22:25:36


યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે સમગ્ર દેશમાં ચર્ચાઓ જોર પર છે. આ દરમિયાન મોદી સરકારને વધુ એક પાર્ટીએ સમર્થન આપ્યું છે. શિવસેના યુબીટી સંસદમાં યુનિફોર્મ સિવિલ કોડનું સમર્થન કરશે. સંજય રાઉતને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે પાર્ટી હંમેશા UCCને સમર્થન આપવાનું વિચારી રહી છે પરંતુ અંતિમ નિર્ણય ડ્રાફ્ટ તૈયાર થયા બાદ લેવામાં આવશે. જો સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો સરકાર આગામી ચોમાસુ સત્રમાં સંસદમાં UCC પર બિલ લાવી શકે છે.


અગાઉ ઉદ્ધવ ઠાકરેએ પણ કરી આ ટકોર


અગાઉ બુધવારે, ઉદ્ધવ ઠાકરેએ મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યોને કહ્યું હતું કે તેમની પાર્ટી UCCને સમર્થન આપે છે. પરંતુ વિવિધ સમુદાયો પર કાયદાની સંભવિત અસર અંગે કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટતાની જરૂર છે. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે મોદી સરકારના પગલાનો હેતુ દેશમાં સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો છે. તેમણે MPLBને વિનંતી કરી કે તેઓ આ યુક્તિઓને વશ ન થાય અને સાંપ્રદાયિક સૌહાર્દ માટે કામ કરે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.