AAP બાદ હવે ઉદ્ધવ ઠાકરે ગ્રૂપે UCCના સમર્થનની કરી જાહેરાત, જો કે ઉદ્ધવ ઠાકરે કરી આ ટકોર


  • Published By :
  • Published Date : 2023-06-30 22:25:36


યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે સમગ્ર દેશમાં ચર્ચાઓ જોર પર છે. આ દરમિયાન મોદી સરકારને વધુ એક પાર્ટીએ સમર્થન આપ્યું છે. શિવસેના યુબીટી સંસદમાં યુનિફોર્મ સિવિલ કોડનું સમર્થન કરશે. સંજય રાઉતને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે પાર્ટી હંમેશા UCCને સમર્થન આપવાનું વિચારી રહી છે પરંતુ અંતિમ નિર્ણય ડ્રાફ્ટ તૈયાર થયા બાદ લેવામાં આવશે. જો સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો સરકાર આગામી ચોમાસુ સત્રમાં સંસદમાં UCC પર બિલ લાવી શકે છે.


અગાઉ ઉદ્ધવ ઠાકરેએ પણ કરી આ ટકોર


અગાઉ બુધવારે, ઉદ્ધવ ઠાકરેએ મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યોને કહ્યું હતું કે તેમની પાર્ટી UCCને સમર્થન આપે છે. પરંતુ વિવિધ સમુદાયો પર કાયદાની સંભવિત અસર અંગે કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટતાની જરૂર છે. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે મોદી સરકારના પગલાનો હેતુ દેશમાં સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો છે. તેમણે MPLBને વિનંતી કરી કે તેઓ આ યુક્તિઓને વશ ન થાય અને સાંપ્રદાયિક સૌહાર્દ માટે કામ કરે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.