AAP બાદ હવે ઉદ્ધવ ઠાકરે ગ્રૂપે UCCના સમર્થનની કરી જાહેરાત, જો કે ઉદ્ધવ ઠાકરે કરી આ ટકોર


  • Published By :
  • Published Date : 2023-06-30 22:25:36


યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે સમગ્ર દેશમાં ચર્ચાઓ જોર પર છે. આ દરમિયાન મોદી સરકારને વધુ એક પાર્ટીએ સમર્થન આપ્યું છે. શિવસેના યુબીટી સંસદમાં યુનિફોર્મ સિવિલ કોડનું સમર્થન કરશે. સંજય રાઉતને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે પાર્ટી હંમેશા UCCને સમર્થન આપવાનું વિચારી રહી છે પરંતુ અંતિમ નિર્ણય ડ્રાફ્ટ તૈયાર થયા બાદ લેવામાં આવશે. જો સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો સરકાર આગામી ચોમાસુ સત્રમાં સંસદમાં UCC પર બિલ લાવી શકે છે.


અગાઉ ઉદ્ધવ ઠાકરેએ પણ કરી આ ટકોર


અગાઉ બુધવારે, ઉદ્ધવ ઠાકરેએ મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યોને કહ્યું હતું કે તેમની પાર્ટી UCCને સમર્થન આપે છે. પરંતુ વિવિધ સમુદાયો પર કાયદાની સંભવિત અસર અંગે કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટતાની જરૂર છે. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે મોદી સરકારના પગલાનો હેતુ દેશમાં સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો છે. તેમણે MPLBને વિનંતી કરી કે તેઓ આ યુક્તિઓને વશ ન થાય અને સાંપ્રદાયિક સૌહાર્દ માટે કામ કરે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.