ઉમા ભારતીના નિવેદનથી વધી ભાજપની ચિંતા, રાહુલ ગાંધી પર પણ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-12-31 16:55:21

ઉમા ભારતી પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. હિંદુ ધર્મને લઈ તેમણે એક ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું કે ભાજપ પાસે ભગવાન રામ, હનુમાન અથવા તો હિંદુ ધર્મ પર કોઈ પેટેન્ટ નથી. કોઈ પણ તેમના પર વિશ્વાસ કરી શકે છે. તેમણે કહ્યું કે રામ, તિરંગા, ગંગા અને ગાયમાં વિશ્વાસ બીજેપીએ નક્કી નથી કર્યો, બલ્કિ આ પહેલેથી જ તેમની અંદર છે. અંતર માત્ર એટલો છે કે અમારી આસ્થા રાજનીતિક લાભથી પર છે.


ભારત જોડો યાત્રા પીઓકેમાં કરવી જોઈએ - ઉમા ભારતી  

ભાજપના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી ઉમાભારતીએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધી અને ભારત જોડો યાત્રા પર નિશાન સાધતા કહ્યું કે દેશમાં આ યાત્રાની કોઈ જરૂરત નથી. તેમણે કહ્યું કે ભારત ટૂટ્યું ક્યારે હતું. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવી દીધી છે અને આખા ભારતને જોડી દીધું છે. રાહુલ ગાંધીએ આ યાત્રા પીઓકેમાં કરવી જોઈએ. 


મધ્યપ્રદેશમાં કોંગ્રેસના સૂપડાં સાફ થશે - ઉમા ભારતી 

રામ નામ પર થતી રાજનીતિ અંગે તેમણે નિવેદન આપ્યું કે રામનું નામ, હનુમાનનું નામ કે હિન્દુ ધર્મ પર બીજેપીની પેટન્ટ નથી. કોઈપણ વ્યક્તિ આના પર આસ્થા રાખે છે કે રાખી શકે છે. વધુમાં તેમણે કહ્યું કે રામ, તિરંગા, ગંગા અને ગાયો પર આસ્થા બીજેપીએ નક્કી નથી કરી. કોંગ્રેસ પણ પ્રહાર કર્યા કહ્યું કે મધ્યપ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે.    




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે