ઉમા ભારતીના નિવેદનથી વધી ભાજપની ચિંતા, રાહુલ ગાંધી પર પણ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-12-31 16:55:21

ઉમા ભારતી પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. હિંદુ ધર્મને લઈ તેમણે એક ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું કે ભાજપ પાસે ભગવાન રામ, હનુમાન અથવા તો હિંદુ ધર્મ પર કોઈ પેટેન્ટ નથી. કોઈ પણ તેમના પર વિશ્વાસ કરી શકે છે. તેમણે કહ્યું કે રામ, તિરંગા, ગંગા અને ગાયમાં વિશ્વાસ બીજેપીએ નક્કી નથી કર્યો, બલ્કિ આ પહેલેથી જ તેમની અંદર છે. અંતર માત્ર એટલો છે કે અમારી આસ્થા રાજનીતિક લાભથી પર છે.


ભારત જોડો યાત્રા પીઓકેમાં કરવી જોઈએ - ઉમા ભારતી  

ભાજપના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી ઉમાભારતીએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધી અને ભારત જોડો યાત્રા પર નિશાન સાધતા કહ્યું કે દેશમાં આ યાત્રાની કોઈ જરૂરત નથી. તેમણે કહ્યું કે ભારત ટૂટ્યું ક્યારે હતું. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવી દીધી છે અને આખા ભારતને જોડી દીધું છે. રાહુલ ગાંધીએ આ યાત્રા પીઓકેમાં કરવી જોઈએ. 


મધ્યપ્રદેશમાં કોંગ્રેસના સૂપડાં સાફ થશે - ઉમા ભારતી 

રામ નામ પર થતી રાજનીતિ અંગે તેમણે નિવેદન આપ્યું કે રામનું નામ, હનુમાનનું નામ કે હિન્દુ ધર્મ પર બીજેપીની પેટન્ટ નથી. કોઈપણ વ્યક્તિ આના પર આસ્થા રાખે છે કે રાખી શકે છે. વધુમાં તેમણે કહ્યું કે રામ, તિરંગા, ગંગા અને ગાયો પર આસ્થા બીજેપીએ નક્કી નથી કરી. કોંગ્રેસ પણ પ્રહાર કર્યા કહ્યું કે મધ્યપ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે.    




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.