ઉમા ભારતીના નિવેદનથી વધી ભાજપની ચિંતા, રાહુલ ગાંધી પર પણ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-12-31 16:55:21

ઉમા ભારતી પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. હિંદુ ધર્મને લઈ તેમણે એક ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું કે ભાજપ પાસે ભગવાન રામ, હનુમાન અથવા તો હિંદુ ધર્મ પર કોઈ પેટેન્ટ નથી. કોઈ પણ તેમના પર વિશ્વાસ કરી શકે છે. તેમણે કહ્યું કે રામ, તિરંગા, ગંગા અને ગાયમાં વિશ્વાસ બીજેપીએ નક્કી નથી કર્યો, બલ્કિ આ પહેલેથી જ તેમની અંદર છે. અંતર માત્ર એટલો છે કે અમારી આસ્થા રાજનીતિક લાભથી પર છે.


ભારત જોડો યાત્રા પીઓકેમાં કરવી જોઈએ - ઉમા ભારતી  

ભાજપના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી ઉમાભારતીએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધી અને ભારત જોડો યાત્રા પર નિશાન સાધતા કહ્યું કે દેશમાં આ યાત્રાની કોઈ જરૂરત નથી. તેમણે કહ્યું કે ભારત ટૂટ્યું ક્યારે હતું. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવી દીધી છે અને આખા ભારતને જોડી દીધું છે. રાહુલ ગાંધીએ આ યાત્રા પીઓકેમાં કરવી જોઈએ. 


મધ્યપ્રદેશમાં કોંગ્રેસના સૂપડાં સાફ થશે - ઉમા ભારતી 

રામ નામ પર થતી રાજનીતિ અંગે તેમણે નિવેદન આપ્યું કે રામનું નામ, હનુમાનનું નામ કે હિન્દુ ધર્મ પર બીજેપીની પેટન્ટ નથી. કોઈપણ વ્યક્તિ આના પર આસ્થા રાખે છે કે રાખી શકે છે. વધુમાં તેમણે કહ્યું કે રામ, તિરંગા, ગંગા અને ગાયો પર આસ્થા બીજેપીએ નક્કી નથી કરી. કોંગ્રેસ પણ પ્રહાર કર્યા કહ્યું કે મધ્યપ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.