ઉમરેઠમાં ગુસ્સે થયેલા યુવકનો તેની સાથે રહેતી યુવતી પર છરીથી હુમલો, યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા


  • Published By :
  • Published Date : 2023-01-22 19:26:35

રાજ્યમાં હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. શહેરી વિસ્તારોમાં તો આવા બનાવો રોજિંદા બન્યા છે. આજે આણંદના ઉમરેઠમાં યુવતીનું ગળુ કાપી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉમરેઠની કાછીયાપોળમાં ગઈકાલે યુવક-યુવતી ભાડે રહેવા આવ્યા હતા. વહેલી સવારથી યુવક યુવતી વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. બપોરના સમયે યુવકે યુવતીના ગળામાં ઘા મારી બાથરૂમમાં પૂરી દીધી હતી. ત્યાર બાદ અજાણ્યો યુવક મકાન બહાર તાળું મારી જતો રહ્યો હતો. 


સ્થાનિકોએ 108ને જાણ કરી


ઘાયલ યુવતીએ બુમબરાડા કરતા આસપાસના રહીશોએ મકાન માલિકને જાણ કરી હતી. મકાન ખોલતા જ બાથરૂમમાંથી ઘાયલ યુવતી ઢળી પડી હતી. ત્યાર બાદ સ્થાનિક રહીશોએ 108 ને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી. યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા થતા નડિયાદ સિવિલમાં ખસેડાઈ છે. 


પોલીસે ઘટના અંગે તપાસ આરંભી


ઉમરેઠની આ ઘટના અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કપલ એક દિવસ પહેલાં જ અહીં ભાડે રહેવા આવ્યું હતું. યુવક-યુવતી વચ્ચે અણબનાવ થતા યુવકે યુવતીના ગળે છરી ચલાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તો સ્થાનિક લોકો પણ તેમના વિશે કંઈ જાણતા નથી. ઉમરેઠ પોલીસને આ અંગે જાણ થતાં ઘટના અંગે કાયદેસર કાર્યવાહી આરંભી છે, તથા અજાણ્યા યુવક યુવતી ક્યાંના છે તેની પણ તપાસ શરૂ કરી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.