ઉમરેઠમાં ગુસ્સે થયેલા યુવકનો તેની સાથે રહેતી યુવતી પર છરીથી હુમલો, યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા


  • Published By :
  • Published Date : 2023-01-22 19:26:35

રાજ્યમાં હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. શહેરી વિસ્તારોમાં તો આવા બનાવો રોજિંદા બન્યા છે. આજે આણંદના ઉમરેઠમાં યુવતીનું ગળુ કાપી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉમરેઠની કાછીયાપોળમાં ગઈકાલે યુવક-યુવતી ભાડે રહેવા આવ્યા હતા. વહેલી સવારથી યુવક યુવતી વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. બપોરના સમયે યુવકે યુવતીના ગળામાં ઘા મારી બાથરૂમમાં પૂરી દીધી હતી. ત્યાર બાદ અજાણ્યો યુવક મકાન બહાર તાળું મારી જતો રહ્યો હતો. 


સ્થાનિકોએ 108ને જાણ કરી


ઘાયલ યુવતીએ બુમબરાડા કરતા આસપાસના રહીશોએ મકાન માલિકને જાણ કરી હતી. મકાન ખોલતા જ બાથરૂમમાંથી ઘાયલ યુવતી ઢળી પડી હતી. ત્યાર બાદ સ્થાનિક રહીશોએ 108 ને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી. યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા થતા નડિયાદ સિવિલમાં ખસેડાઈ છે. 


પોલીસે ઘટના અંગે તપાસ આરંભી


ઉમરેઠની આ ઘટના અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કપલ એક દિવસ પહેલાં જ અહીં ભાડે રહેવા આવ્યું હતું. યુવક-યુવતી વચ્ચે અણબનાવ થતા યુવકે યુવતીના ગળે છરી ચલાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તો સ્થાનિક લોકો પણ તેમના વિશે કંઈ જાણતા નથી. ઉમરેઠ પોલીસને આ અંગે જાણ થતાં ઘટના અંગે કાયદેસર કાર્યવાહી આરંભી છે, તથા અજાણ્યા યુવક યુવતી ક્યાંના છે તેની પણ તપાસ શરૂ કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે