ઉમરેઠમાં ગુસ્સે થયેલા યુવકનો તેની સાથે રહેતી યુવતી પર છરીથી હુમલો, યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા


  • Published By :
  • Published Date : 2023-01-22 19:26:35

રાજ્યમાં હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. શહેરી વિસ્તારોમાં તો આવા બનાવો રોજિંદા બન્યા છે. આજે આણંદના ઉમરેઠમાં યુવતીનું ગળુ કાપી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉમરેઠની કાછીયાપોળમાં ગઈકાલે યુવક-યુવતી ભાડે રહેવા આવ્યા હતા. વહેલી સવારથી યુવક યુવતી વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. બપોરના સમયે યુવકે યુવતીના ગળામાં ઘા મારી બાથરૂમમાં પૂરી દીધી હતી. ત્યાર બાદ અજાણ્યો યુવક મકાન બહાર તાળું મારી જતો રહ્યો હતો. 


સ્થાનિકોએ 108ને જાણ કરી


ઘાયલ યુવતીએ બુમબરાડા કરતા આસપાસના રહીશોએ મકાન માલિકને જાણ કરી હતી. મકાન ખોલતા જ બાથરૂમમાંથી ઘાયલ યુવતી ઢળી પડી હતી. ત્યાર બાદ સ્થાનિક રહીશોએ 108 ને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી. યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા થતા નડિયાદ સિવિલમાં ખસેડાઈ છે. 


પોલીસે ઘટના અંગે તપાસ આરંભી


ઉમરેઠની આ ઘટના અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કપલ એક દિવસ પહેલાં જ અહીં ભાડે રહેવા આવ્યું હતું. યુવક-યુવતી વચ્ચે અણબનાવ થતા યુવકે યુવતીના ગળે છરી ચલાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તો સ્થાનિક લોકો પણ તેમના વિશે કંઈ જાણતા નથી. ઉમરેઠ પોલીસને આ અંગે જાણ થતાં ઘટના અંગે કાયદેસર કાર્યવાહી આરંભી છે, તથા અજાણ્યા યુવક યુવતી ક્યાંના છે તેની પણ તપાસ શરૂ કરી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.