Banaskantha Lok sabha seatનું સમજો સમીકરણ, એ બેઠક જ્યાં BJPએ રેખાબેન ચૌધરીને તો Congressએ Geniben Thakorને ઉતાર્યા છે ચૂંટણી મેદાનમાં


  • Published By :
  • Published Date : 2024-03-15 14:00:27

લોકસભા ચૂંટણીની તારીખ આવતી કાલે જાહેર થવાની છે. ચૂંટણી પંચ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે કે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને સમગ્ર કાર્યક્રમનું એલાન કરવામાં આવશે. ગુજરાતની 26 લોકસભા બેઠક પર એક જ તબક્કામાં મતદાન યોજાય તેવી સંભાવનાઓ છે. 26 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવારોના નામની અને આમ આદમી પાર્ટીએ 2 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે આજે સમજીએ બનાસકાંઠા લોકસભા સીટોના જાતીગત સમીકરણો અને સમજીએ ત્યાંની રાજનીતિ...

Geniben Thakor - 7 - Vav Vidhan Sabha Constituency - Member Of Legislative  Assembly (MLA) - Incumbent - B - 7 - Vav MLA - OpenCampaign Politician  Profile - India's Best Civic Engagement Platform!

Gujarat: Rekhaben Hiteshbhai Chaudhary, BJP Candidate From Banaskantha  Constituency – Timeline Daily

કઈ પાર્ટીએ કોને બનાવ્યા ઉમેદવાર? 

વાત કરીએ બનાસકાંઠા લોકસભા બેઠકની જ્યાં કોંગ્રેસ તેમજ ભાજપે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. ભાજપમાંથી રેખાબેન ચૌધરી ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર ઉમેદવારી નોંધાવાના છે.  ગેનીબેને આ વખતે ચૂંટણીમાં theme રાખી છે બનાસ માંગે મજબૂત બેન , બનાસ માંગે ગેનીબેન .તેઓ વાવના ધારાસભ્ય છે, જ્યારે રેખાબેન ચૌધરી કે જેઓ બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી છે . 


શું છે બનાસકાંઠાના જાતિગત સમીકરણો?

જો ત્યાંના જાતિગત સમીકરણની વાત કરીએ તો આ બેઠક પર ૩.૫ લાખ જેટલા ઠાકોરો છે, ૨ લાખ ચૌધરી સમુદાયના લોકો છે. જ્યારે ૬૨૦૦૦ રબારી સમુદાયના લોકો છે. આ લોકસભામાં ૭ વિધાનસભાઓ આવે છે જેમાં  વાવ, થરાદ, ધાનેરા,દાંતા, પાલનપુર, ડીસા અને દિઓદરનો સમાવેશ થાય છે. 2૦22માં માત્ર વાવ અને દાંતા બેઠકો જ કોંગ્રેસ જીતી શકી હતી જ્યારે ધાનેરા પર અપક્ષ ઉમેદવાર જીતી ગયા હતા. બાકીની બધી જ  બેઠકો ભાજપ જોડે છે .  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.