Banaskantha Lok sabha seatનું સમજો સમીકરણ, એ બેઠક જ્યાં BJPએ રેખાબેન ચૌધરીને તો Congressએ Geniben Thakorને ઉતાર્યા છે ચૂંટણી મેદાનમાં


  • Published By :
  • Published Date : 2024-03-15 14:00:27

લોકસભા ચૂંટણીની તારીખ આવતી કાલે જાહેર થવાની છે. ચૂંટણી પંચ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે કે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને સમગ્ર કાર્યક્રમનું એલાન કરવામાં આવશે. ગુજરાતની 26 લોકસભા બેઠક પર એક જ તબક્કામાં મતદાન યોજાય તેવી સંભાવનાઓ છે. 26 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવારોના નામની અને આમ આદમી પાર્ટીએ 2 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે આજે સમજીએ બનાસકાંઠા લોકસભા સીટોના જાતીગત સમીકરણો અને સમજીએ ત્યાંની રાજનીતિ...

Geniben Thakor - 7 - Vav Vidhan Sabha Constituency - Member Of Legislative  Assembly (MLA) - Incumbent - B - 7 - Vav MLA - OpenCampaign Politician  Profile - India's Best Civic Engagement Platform!

Gujarat: Rekhaben Hiteshbhai Chaudhary, BJP Candidate From Banaskantha  Constituency – Timeline Daily

કઈ પાર્ટીએ કોને બનાવ્યા ઉમેદવાર? 

વાત કરીએ બનાસકાંઠા લોકસભા બેઠકની જ્યાં કોંગ્રેસ તેમજ ભાજપે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. ભાજપમાંથી રેખાબેન ચૌધરી ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર ઉમેદવારી નોંધાવાના છે.  ગેનીબેને આ વખતે ચૂંટણીમાં theme રાખી છે બનાસ માંગે મજબૂત બેન , બનાસ માંગે ગેનીબેન .તેઓ વાવના ધારાસભ્ય છે, જ્યારે રેખાબેન ચૌધરી કે જેઓ બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી છે . 


શું છે બનાસકાંઠાના જાતિગત સમીકરણો?

જો ત્યાંના જાતિગત સમીકરણની વાત કરીએ તો આ બેઠક પર ૩.૫ લાખ જેટલા ઠાકોરો છે, ૨ લાખ ચૌધરી સમુદાયના લોકો છે. જ્યારે ૬૨૦૦૦ રબારી સમુદાયના લોકો છે. આ લોકસભામાં ૭ વિધાનસભાઓ આવે છે જેમાં  વાવ, થરાદ, ધાનેરા,દાંતા, પાલનપુર, ડીસા અને દિઓદરનો સમાવેશ થાય છે. 2૦22માં માત્ર વાવ અને દાંતા બેઠકો જ કોંગ્રેસ જીતી શકી હતી જ્યારે ધાનેરા પર અપક્ષ ઉમેદવાર જીતી ગયા હતા. બાકીની બધી જ  બેઠકો ભાજપ જોડે છે .  




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે