Banaskantha Lok sabha seatનું સમજો સમીકરણ, એ બેઠક જ્યાં BJPએ રેખાબેન ચૌધરીને તો Congressએ Geniben Thakorને ઉતાર્યા છે ચૂંટણી મેદાનમાં


  • Published By :
  • Published Date : 2024-03-15 14:00:27

લોકસભા ચૂંટણીની તારીખ આવતી કાલે જાહેર થવાની છે. ચૂંટણી પંચ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે કે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને સમગ્ર કાર્યક્રમનું એલાન કરવામાં આવશે. ગુજરાતની 26 લોકસભા બેઠક પર એક જ તબક્કામાં મતદાન યોજાય તેવી સંભાવનાઓ છે. 26 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવારોના નામની અને આમ આદમી પાર્ટીએ 2 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે આજે સમજીએ બનાસકાંઠા લોકસભા સીટોના જાતીગત સમીકરણો અને સમજીએ ત્યાંની રાજનીતિ...

Geniben Thakor - 7 - Vav Vidhan Sabha Constituency - Member Of Legislative  Assembly (MLA) - Incumbent - B - 7 - Vav MLA - OpenCampaign Politician  Profile - India's Best Civic Engagement Platform!

Gujarat: Rekhaben Hiteshbhai Chaudhary, BJP Candidate From Banaskantha  Constituency – Timeline Daily

કઈ પાર્ટીએ કોને બનાવ્યા ઉમેદવાર? 

વાત કરીએ બનાસકાંઠા લોકસભા બેઠકની જ્યાં કોંગ્રેસ તેમજ ભાજપે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. ભાજપમાંથી રેખાબેન ચૌધરી ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર ઉમેદવારી નોંધાવાના છે.  ગેનીબેને આ વખતે ચૂંટણીમાં theme રાખી છે બનાસ માંગે મજબૂત બેન , બનાસ માંગે ગેનીબેન .તેઓ વાવના ધારાસભ્ય છે, જ્યારે રેખાબેન ચૌધરી કે જેઓ બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી છે . 


શું છે બનાસકાંઠાના જાતિગત સમીકરણો?

જો ત્યાંના જાતિગત સમીકરણની વાત કરીએ તો આ બેઠક પર ૩.૫ લાખ જેટલા ઠાકોરો છે, ૨ લાખ ચૌધરી સમુદાયના લોકો છે. જ્યારે ૬૨૦૦૦ રબારી સમુદાયના લોકો છે. આ લોકસભામાં ૭ વિધાનસભાઓ આવે છે જેમાં  વાવ, થરાદ, ધાનેરા,દાંતા, પાલનપુર, ડીસા અને દિઓદરનો સમાવેશ થાય છે. 2૦22માં માત્ર વાવ અને દાંતા બેઠકો જ કોંગ્રેસ જીતી શકી હતી જ્યારે ધાનેરા પર અપક્ષ ઉમેદવાર જીતી ગયા હતા. બાકીની બધી જ  બેઠકો ભાજપ જોડે છે .  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.