Mapના આધારે સમજો Gujaratના હવામાનને, 29 સપ્ટેમ્બર સુધી કયા જિલ્લાઓમાં થશે મેઘમહેર, જાણો વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-25 09:46:02

થોડા સમય બાદ ગુજરાતમાંથી ચોમાસુ વિરામ લેવાની શરૂઆત કરી દેશે. રાજ્યમાં સરેરાશ 100 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અનેક જગ્યાઓ પર મેઘ મહેર મેઘ કહેરમાં પરિવર્તિત થઈ ગઈ છે. ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પહેલા વરસાદ ન પડવાને ચિંતામાં હતા ખેડૂતો ત્યારે આગોતરા વરસાદે તેમની ચિંતા વધારી છે. વરસાદ વિદાય લેતા પહેલા અનેક જિલ્લાઓમાં વધુ એક રાઉન્ડ બેટિંગ કરી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

 આજે 25મી સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને મોરબીમાં વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી. આ ઉપરાંતના તમામ જિલ્લાઓના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જગ્યાઓ વરસી શકે છે વરસાદ 

વરસાદને લઈ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈ આગાહી કરી છે. ગુજરાતના અનેક ભાગો એવા છે જ્યાં વરસાદની સંભાવના નહીંવત છે પરંતુ અનેક જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. 25 સપ્ટેમ્બર માટે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જે મુજબ આજે તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદ નથી વરસવાનો. તે સિવાય હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 

 મંગળવારે 26મી સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ,જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા અંગે આગાહી કરવામાં આવી નથી. આ સાથે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતનાં જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

27 તારીખે આ જગ્યાઓ પર થઈ શકે છે હળવો વરસાદ

26 સપ્ટેમ્બર માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે. મંગળવારે  કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ,જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતનાં જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 સપ્ટેમ્બર માટે કરાયેલી આગાહી મુજબ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે આ દિવસ દરમિયાન કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા નહીંવત છે તેવી આગાહી કરવામાં આવી છે.  

 બુધવારે 27મી તારીખે, રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતનાં જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં સર્જાઈ હતી પૂર જેવી પરિસ્થિતિ 

28 તારીખે પણ માત્ર અમુક વિસ્તારો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર સહિતના વિસ્તારોમાં વરસાદ નહીં વરશે તેવી આગાહી કરવામાં આવી છે. આ દિવસે ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા થોડા દિવસોમાં પડેલા વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જનજીવન પર સૌથી વધારે અસર પડી છે.  


 ગુરૂવારે કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડાનું વાતાવરણ આજે ડ્રાય રહેવાની આગાહી છે. આ ઉપરાંતનાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે તો કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

 શુક્રવારે 29મી તારીખના રોજ કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડામાં વરસાદની શક્યતા નથી. આ ઉપરાંતનાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.