રાજસ્થાનથી આવેલા બેરોજગારો આખી રાત મેદાનમાં જ સૂઈ ગયા , ગેહલોતને મળવા કરી જીદ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 15:28:42

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે અને ત્યારે રાજનીતિ ગરમાઈ રહી છે. જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર બનાવ્યા છે અને કાલે રાજસ્થાનથી આવેલા બેરોજગારએ ગેહલોત સામે વિરોધ પ્રદર્શન કરવા અમદાવાદમાં ધામ નાખ્યા છે અને કાલે આખી રાત મેદાનમાં સૂઈ રહ્યા ! 7 દિવસ પૂર્ણ થયા છતાં રાજસ્થાન સરકાર વાતચીત ના કરતી હોવાથી યુવકોએ સડક પર સંઘર્ષ શરૂ કર્યો છે. તેમજ અશોક ગેહલોત મળશે તે બાદ વાતચીત કરવાનો નિશ્ચય કર્યો છે.

 

રાજસ્થાનમાં રોજગારી નથી ને ગુજરાતમાં વાયદા કરે છે

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે છતાં ત્યાંના બેરોજગાર અહી ગુજરાત આવ્યા છે વિરોધ કરવા અને અહી ગુજરાતમાં કોંગ્રેસ યુવાનોને રોજગારીના વચનો આપે છે. અને રાજસ્થાનના બેરોજગર સંઘ ગુજરાતમાં વિરોધ કરી રહ્યા છે.

 


અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર ગેહલોત સામે સૂત્રોચ્ચાર કર્યા.

અમદાવાદના પાલડી ખાતે આવેલી બેરોજગાર યુવાનો અશોક ગેહલોત સામે વિરોધ અને  સૂત્રોચ્ચાર કર્યા. અશોક ગેહલોત વિરુદ્ધ નારા લગાવ્યા હતા. જેથી પોલીસે તમામની અટકાયત કરી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.