રાજસ્થાનથી આવેલા બેરોજગારો આખી રાત મેદાનમાં જ સૂઈ ગયા , ગેહલોતને મળવા કરી જીદ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 15:28:42

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે અને ત્યારે રાજનીતિ ગરમાઈ રહી છે. જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર બનાવ્યા છે અને કાલે રાજસ્થાનથી આવેલા બેરોજગારએ ગેહલોત સામે વિરોધ પ્રદર્શન કરવા અમદાવાદમાં ધામ નાખ્યા છે અને કાલે આખી રાત મેદાનમાં સૂઈ રહ્યા ! 7 દિવસ પૂર્ણ થયા છતાં રાજસ્થાન સરકાર વાતચીત ના કરતી હોવાથી યુવકોએ સડક પર સંઘર્ષ શરૂ કર્યો છે. તેમજ અશોક ગેહલોત મળશે તે બાદ વાતચીત કરવાનો નિશ્ચય કર્યો છે.

 

રાજસ્થાનમાં રોજગારી નથી ને ગુજરાતમાં વાયદા કરે છે

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે છતાં ત્યાંના બેરોજગાર અહી ગુજરાત આવ્યા છે વિરોધ કરવા અને અહી ગુજરાતમાં કોંગ્રેસ યુવાનોને રોજગારીના વચનો આપે છે. અને રાજસ્થાનના બેરોજગર સંઘ ગુજરાતમાં વિરોધ કરી રહ્યા છે.

 


અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર ગેહલોત સામે સૂત્રોચ્ચાર કર્યા.

અમદાવાદના પાલડી ખાતે આવેલી બેરોજગાર યુવાનો અશોક ગેહલોત સામે વિરોધ અને  સૂત્રોચ્ચાર કર્યા. અશોક ગેહલોત વિરુદ્ધ નારા લગાવ્યા હતા. જેથી પોલીસે તમામની અટકાયત કરી હતી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે