રાજસ્થાનથી આવેલા બેરોજગારો આખી રાત મેદાનમાં જ સૂઈ ગયા , ગેહલોતને મળવા કરી જીદ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 15:28:42

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે અને ત્યારે રાજનીતિ ગરમાઈ રહી છે. જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર બનાવ્યા છે અને કાલે રાજસ્થાનથી આવેલા બેરોજગારએ ગેહલોત સામે વિરોધ પ્રદર્શન કરવા અમદાવાદમાં ધામ નાખ્યા છે અને કાલે આખી રાત મેદાનમાં સૂઈ રહ્યા ! 7 દિવસ પૂર્ણ થયા છતાં રાજસ્થાન સરકાર વાતચીત ના કરતી હોવાથી યુવકોએ સડક પર સંઘર્ષ શરૂ કર્યો છે. તેમજ અશોક ગેહલોત મળશે તે બાદ વાતચીત કરવાનો નિશ્ચય કર્યો છે.

 

રાજસ્થાનમાં રોજગારી નથી ને ગુજરાતમાં વાયદા કરે છે

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે છતાં ત્યાંના બેરોજગાર અહી ગુજરાત આવ્યા છે વિરોધ કરવા અને અહી ગુજરાતમાં કોંગ્રેસ યુવાનોને રોજગારીના વચનો આપે છે. અને રાજસ્થાનના બેરોજગર સંઘ ગુજરાતમાં વિરોધ કરી રહ્યા છે.

 


અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર ગેહલોત સામે સૂત્રોચ્ચાર કર્યા.

અમદાવાદના પાલડી ખાતે આવેલી બેરોજગાર યુવાનો અશોક ગેહલોત સામે વિરોધ અને  સૂત્રોચ્ચાર કર્યા. અશોક ગેહલોત વિરુદ્ધ નારા લગાવ્યા હતા. જેથી પોલીસે તમામની અટકાયત કરી હતી.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .