દેશમાં બેકારી બેકાબુ, બેરોજગારી દર વધીને 16 મહિનામાં સર્વોચ્ચ 8.30% સ્તરે પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-01-01 15:25:44

ભારતમાં બેરોજગારીની સમસ્યા વિકરાળ બની છે, ડિસેમ્બર મહિનામાં બેકારી દર વધીને 8.30 ટકા પર પહોંચી ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) દ્વારા રવિવારે આ ડેટા જાહેર કરવામાં આવ્યો છે જે બતાવે છે કે દેશમાં બેરોજગારી દર 16 મહિનામાં સૌથી વધુ છે. આ પહેલા દેશમાં બેરોજગારી દર 8 ટકા હતો. ડેટા બતાવે છે કે શહેરોમાં બેરોજગારી દર ડિસેમ્બર મહિનામાં વધીને 10.09 ટકા પર પહોંચી ગયો છે. જે ગયા મહિને 8.96 ટકા પર રહી હતી. તે જ પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં બેકારી દર 7.55 ટકા ઘટીને 7.44 ટકા થઈ ગઈ છે.   


વધતી મોંઘવારી અને બેકારી 


દેશમાં વધી રહેલી મોંઘવારીની સાથે-સાથે બેરોજગારીની સમસ્યાએ પરિસ્થિતી બેકાબુ બનાવી છે. યુવાનો માટે નવી નોકરીઓનું સર્જન કરવું તે મોદી સરકારમાં મોટો પડકાર બન્યો છે. આ મુદ્દો 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં પણ છવાયેલો રહે તેની શક્યતા છે. CMIE અનુસાર, ડિસેમ્બરમાં હરિયાણામાં બેરોજગારીનો દર વધીને 37.4 ટકા થયો હતો, ત્યારબાદ રાજસ્થાનમાં 28.5 ટકા અને દિલ્હીમાં 20.8 ટકા હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, CMIE અનુસાર, ડિસેમ્બરમાં રોજગાર દર વધીને 37.1 ટકા થયો છે, જે જાન્યુઆરી 2022 પછી સૌથી વધુ છે.


નિષ્ણાતો શું કહે છે?


દેશમાં બેકારીની સમસ્યા મુદ્દે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભારતે દેશમાં બેરોજગારી સામે લડવા માટે સૌથી વધુ ભાર જીડીપી ગ્રોથ પર આપવો જોઈએ. તે ઉપરાંત યુવાનોનો કૌશલ્ય વિકાસ, અને નિકાસલક્ષી ઉત્પાદન સહિતના મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.