દેશમાં બેકારી બેકાબુ, બેરોજગારી દર વધીને 16 મહિનામાં સર્વોચ્ચ 8.30% સ્તરે પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-01-01 15:25:44

ભારતમાં બેરોજગારીની સમસ્યા વિકરાળ બની છે, ડિસેમ્બર મહિનામાં બેકારી દર વધીને 8.30 ટકા પર પહોંચી ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) દ્વારા રવિવારે આ ડેટા જાહેર કરવામાં આવ્યો છે જે બતાવે છે કે દેશમાં બેરોજગારી દર 16 મહિનામાં સૌથી વધુ છે. આ પહેલા દેશમાં બેરોજગારી દર 8 ટકા હતો. ડેટા બતાવે છે કે શહેરોમાં બેરોજગારી દર ડિસેમ્બર મહિનામાં વધીને 10.09 ટકા પર પહોંચી ગયો છે. જે ગયા મહિને 8.96 ટકા પર રહી હતી. તે જ પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં બેકારી દર 7.55 ટકા ઘટીને 7.44 ટકા થઈ ગઈ છે.   


વધતી મોંઘવારી અને બેકારી 


દેશમાં વધી રહેલી મોંઘવારીની સાથે-સાથે બેરોજગારીની સમસ્યાએ પરિસ્થિતી બેકાબુ બનાવી છે. યુવાનો માટે નવી નોકરીઓનું સર્જન કરવું તે મોદી સરકારમાં મોટો પડકાર બન્યો છે. આ મુદ્દો 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં પણ છવાયેલો રહે તેની શક્યતા છે. CMIE અનુસાર, ડિસેમ્બરમાં હરિયાણામાં બેરોજગારીનો દર વધીને 37.4 ટકા થયો હતો, ત્યારબાદ રાજસ્થાનમાં 28.5 ટકા અને દિલ્હીમાં 20.8 ટકા હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, CMIE અનુસાર, ડિસેમ્બરમાં રોજગાર દર વધીને 37.1 ટકા થયો છે, જે જાન્યુઆરી 2022 પછી સૌથી વધુ છે.


નિષ્ણાતો શું કહે છે?


દેશમાં બેકારીની સમસ્યા મુદ્દે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભારતે દેશમાં બેરોજગારી સામે લડવા માટે સૌથી વધુ ભાર જીડીપી ગ્રોથ પર આપવો જોઈએ. તે ઉપરાંત યુવાનોનો કૌશલ્ય વિકાસ, અને નિકાસલક્ષી ઉત્પાદન સહિતના મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.