દેશમાં બેકારી બેકાબુ, બેરોજગારી દર વધીને 16 મહિનામાં સર્વોચ્ચ 8.30% સ્તરે પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-01-01 15:25:44

ભારતમાં બેરોજગારીની સમસ્યા વિકરાળ બની છે, ડિસેમ્બર મહિનામાં બેકારી દર વધીને 8.30 ટકા પર પહોંચી ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) દ્વારા રવિવારે આ ડેટા જાહેર કરવામાં આવ્યો છે જે બતાવે છે કે દેશમાં બેરોજગારી દર 16 મહિનામાં સૌથી વધુ છે. આ પહેલા દેશમાં બેરોજગારી દર 8 ટકા હતો. ડેટા બતાવે છે કે શહેરોમાં બેરોજગારી દર ડિસેમ્બર મહિનામાં વધીને 10.09 ટકા પર પહોંચી ગયો છે. જે ગયા મહિને 8.96 ટકા પર રહી હતી. તે જ પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં બેકારી દર 7.55 ટકા ઘટીને 7.44 ટકા થઈ ગઈ છે.   


વધતી મોંઘવારી અને બેકારી 


દેશમાં વધી રહેલી મોંઘવારીની સાથે-સાથે બેરોજગારીની સમસ્યાએ પરિસ્થિતી બેકાબુ બનાવી છે. યુવાનો માટે નવી નોકરીઓનું સર્જન કરવું તે મોદી સરકારમાં મોટો પડકાર બન્યો છે. આ મુદ્દો 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં પણ છવાયેલો રહે તેની શક્યતા છે. CMIE અનુસાર, ડિસેમ્બરમાં હરિયાણામાં બેરોજગારીનો દર વધીને 37.4 ટકા થયો હતો, ત્યારબાદ રાજસ્થાનમાં 28.5 ટકા અને દિલ્હીમાં 20.8 ટકા હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, CMIE અનુસાર, ડિસેમ્બરમાં રોજગાર દર વધીને 37.1 ટકા થયો છે, જે જાન્યુઆરી 2022 પછી સૌથી વધુ છે.


નિષ્ણાતો શું કહે છે?


દેશમાં બેકારીની સમસ્યા મુદ્દે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભારતે દેશમાં બેરોજગારી સામે લડવા માટે સૌથી વધુ ભાર જીડીપી ગ્રોથ પર આપવો જોઈએ. તે ઉપરાંત યુવાનોનો કૌશલ્ય વિકાસ, અને નિકાસલક્ષી ઉત્પાદન સહિતના મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.