દેશમાં બેકારી બેકાબુ, બેરોજગારી દર વધીને 16 મહિનામાં સર્વોચ્ચ 8.30% સ્તરે પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-01-01 15:25:44

ભારતમાં બેરોજગારીની સમસ્યા વિકરાળ બની છે, ડિસેમ્બર મહિનામાં બેકારી દર વધીને 8.30 ટકા પર પહોંચી ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) દ્વારા રવિવારે આ ડેટા જાહેર કરવામાં આવ્યો છે જે બતાવે છે કે દેશમાં બેરોજગારી દર 16 મહિનામાં સૌથી વધુ છે. આ પહેલા દેશમાં બેરોજગારી દર 8 ટકા હતો. ડેટા બતાવે છે કે શહેરોમાં બેરોજગારી દર ડિસેમ્બર મહિનામાં વધીને 10.09 ટકા પર પહોંચી ગયો છે. જે ગયા મહિને 8.96 ટકા પર રહી હતી. તે જ પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં બેકારી દર 7.55 ટકા ઘટીને 7.44 ટકા થઈ ગઈ છે.   


વધતી મોંઘવારી અને બેકારી 


દેશમાં વધી રહેલી મોંઘવારીની સાથે-સાથે બેરોજગારીની સમસ્યાએ પરિસ્થિતી બેકાબુ બનાવી છે. યુવાનો માટે નવી નોકરીઓનું સર્જન કરવું તે મોદી સરકારમાં મોટો પડકાર બન્યો છે. આ મુદ્દો 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં પણ છવાયેલો રહે તેની શક્યતા છે. CMIE અનુસાર, ડિસેમ્બરમાં હરિયાણામાં બેરોજગારીનો દર વધીને 37.4 ટકા થયો હતો, ત્યારબાદ રાજસ્થાનમાં 28.5 ટકા અને દિલ્હીમાં 20.8 ટકા હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, CMIE અનુસાર, ડિસેમ્બરમાં રોજગાર દર વધીને 37.1 ટકા થયો છે, જે જાન્યુઆરી 2022 પછી સૌથી વધુ છે.


નિષ્ણાતો શું કહે છે?


દેશમાં બેકારીની સમસ્યા મુદ્દે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભારતે દેશમાં બેરોજગારી સામે લડવા માટે સૌથી વધુ ભાર જીડીપી ગ્રોથ પર આપવો જોઈએ. તે ઉપરાંત યુવાનોનો કૌશલ્ય વિકાસ, અને નિકાસલક્ષી ઉત્પાદન સહિતના મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.