એપ્રિલમાં બેરોજગારીનો દર વધીને 8.11 ટકા પર પહોંચ્યો, શહેરોમાં સૌથી વધુ બેકારો: CMIE


  • Published By :
  • Published Date : 2023-05-02 21:30:54

દેશમાં એપ્રિલ મહિનામાં બેરોજગારીનો દર 8.11 ટકા પર પહોંચી ગયો છે. આ ચાર મહિનામાં તેનું સર્વોચ્ચ સ્તર છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) અનુસાર, આ સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારોમાં બેરોજગારી 8.51 ટકાથી વધીને 9.81 ટકા થઈ છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તેમાં ઘટાડો થયો છે. એપ્રિલમાં ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 7.47 ટકાથી ઘટીને 7.34 ટકા થયો હતો. અગાઉ માર્ચમાં સમગ્ર દેશમાં બેરોજગારીનો દર 7.8 ટકા હતો. શ્રમ સહભાગિતા દર (labor participation rate)માં વધારો થવાને કારણે દેશમાં બેરોજગારીનો દર વધ્યો છે. એપ્રિલમાં તે 41.98 ટકા હતો, જે ત્રણ વર્ષમાં તેનું સર્વોચ્ચ સ્તર છે.Image


એપ્રિલમાં લેબર ફોર્સ વધીને 46.76 કરોડ પર પહોંચી


CMIEના વડા મહેશ વ્યાસે જણાવ્યું હતું કે શ્રમ સહભાગિતા દરમાં વધારો થવાને કારણે દેશમાં બેરોજગારીનો દર વધ્યો છે. એપ્રિલમાં દેશનું શ્રમબળ (labor force) 2.55 કરોડ વધીને 46.76 કરોડ પર પહોંચી ગયું છે. તેમાંથી લગભગ 87 ટકા લોકોને રોજગાર મેળવવામાં સફળતા મળી છે. તેનું કારણ એ છે કે એપ્રિલમાં 2.21 કરોડ વધારાની નોકરીઓનું સર્જન થયું હતું. એપ્રિલમાં રોજગાર દર વધીને 38.57 ટકા થયો છે, જે માર્ચ 2020 પછીનું તેનું સર્વોચ્ચ સ્તર છે. વ્યાસે જણાવ્યું હતું કે એપ્રિલમાં શ્રમ સહભાગિતા દર અને રોજગાર દરમાં વધારો એ સાબિત કરે છે કે લોકોની રોજગાર મેળવવાની ઈચ્છા વધી છે.


ચાર મહિનાનું ટોચનું સ્તર


એપ્રિલમાં શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો વધી છે. ગ્રામીણ વિસ્તારોમાં 94.6 ટકા શ્રમિકોને રોજગારી મળી છે જ્યારે શહેરી વિસ્તારોમાં માત્ર 54.8 ટકાને જ નવી નોકરીઓ મળી છે. CMIEના ડેટા અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા હેઠળ રોજગારની માંગ ઘટી રહી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.