એપ્રિલમાં બેરોજગારીનો દર વધીને 8.11 ટકા પર પહોંચ્યો, શહેરોમાં સૌથી વધુ બેકારો: CMIE


  • Published By :
  • Published Date : 2023-05-02 21:30:54

દેશમાં એપ્રિલ મહિનામાં બેરોજગારીનો દર 8.11 ટકા પર પહોંચી ગયો છે. આ ચાર મહિનામાં તેનું સર્વોચ્ચ સ્તર છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) અનુસાર, આ સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારોમાં બેરોજગારી 8.51 ટકાથી વધીને 9.81 ટકા થઈ છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તેમાં ઘટાડો થયો છે. એપ્રિલમાં ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 7.47 ટકાથી ઘટીને 7.34 ટકા થયો હતો. અગાઉ માર્ચમાં સમગ્ર દેશમાં બેરોજગારીનો દર 7.8 ટકા હતો. શ્રમ સહભાગિતા દર (labor participation rate)માં વધારો થવાને કારણે દેશમાં બેરોજગારીનો દર વધ્યો છે. એપ્રિલમાં તે 41.98 ટકા હતો, જે ત્રણ વર્ષમાં તેનું સર્વોચ્ચ સ્તર છે.Image


એપ્રિલમાં લેબર ફોર્સ વધીને 46.76 કરોડ પર પહોંચી


CMIEના વડા મહેશ વ્યાસે જણાવ્યું હતું કે શ્રમ સહભાગિતા દરમાં વધારો થવાને કારણે દેશમાં બેરોજગારીનો દર વધ્યો છે. એપ્રિલમાં દેશનું શ્રમબળ (labor force) 2.55 કરોડ વધીને 46.76 કરોડ પર પહોંચી ગયું છે. તેમાંથી લગભગ 87 ટકા લોકોને રોજગાર મેળવવામાં સફળતા મળી છે. તેનું કારણ એ છે કે એપ્રિલમાં 2.21 કરોડ વધારાની નોકરીઓનું સર્જન થયું હતું. એપ્રિલમાં રોજગાર દર વધીને 38.57 ટકા થયો છે, જે માર્ચ 2020 પછીનું તેનું સર્વોચ્ચ સ્તર છે. વ્યાસે જણાવ્યું હતું કે એપ્રિલમાં શ્રમ સહભાગિતા દર અને રોજગાર દરમાં વધારો એ સાબિત કરે છે કે લોકોની રોજગાર મેળવવાની ઈચ્છા વધી છે.


ચાર મહિનાનું ટોચનું સ્તર


એપ્રિલમાં શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો વધી છે. ગ્રામીણ વિસ્તારોમાં 94.6 ટકા શ્રમિકોને રોજગારી મળી છે જ્યારે શહેરી વિસ્તારોમાં માત્ર 54.8 ટકાને જ નવી નોકરીઓ મળી છે. CMIEના ડેટા અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા હેઠળ રોજગારની માંગ ઘટી રહી છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.