એપ્રિલમાં બેરોજગારીનો દર વધીને 8.11 ટકા પર પહોંચ્યો, શહેરોમાં સૌથી વધુ બેકારો: CMIE


  • Published By :
  • Published Date : 2023-05-02 21:30:54

દેશમાં એપ્રિલ મહિનામાં બેરોજગારીનો દર 8.11 ટકા પર પહોંચી ગયો છે. આ ચાર મહિનામાં તેનું સર્વોચ્ચ સ્તર છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) અનુસાર, આ સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારોમાં બેરોજગારી 8.51 ટકાથી વધીને 9.81 ટકા થઈ છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તેમાં ઘટાડો થયો છે. એપ્રિલમાં ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 7.47 ટકાથી ઘટીને 7.34 ટકા થયો હતો. અગાઉ માર્ચમાં સમગ્ર દેશમાં બેરોજગારીનો દર 7.8 ટકા હતો. શ્રમ સહભાગિતા દર (labor participation rate)માં વધારો થવાને કારણે દેશમાં બેરોજગારીનો દર વધ્યો છે. એપ્રિલમાં તે 41.98 ટકા હતો, જે ત્રણ વર્ષમાં તેનું સર્વોચ્ચ સ્તર છે.Image


એપ્રિલમાં લેબર ફોર્સ વધીને 46.76 કરોડ પર પહોંચી


CMIEના વડા મહેશ વ્યાસે જણાવ્યું હતું કે શ્રમ સહભાગિતા દરમાં વધારો થવાને કારણે દેશમાં બેરોજગારીનો દર વધ્યો છે. એપ્રિલમાં દેશનું શ્રમબળ (labor force) 2.55 કરોડ વધીને 46.76 કરોડ પર પહોંચી ગયું છે. તેમાંથી લગભગ 87 ટકા લોકોને રોજગાર મેળવવામાં સફળતા મળી છે. તેનું કારણ એ છે કે એપ્રિલમાં 2.21 કરોડ વધારાની નોકરીઓનું સર્જન થયું હતું. એપ્રિલમાં રોજગાર દર વધીને 38.57 ટકા થયો છે, જે માર્ચ 2020 પછીનું તેનું સર્વોચ્ચ સ્તર છે. વ્યાસે જણાવ્યું હતું કે એપ્રિલમાં શ્રમ સહભાગિતા દર અને રોજગાર દરમાં વધારો એ સાબિત કરે છે કે લોકોની રોજગાર મેળવવાની ઈચ્છા વધી છે.


ચાર મહિનાનું ટોચનું સ્તર


એપ્રિલમાં શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો વધી છે. ગ્રામીણ વિસ્તારોમાં 94.6 ટકા શ્રમિકોને રોજગારી મળી છે જ્યારે શહેરી વિસ્તારોમાં માત્ર 54.8 ટકાને જ નવી નોકરીઓ મળી છે. CMIEના ડેટા અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા હેઠળ રોજગારની માંગ ઘટી રહી છે.



જનતા વતી જમાવટની ટીમ લોકસભા બેઠકના ઉમેદવારોને ફોન કરી રહી છે તેમનું વિઝન જાણવા માટે. ભાજપના ઉમેદવારે તો ફોન ના ઉપાડ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે તેમનું વિઝન જણાવ્યું હતું.

રાજકોટ લોકસભા બેઠક ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. પરેશ ધાનાણી અને પરષોત્તમ રૂપાલા આ બેઠકના ઉમેદવાર છે.. પરેશ ધાનાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લીડની વાત કરવામાં આવી રહી છે...

મતદાતાનો મિજાજ જાણવા માટે જમાવટ ઈલેક્શન યાત્રા પહોંચી હતી ભાવનગર.. ક્ષત્રિય સમાજના લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ તેઓ કરી રહ્યા છે.

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે થોડા સમય પહેલા મંત્રી કનુ દેસાઈએ કોળી સમાજને લઈ નિવેદન આપ્યું હતું જે બાદ કોળી સમાજ મેદાને આવ્યું છે. કોળી સમાજના લોકોએ હવન કરાવ્યો છે.