એપ્રિલમાં બેરોજગારીનો દર વધીને 8.11 ટકા પર પહોંચ્યો, શહેરોમાં સૌથી વધુ બેકારો: CMIE


  • Published By :
  • Published Date : 2023-05-02 21:30:54

દેશમાં એપ્રિલ મહિનામાં બેરોજગારીનો દર 8.11 ટકા પર પહોંચી ગયો છે. આ ચાર મહિનામાં તેનું સર્વોચ્ચ સ્તર છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) અનુસાર, આ સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારોમાં બેરોજગારી 8.51 ટકાથી વધીને 9.81 ટકા થઈ છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તેમાં ઘટાડો થયો છે. એપ્રિલમાં ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 7.47 ટકાથી ઘટીને 7.34 ટકા થયો હતો. અગાઉ માર્ચમાં સમગ્ર દેશમાં બેરોજગારીનો દર 7.8 ટકા હતો. શ્રમ સહભાગિતા દર (labor participation rate)માં વધારો થવાને કારણે દેશમાં બેરોજગારીનો દર વધ્યો છે. એપ્રિલમાં તે 41.98 ટકા હતો, જે ત્રણ વર્ષમાં તેનું સર્વોચ્ચ સ્તર છે.Image


એપ્રિલમાં લેબર ફોર્સ વધીને 46.76 કરોડ પર પહોંચી


CMIEના વડા મહેશ વ્યાસે જણાવ્યું હતું કે શ્રમ સહભાગિતા દરમાં વધારો થવાને કારણે દેશમાં બેરોજગારીનો દર વધ્યો છે. એપ્રિલમાં દેશનું શ્રમબળ (labor force) 2.55 કરોડ વધીને 46.76 કરોડ પર પહોંચી ગયું છે. તેમાંથી લગભગ 87 ટકા લોકોને રોજગાર મેળવવામાં સફળતા મળી છે. તેનું કારણ એ છે કે એપ્રિલમાં 2.21 કરોડ વધારાની નોકરીઓનું સર્જન થયું હતું. એપ્રિલમાં રોજગાર દર વધીને 38.57 ટકા થયો છે, જે માર્ચ 2020 પછીનું તેનું સર્વોચ્ચ સ્તર છે. વ્યાસે જણાવ્યું હતું કે એપ્રિલમાં શ્રમ સહભાગિતા દર અને રોજગાર દરમાં વધારો એ સાબિત કરે છે કે લોકોની રોજગાર મેળવવાની ઈચ્છા વધી છે.


ચાર મહિનાનું ટોચનું સ્તર


એપ્રિલમાં શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો વધી છે. ગ્રામીણ વિસ્તારોમાં 94.6 ટકા શ્રમિકોને રોજગારી મળી છે જ્યારે શહેરી વિસ્તારોમાં માત્ર 54.8 ટકાને જ નવી નોકરીઓ મળી છે. CMIEના ડેટા અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા હેઠળ રોજગારની માંગ ઘટી રહી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે