કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે ઈકોનોમિક સર્વે, રાષ્ટ્રપતિના સંબોધન બાદ સત્રની થશે શરૂઆત


  • Published By :
  • Published Date : 2023-01-31 09:41:46

સંસદમાં બજેટ રજૂ થવાનું છે. આજથી બજેટ સત્રનો પ્રારંભ થવાનો છે. બજેટ સત્ર પહેલા બંને સંસદની સંયુક્ત બેઠક થવાની છે જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સંબોધન કરવાના છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વે રજૂ કરવાના છે. આ આર્થિક સર્વે દેશના અર્થતંત્રની સ્થિતિ દર્શાવે છે. આ સર્વે પરથી નિષ્ણાંતો સામાન્ય બજેટની જોગવાઈ અંગે અંદાજ લગાવે છે. મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટી અને ચંદ્રશેખર રાવની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરવાના છે.

  

નિર્મલા સીતારમણ આર્થિક સર્વે કરશે રજૂ 

સંસદના સેંટ્રલ હોલ ખાતે રાષ્ટ્રપતિ અભિભાષણ કરવાના છે. તેમના ભાષણ બાદ સંસદની કાર્યવાહીનો પ્રારંભ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ એટલે કે ઈકોનોમિક સર્વે રજૂ કરવાના છે. આવતી કાલે એટલે કે પહેલી ફ્રેબુઆરીના રોજ મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળનું અંતિમ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આ બજેટમાં સરકાર અનેક મહત્વપૂર્ણ ઘોષણા કરી શકે છે. 

Budget 2023: બજેટના એક દિવસ પહેલા થયો મોટો ખુલાસો, આ વખતે ઘર ખરીદનારાઓ માટે થશે બલ્લે બલ્લે!

સત્રમાં અનેક બિલ થઈ શકે છે પાસ 

આ વર્ષનું બજેટ મહત્વનું માનવામાં આવે છે કારણ કે આ વર્ષ દરમિયાન અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. સંસદના પહેલા ભાગમાં 13 ફેબ્રુઆરી સુધી સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના સંબોધન અને સામાન્ય બજેટ પર ચર્ચા થશે. પ્રથમ ભાગમાં સંસદના બંને ગૃહોમાં કોઈ બિલ રજૂ કરવામાં નહીં આવે. 13 માર્ચથી 6 એપ્રિલ સુધીના બીજા ભાગ દરમિયાન કાયકાદીય કામકાજનો નિકાલ કરવામાં આવશે. 31 જાન્યુઆરીથી શરૂ થનારુ આ બજેટ સત્ર 6 એપ્રિલ સુધી ચાલવાનું છે અને જેમાં 27 જેટલી બેઠકો થવાની છે. આ સત્રમાં સરકાર અંદાજીત 36 બિલ લાવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.