કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે ઈકોનોમિક સર્વે, રાષ્ટ્રપતિના સંબોધન બાદ સત્રની થશે શરૂઆત


  • Published By :
  • Published Date : 2023-01-31 09:41:46

સંસદમાં બજેટ રજૂ થવાનું છે. આજથી બજેટ સત્રનો પ્રારંભ થવાનો છે. બજેટ સત્ર પહેલા બંને સંસદની સંયુક્ત બેઠક થવાની છે જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સંબોધન કરવાના છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વે રજૂ કરવાના છે. આ આર્થિક સર્વે દેશના અર્થતંત્રની સ્થિતિ દર્શાવે છે. આ સર્વે પરથી નિષ્ણાંતો સામાન્ય બજેટની જોગવાઈ અંગે અંદાજ લગાવે છે. મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટી અને ચંદ્રશેખર રાવની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરવાના છે.

  

નિર્મલા સીતારમણ આર્થિક સર્વે કરશે રજૂ 

સંસદના સેંટ્રલ હોલ ખાતે રાષ્ટ્રપતિ અભિભાષણ કરવાના છે. તેમના ભાષણ બાદ સંસદની કાર્યવાહીનો પ્રારંભ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ એટલે કે ઈકોનોમિક સર્વે રજૂ કરવાના છે. આવતી કાલે એટલે કે પહેલી ફ્રેબુઆરીના રોજ મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળનું અંતિમ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આ બજેટમાં સરકાર અનેક મહત્વપૂર્ણ ઘોષણા કરી શકે છે. 

Budget 2023: બજેટના એક દિવસ પહેલા થયો મોટો ખુલાસો, આ વખતે ઘર ખરીદનારાઓ માટે થશે બલ્લે બલ્લે!

સત્રમાં અનેક બિલ થઈ શકે છે પાસ 

આ વર્ષનું બજેટ મહત્વનું માનવામાં આવે છે કારણ કે આ વર્ષ દરમિયાન અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. સંસદના પહેલા ભાગમાં 13 ફેબ્રુઆરી સુધી સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના સંબોધન અને સામાન્ય બજેટ પર ચર્ચા થશે. પ્રથમ ભાગમાં સંસદના બંને ગૃહોમાં કોઈ બિલ રજૂ કરવામાં નહીં આવે. 13 માર્ચથી 6 એપ્રિલ સુધીના બીજા ભાગ દરમિયાન કાયકાદીય કામકાજનો નિકાલ કરવામાં આવશે. 31 જાન્યુઆરીથી શરૂ થનારુ આ બજેટ સત્ર 6 એપ્રિલ સુધી ચાલવાનું છે અને જેમાં 27 જેટલી બેઠકો થવાની છે. આ સત્રમાં સરકાર અંદાજીત 36 બિલ લાવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.