કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે ઈકોનોમિક સર્વે, રાષ્ટ્રપતિના સંબોધન બાદ સત્રની થશે શરૂઆત


  • Published By :
  • Published Date : 2023-01-31 09:41:46

સંસદમાં બજેટ રજૂ થવાનું છે. આજથી બજેટ સત્રનો પ્રારંભ થવાનો છે. બજેટ સત્ર પહેલા બંને સંસદની સંયુક્ત બેઠક થવાની છે જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સંબોધન કરવાના છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વે રજૂ કરવાના છે. આ આર્થિક સર્વે દેશના અર્થતંત્રની સ્થિતિ દર્શાવે છે. આ સર્વે પરથી નિષ્ણાંતો સામાન્ય બજેટની જોગવાઈ અંગે અંદાજ લગાવે છે. મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટી અને ચંદ્રશેખર રાવની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરવાના છે.

  

નિર્મલા સીતારમણ આર્થિક સર્વે કરશે રજૂ 

સંસદના સેંટ્રલ હોલ ખાતે રાષ્ટ્રપતિ અભિભાષણ કરવાના છે. તેમના ભાષણ બાદ સંસદની કાર્યવાહીનો પ્રારંભ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ એટલે કે ઈકોનોમિક સર્વે રજૂ કરવાના છે. આવતી કાલે એટલે કે પહેલી ફ્રેબુઆરીના રોજ મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળનું અંતિમ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આ બજેટમાં સરકાર અનેક મહત્વપૂર્ણ ઘોષણા કરી શકે છે. 

Budget 2023: બજેટના એક દિવસ પહેલા થયો મોટો ખુલાસો, આ વખતે ઘર ખરીદનારાઓ માટે થશે બલ્લે બલ્લે!

સત્રમાં અનેક બિલ થઈ શકે છે પાસ 

આ વર્ષનું બજેટ મહત્વનું માનવામાં આવે છે કારણ કે આ વર્ષ દરમિયાન અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. સંસદના પહેલા ભાગમાં 13 ફેબ્રુઆરી સુધી સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના સંબોધન અને સામાન્ય બજેટ પર ચર્ચા થશે. પ્રથમ ભાગમાં સંસદના બંને ગૃહોમાં કોઈ બિલ રજૂ કરવામાં નહીં આવે. 13 માર્ચથી 6 એપ્રિલ સુધીના બીજા ભાગ દરમિયાન કાયકાદીય કામકાજનો નિકાલ કરવામાં આવશે. 31 જાન્યુઆરીથી શરૂ થનારુ આ બજેટ સત્ર 6 એપ્રિલ સુધી ચાલવાનું છે અને જેમાં 27 જેટલી બેઠકો થવાની છે. આ સત્રમાં સરકાર અંદાજીત 36 બિલ લાવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. 




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.