કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે ઈકોનોમિક સર્વે, રાષ્ટ્રપતિના સંબોધન બાદ સત્રની થશે શરૂઆત


  • Published By :
  • Published Date : 2023-01-31 09:41:46

સંસદમાં બજેટ રજૂ થવાનું છે. આજથી બજેટ સત્રનો પ્રારંભ થવાનો છે. બજેટ સત્ર પહેલા બંને સંસદની સંયુક્ત બેઠક થવાની છે જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સંબોધન કરવાના છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વે રજૂ કરવાના છે. આ આર્થિક સર્વે દેશના અર્થતંત્રની સ્થિતિ દર્શાવે છે. આ સર્વે પરથી નિષ્ણાંતો સામાન્ય બજેટની જોગવાઈ અંગે અંદાજ લગાવે છે. મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટી અને ચંદ્રશેખર રાવની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરવાના છે.

  

નિર્મલા સીતારમણ આર્થિક સર્વે કરશે રજૂ 

સંસદના સેંટ્રલ હોલ ખાતે રાષ્ટ્રપતિ અભિભાષણ કરવાના છે. તેમના ભાષણ બાદ સંસદની કાર્યવાહીનો પ્રારંભ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ એટલે કે ઈકોનોમિક સર્વે રજૂ કરવાના છે. આવતી કાલે એટલે કે પહેલી ફ્રેબુઆરીના રોજ મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળનું અંતિમ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આ બજેટમાં સરકાર અનેક મહત્વપૂર્ણ ઘોષણા કરી શકે છે. 

Budget 2023: બજેટના એક દિવસ પહેલા થયો મોટો ખુલાસો, આ વખતે ઘર ખરીદનારાઓ માટે થશે બલ્લે બલ્લે!

સત્રમાં અનેક બિલ થઈ શકે છે પાસ 

આ વર્ષનું બજેટ મહત્વનું માનવામાં આવે છે કારણ કે આ વર્ષ દરમિયાન અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. સંસદના પહેલા ભાગમાં 13 ફેબ્રુઆરી સુધી સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના સંબોધન અને સામાન્ય બજેટ પર ચર્ચા થશે. પ્રથમ ભાગમાં સંસદના બંને ગૃહોમાં કોઈ બિલ રજૂ કરવામાં નહીં આવે. 13 માર્ચથી 6 એપ્રિલ સુધીના બીજા ભાગ દરમિયાન કાયકાદીય કામકાજનો નિકાલ કરવામાં આવશે. 31 જાન્યુઆરીથી શરૂ થનારુ આ બજેટ સત્ર 6 એપ્રિલ સુધી ચાલવાનું છે અને જેમાં 27 જેટલી બેઠકો થવાની છે. આ સત્રમાં સરકાર અંદાજીત 36 બિલ લાવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.