દેશમાં વધતા કોરોના કેસ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી સમીક્ષા બેઠક, આ રાજ્યમાં માસ્ક પહેરવું કરાયું અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2023-04-07 14:21:58

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 હજારથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાના વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરી હતી. સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડો. ભારતીએ જણાવ્યું કે કોરોનાના વધતા સંક્રમણને જોતા કેન્દ્રએ કોવિડ-19 અને કેંદ્રશાસિત પ્રદેશો માટે નીતિ-નિયમો, નવા ગાઈડલાઈન્સ જાહેર કરી છે. વધતા કોરોના કેસને જોતા પુડુચેરીમાં માસ્ક લગાવવા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે.


દૈનિક કેસમાં થઈ રહ્યો છે વધારો 

કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના સંક્રમણને કારણે ચિંતામાં વધારો થયો છે. એક્ટિવ કેસમાં પણ વધારો થયો છે. હાલમાં પોઝિટિવિટી દર 3.32 વધી રહ્યો છે. માર્ચના 31 દિવસોમાં કોરોનાના 31902 કેસ નોંધાયા હતા. જ્યારે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ કેસ 20 હજારને પાર નોંધાઈ ગયા છે. માર્ચમાં રોજના સરેરાશ 1 હજાર નવા કેસ સામે આવી રહ્યા હતા પરંતુ એપ્રિલમાં રોજના સરેરાશ 4 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 28 હજારને પાર પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાને કારણે હજી સુધી 44739054 લોકો સંક્રમિત થઈ ગયા છે.       


રાજ્યની કોવિડ હોસ્પિટલમાં યોજાશે મોકડ્રીલ 

કોરોના સંક્રમણને લઈ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે XBB1.6સબ વેરિયન્ટ હાલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. દેશમાં અને રાજ્યમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને હાલ રાજ્યમાં 2141 એક્ટિવ કેસ છે. વધતા કોરોનાને લઈ 10 અને 11મી એપ્રિલે રાજ્યની કોરોના હોસ્પિટલમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. જો ગુજરાતમાં કોરોના કેસની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 327 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હતા.           



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.