દેશમાં વધતા કોરોના કેસ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી સમીક્ષા બેઠક, આ રાજ્યમાં માસ્ક પહેરવું કરાયું અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2023-04-07 14:21:58

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 હજારથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાના વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરી હતી. સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડો. ભારતીએ જણાવ્યું કે કોરોનાના વધતા સંક્રમણને જોતા કેન્દ્રએ કોવિડ-19 અને કેંદ્રશાસિત પ્રદેશો માટે નીતિ-નિયમો, નવા ગાઈડલાઈન્સ જાહેર કરી છે. વધતા કોરોના કેસને જોતા પુડુચેરીમાં માસ્ક લગાવવા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે.


દૈનિક કેસમાં થઈ રહ્યો છે વધારો 

કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના સંક્રમણને કારણે ચિંતામાં વધારો થયો છે. એક્ટિવ કેસમાં પણ વધારો થયો છે. હાલમાં પોઝિટિવિટી દર 3.32 વધી રહ્યો છે. માર્ચના 31 દિવસોમાં કોરોનાના 31902 કેસ નોંધાયા હતા. જ્યારે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ કેસ 20 હજારને પાર નોંધાઈ ગયા છે. માર્ચમાં રોજના સરેરાશ 1 હજાર નવા કેસ સામે આવી રહ્યા હતા પરંતુ એપ્રિલમાં રોજના સરેરાશ 4 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 28 હજારને પાર પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાને કારણે હજી સુધી 44739054 લોકો સંક્રમિત થઈ ગયા છે.       


રાજ્યની કોવિડ હોસ્પિટલમાં યોજાશે મોકડ્રીલ 

કોરોના સંક્રમણને લઈ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે XBB1.6સબ વેરિયન્ટ હાલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. દેશમાં અને રાજ્યમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને હાલ રાજ્યમાં 2141 એક્ટિવ કેસ છે. વધતા કોરોનાને લઈ 10 અને 11મી એપ્રિલે રાજ્યની કોરોના હોસ્પિટલમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. જો ગુજરાતમાં કોરોના કેસની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 327 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હતા.           



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.