દેશમાં વધતા કોરોના કેસ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી સમીક્ષા બેઠક, આ રાજ્યમાં માસ્ક પહેરવું કરાયું અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2023-04-07 14:21:58

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 હજારથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાના વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરી હતી. સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડો. ભારતીએ જણાવ્યું કે કોરોનાના વધતા સંક્રમણને જોતા કેન્દ્રએ કોવિડ-19 અને કેંદ્રશાસિત પ્રદેશો માટે નીતિ-નિયમો, નવા ગાઈડલાઈન્સ જાહેર કરી છે. વધતા કોરોના કેસને જોતા પુડુચેરીમાં માસ્ક લગાવવા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે.


દૈનિક કેસમાં થઈ રહ્યો છે વધારો 

કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના સંક્રમણને કારણે ચિંતામાં વધારો થયો છે. એક્ટિવ કેસમાં પણ વધારો થયો છે. હાલમાં પોઝિટિવિટી દર 3.32 વધી રહ્યો છે. માર્ચના 31 દિવસોમાં કોરોનાના 31902 કેસ નોંધાયા હતા. જ્યારે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ કેસ 20 હજારને પાર નોંધાઈ ગયા છે. માર્ચમાં રોજના સરેરાશ 1 હજાર નવા કેસ સામે આવી રહ્યા હતા પરંતુ એપ્રિલમાં રોજના સરેરાશ 4 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 28 હજારને પાર પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાને કારણે હજી સુધી 44739054 લોકો સંક્રમિત થઈ ગયા છે.       


રાજ્યની કોવિડ હોસ્પિટલમાં યોજાશે મોકડ્રીલ 

કોરોના સંક્રમણને લઈ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે XBB1.6સબ વેરિયન્ટ હાલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. દેશમાં અને રાજ્યમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને હાલ રાજ્યમાં 2141 એક્ટિવ કેસ છે. વધતા કોરોનાને લઈ 10 અને 11મી એપ્રિલે રાજ્યની કોરોના હોસ્પિટલમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. જો ગુજરાતમાં કોરોના કેસની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 327 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હતા.           



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.