ચૂંટણીના ભણકારા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, પરિવાર સાથે કરશે દિવાળીની ઉજવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 12:25:19

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસો પણ વધી ગયા છે. ભાજપ તેમજ આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણી પ્રચાર કરવામાં કોઈ કચાસ રાખવા નથી માગતી. જેને કારણે એક બાદ એક વરિષ્ઠ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી પોતે અવાર નવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ ફરી એક વખત 6 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 

6 દિવસના પ્રવાસ માટે ગુજરાત આવશે અમિત શાહ 

દિલ્હી ખાતે અમિત શાહ રહે છે પરંતુ તેમનો પરિવાર અમદાવાદમાં રહે છે. અમિત શાહ દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવશે. પોતાના પ્રવાસ દરમિયાન વલસાડ, બનાસકાંઠા તેમજ સોમનાથની મુલાકાત લેવાના છે. આજે રાતે તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 22 તારીખે વલસાડની મુલાકાત લેવાના છે, 23 તારીખે વડોદરા, 24 તારીખે બનાસકાંઠામાં ભાજપનો પ્રચાર કરવાના છે. પોતાના પ્રવાસના અંતિમ દિવસે તેઓ સોમનાથ દાદાના દર્શને જવાના છે. 

Union Home Minister Amit Shah Will Reach Vadodara Tonight At 10 Pm |  Vadodara: ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત, આ ખાસ કાર્યક્રમમાં આપશે હાજરી

પ્રચારની કેટલી થશે મતદારો પર અસર 

ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. ત્યારે મતદારોને રિઝવવાનો પ્રયાસ દરેક પાર્ટી કરી રહી છે. પોતાના દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે મેદાનમાં ઉતારી રહી છે. ચૂંટણી નજીક આવતા પ્રચારની કમાન દિગ્ગજ નેતાઓએ સંભાળી લીધી છે. ત્યારે પાર્ટી દ્વારા કરવામાં આવતા પ્રચારની અસર ચૂંટણી પરિણામ પર કેટલી પડશે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.