ચૂંટણીના ભણકારા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, પરિવાર સાથે કરશે દિવાળીની ઉજવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 12:25:19

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસો પણ વધી ગયા છે. ભાજપ તેમજ આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણી પ્રચાર કરવામાં કોઈ કચાસ રાખવા નથી માગતી. જેને કારણે એક બાદ એક વરિષ્ઠ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી પોતે અવાર નવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ ફરી એક વખત 6 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 

6 દિવસના પ્રવાસ માટે ગુજરાત આવશે અમિત શાહ 

દિલ્હી ખાતે અમિત શાહ રહે છે પરંતુ તેમનો પરિવાર અમદાવાદમાં રહે છે. અમિત શાહ દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવશે. પોતાના પ્રવાસ દરમિયાન વલસાડ, બનાસકાંઠા તેમજ સોમનાથની મુલાકાત લેવાના છે. આજે રાતે તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 22 તારીખે વલસાડની મુલાકાત લેવાના છે, 23 તારીખે વડોદરા, 24 તારીખે બનાસકાંઠામાં ભાજપનો પ્રચાર કરવાના છે. પોતાના પ્રવાસના અંતિમ દિવસે તેઓ સોમનાથ દાદાના દર્શને જવાના છે. 

Union Home Minister Amit Shah Will Reach Vadodara Tonight At 10 Pm |  Vadodara: ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત, આ ખાસ કાર્યક્રમમાં આપશે હાજરી

પ્રચારની કેટલી થશે મતદારો પર અસર 

ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. ત્યારે મતદારોને રિઝવવાનો પ્રયાસ દરેક પાર્ટી કરી રહી છે. પોતાના દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે મેદાનમાં ઉતારી રહી છે. ચૂંટણી નજીક આવતા પ્રચારની કમાન દિગ્ગજ નેતાઓએ સંભાળી લીધી છે. ત્યારે પાર્ટી દ્વારા કરવામાં આવતા પ્રચારની અસર ચૂંટણી પરિણામ પર કેટલી પડશે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.