જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલય એક્શન મોડમાં, આતંકવાદીઓ સામે કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-01-08 13:30:19

જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત આતંકી હુમલાઓ થતા રહે છે જેને કારણે અનેક લોકો મોતને ભેટે છે. થોડા સમયથી જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા હિંદુ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેમના મોત થઈ ગયા હતા. આ ઘટનાનો વિરોધ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ તે જગ્યા પર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે બે આતંકીસંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે.


આતંકવાદીઓએ કર્યું હતું ટાર્ગેટ કિલીંગ 

છેલ્લા ઘણા સમયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકીહુમલા વધી ગયા છે. આતંકી સંગઠન દ્વારા ટાર્ગેટ કિલીંગ કરવામાં આવી રહ્યું છે. હિંદુઓ પર હુમલા વધી ગયા છે. થોડા દિવસ પહેલા હિંદુ પરિવાર પર હુમલો થયો હતો જેમાં 4 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટનાનો વિરોધ ત્યાંના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. એક જગ્યા પર એકત્રિત થઈ આ ઘટનાનો વિરોધ થયો હતો. આ સ્થળ પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા જ્યારે એક બાળકનું મોત પણ થયું હતું. 


કેન્દ્રીય ગૃહમંત્રાલયે લગાવ્યો આતંકવાદી સંગઠન પર પ્રતિબંધ  

જમ્મુ-કાશ્મીરમાં વધતા આતંકી હુમલાને રોકવા  કેન્દ્ર સરકાર કદમ ઉઠાવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના નિર્દેશો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે અનેક લોકોને આતંકવાદ ઘોષિત કરી દીધા છે. ઉપરાંત બે આતંકવાદી સંગઠન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આતંકવાદી સામે લડવા સરકારે પોતાની રણનીતિ બદલી દીધી છે. 



કાર્યવાહીના ભાગરૂપે આતંકવાદ સંગઠનો સામે પગલા લેવાઈ રહ્યા છે. ચાર-પાંચ દિવસથી મોટા પાયે આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં વધતા આતંકવાદને પ્રોત્સાહિત કરનાર તત્વો પર કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.