જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલય એક્શન મોડમાં, આતંકવાદીઓ સામે કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-01-08 13:30:19

જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત આતંકી હુમલાઓ થતા રહે છે જેને કારણે અનેક લોકો મોતને ભેટે છે. થોડા સમયથી જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા હિંદુ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેમના મોત થઈ ગયા હતા. આ ઘટનાનો વિરોધ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ તે જગ્યા પર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે બે આતંકીસંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે.


આતંકવાદીઓએ કર્યું હતું ટાર્ગેટ કિલીંગ 

છેલ્લા ઘણા સમયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકીહુમલા વધી ગયા છે. આતંકી સંગઠન દ્વારા ટાર્ગેટ કિલીંગ કરવામાં આવી રહ્યું છે. હિંદુઓ પર હુમલા વધી ગયા છે. થોડા દિવસ પહેલા હિંદુ પરિવાર પર હુમલો થયો હતો જેમાં 4 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટનાનો વિરોધ ત્યાંના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. એક જગ્યા પર એકત્રિત થઈ આ ઘટનાનો વિરોધ થયો હતો. આ સ્થળ પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા જ્યારે એક બાળકનું મોત પણ થયું હતું. 


કેન્દ્રીય ગૃહમંત્રાલયે લગાવ્યો આતંકવાદી સંગઠન પર પ્રતિબંધ  

જમ્મુ-કાશ્મીરમાં વધતા આતંકી હુમલાને રોકવા  કેન્દ્ર સરકાર કદમ ઉઠાવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના નિર્દેશો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે અનેક લોકોને આતંકવાદ ઘોષિત કરી દીધા છે. ઉપરાંત બે આતંકવાદી સંગઠન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આતંકવાદી સામે લડવા સરકારે પોતાની રણનીતિ બદલી દીધી છે. 



કાર્યવાહીના ભાગરૂપે આતંકવાદ સંગઠનો સામે પગલા લેવાઈ રહ્યા છે. ચાર-પાંચ દિવસથી મોટા પાયે આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં વધતા આતંકવાદને પ્રોત્સાહિત કરનાર તત્વો પર કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.