જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલય એક્શન મોડમાં, આતંકવાદીઓ સામે કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-01-08 13:30:19

જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત આતંકી હુમલાઓ થતા રહે છે જેને કારણે અનેક લોકો મોતને ભેટે છે. થોડા સમયથી જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા હિંદુ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેમના મોત થઈ ગયા હતા. આ ઘટનાનો વિરોધ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ તે જગ્યા પર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે બે આતંકીસંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે.


આતંકવાદીઓએ કર્યું હતું ટાર્ગેટ કિલીંગ 

છેલ્લા ઘણા સમયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકીહુમલા વધી ગયા છે. આતંકી સંગઠન દ્વારા ટાર્ગેટ કિલીંગ કરવામાં આવી રહ્યું છે. હિંદુઓ પર હુમલા વધી ગયા છે. થોડા દિવસ પહેલા હિંદુ પરિવાર પર હુમલો થયો હતો જેમાં 4 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટનાનો વિરોધ ત્યાંના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. એક જગ્યા પર એકત્રિત થઈ આ ઘટનાનો વિરોધ થયો હતો. આ સ્થળ પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા જ્યારે એક બાળકનું મોત પણ થયું હતું. 


કેન્દ્રીય ગૃહમંત્રાલયે લગાવ્યો આતંકવાદી સંગઠન પર પ્રતિબંધ  

જમ્મુ-કાશ્મીરમાં વધતા આતંકી હુમલાને રોકવા  કેન્દ્ર સરકાર કદમ ઉઠાવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના નિર્દેશો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે અનેક લોકોને આતંકવાદ ઘોષિત કરી દીધા છે. ઉપરાંત બે આતંકવાદી સંગઠન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આતંકવાદી સામે લડવા સરકારે પોતાની રણનીતિ બદલી દીધી છે. 



કાર્યવાહીના ભાગરૂપે આતંકવાદ સંગઠનો સામે પગલા લેવાઈ રહ્યા છે. ચાર-પાંચ દિવસથી મોટા પાયે આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં વધતા આતંકવાદને પ્રોત્સાહિત કરનાર તત્વો પર કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.